AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના ખેડૂતો પર યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની અસરો હવે ગુજરાતના ખેડૂતો પર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાથી મોટા પાયે બટાટાની ખાડી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે આ નિકાસ અટકી ગઈ છે, જેના કારણે બટાટાના ભાવ સાવ તળિયે ગયા છે અને ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2026 | 4:48 PM
Share

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે બનાસકાંઠાના ખેડૂતો પર પણ જોવા મળી રહી છે. બનાસકાંઠાથી મોટા પ્રમાણમાં બટાટાની ખાડી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ યુદ્ધના માહોલ વચ્ચે આ નિકાસ અટકી ગઈ છે. જેના કારણે બટાટાના ભાવમાં કટાકો બોલ્યો છે. હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે ખેડૂતોને બટાટાની પડતર કિંમત પણ નથી મળી રહી. ભાવ તળિયે જતા ખેડૂતોને 1 મણ બટાટાના માત્ર 100 રૂપિયા મળી રહ્યા છે જે ગત વર્ષની સરખામણી અડધા પણ નથી. ગત વર્ષે ખેડૂતોને આ જ બટાટાના એક મણના 300 રૂપિયા મળતા હતા. પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધી છે.

બનાસકાંઠા જિલ્લો બટાટાનું હબ ગણાય છે. આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણણાં બટાટાનું ઉત્પાદન પણ કર્યુ છે. ત્યારે તેમને આશા હતી કે ઉત્પાદન સારુ થવાથી નિકાસ પણ સારી રહેશે અને પરંતુ યુદ્ધની સ્થિતિએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. નિકાસ અટકી જવાથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવી પડી રહી છે. હાલ નિકાસ અટકી જતા સ્થાનિક બજારમાં બટાટાની આવક વધી ગઈ છે અને માગ ઓછી હોવાથી ભાવ તૂટી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મજૂરી અને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી. પરસેવો પાડીને ઉગાડેલા બટાટાને સાવ પાણીના ભાવે વેચવાનો વારો આવતા ખેડૂતોની ચિંતા વધી છે.

આ પરિસ્થિતિ માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી. કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરનારા વેપારીઓની ચિંતા પણ વધી છે. વેપારીઓએ મોટા પ્રમાણમાં ખરીદી કરી સંગ્રહ કર્યો છે પરંતુ બજારમાં ભાવ ઘટતા તેમને પણ નુકસાન થવાની ભીતિ છે. વેપારીઓનું કહેવું છે કે જો યુદ્ધ લાંબું ચાલશે અને નિકાસ શરૂ નહીં થાય તો વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવું પડશે.

ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર હવે એક જ બાબત પર છે ખાડી દેશોમાંની પરિસ્થિતિ ક્યારે સામાન્ય બને અને બટાટાની નિકાસ ફરી શરૂ થાય. કારણ કે નિકાસ શરૂ થશે તો જ બજારમાં માંગ વધશે અને બટાટાના ભાવ સુધરવાની આશા જીવંત રહેશે. ત્યાં સુધી બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓ માટે આ સંકટ ઘેરુ બન્યુ છે.

Input Credit- Atul Trivedi- Banas kantha

દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા

Follow Us
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">