ઈડી
હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના દરોડા પડી રહ્યા છે. તમે પણ સમાચાર ટીવી મીડિયામાં કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું હશે.
આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસાની ગેરકાયદે હેરાફેરી, વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે તથા ત્યાં મોકલાયેલ રકમમાંથી ટુકડે ટુકડે ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.
શરૂઆતમાં આ ડીપાર્ટમેન્ટનું નામ “Enforcement Unit” એટલે કે “અમલીકરણ એકમ” રાખવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં આ યુનિટ આર્થિક બાબતોનો વિભાગનો એક ભાગ હતો. આ યુનિટને વર્ષ 1956માં ભારતના બંધારણના એક એક્ટ ફેરા કે જે Foreign Exchange Regulation Act, 1947 બનાવવામાં આવ્યું હતું.
આ એક ખુબજ નાનું યુનિટ હતું જેનું મુખ્ય મથક દિલ્લીમાં હતું. આ યુનિટમાં 1 ડિરેક્ટર, RBIના અમુક અધિકારી તથા પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. ત્યારના સમયમાં પુરા ભારતમાં આ યુનિટ કેવળ 2 બ્રાન્ચ બોમ્બે અને કલકત્તામાં હતી. વર્ષ 1960માં આ યુનિટનું નામ બદલીને Enforcement Directorate કરી દેવામાં આવ્યું હતું.
ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ
વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Dec 2, 2025
- 2:32 pm
Rajkot : મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો ! EDએ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો, જુઓ Video
રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સાગઠિયા અને અન્ય બે વ્યક્તિઓ સામે પ્રોસીક્યુશન કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 28, 2025
- 1:59 pm
કાળા વાળનો કાળો કારોબાર, ED ની તપાસમાં બહાર આવ્યું કૌભાંડ !
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ FEMAના ઉલ્લંઘનના આરોપીને લઈ નાગાલેન્ડ સ્થિત ઇમસોંગ ગ્લોબલ સપ્લાયર્સ કંપની પર દરોડા પાડ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીએ વિદેશની કેટલીક કંપનીઓ પાસેથી ₹50 કરોડથી વધુનું વિદેશી રેમિટન્સ મેળવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં એક એવી વિદેશી કંપની દ્વારા મોકલવામાં આવ્યા હતા, જે હાલ બંધ થઈ ચૂકી છે. EDએ આ શંકાસ્પદ ફંડિંગના સ્ત્રોત અને ઉપયોગની તપાસ શરૂ કરી છે.
- Sachin Agrawal
- Updated on: Nov 6, 2025
- 7:55 pm
અનિલ અંબાણીની ફરી વધશે મુશ્કેલી, હવે રિલાયન્સ ગૃપની કંપનીઓની SFIO કરશે તપાસ
અનિલ અંબાણીની કંપનીઓ પર તપાસ એજન્સીઓએ સકંજો કસવાની તૈયારીમાં છે, હવે SFIO એ રિલાયન્સ ગૃપની કંપનીઓની તપાસ કરશે.
- Mina Pandya
- Updated on: Nov 6, 2025
- 3:33 pm
IPO ની આડમાં લૂંટ ! ED ની તપાસમાં સામે આવી Varanium Cloudની પંપ-એન્ડ-ડમ્પ કૌભાંડ જેવી ચોંકાવનારી વિગતો
મની લોન્ડરિંગ અને IPO છેતરપિંડીની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ મુંબઈમાં Varanium Cloud Ltd. પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને Varanium Cloud Ltd માંથી સેંકડો નકલી ચેકબુક, સિમ કાર્ડ અને શેલ કંપનીઓના પુરાવા મળ્યા છે. આ તમામ બાબતો એક મોટા ડિજિટલ છેતરપિંડી નેટવર્કનો ભાગ રૂપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુ તપાસ ચાલુ છે.
- TV9 Gujarati
- Updated on: Nov 4, 2025
- 9:03 pm
Reliance stocks : એક બાજુ ED એ 3,000 કરોડ જપ્ત કર્યા.. બીજી બાજુ અનિલ અંબાણીની બે કંપનીના શેર થયા ધડામ, જાણો કેટલું નુકસાન
એક તરફ, ED એ અનિલ અંબાણી સામે કાર્યવાહી કરી હતી, અને બીજી તરફ, ભારતીય શેરબજારમાં તેમની બે કંપનીઓમાંથી તેમને ₹1,800 કરોડથી વધુનું નુકસાન થયું છે.
- Sagar Solanki
- Updated on: Nov 3, 2025
- 2:23 pm
Breaking News: અનિલ અંબાણી પર EDની મોટી કાર્યવાહી, રુ 3000 કરોડથી વધારેની સપંત્તિ જપ્ત
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને ED તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ₹3,000 કરોડથી વધુ કિંમતની 40 થી વધુ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. આમાં મુંબઈમાં તેમનું પાલી હિલ ઘર અને દિલ્હીમાં રિલાયન્સ સેન્ટરનો સમાવેશ થાય છે.
- Devankashi rana
- Updated on: Nov 3, 2025
- 11:43 am
હવે સાયબર ગઠીયાઓ EDના નામે નહીં છેતરી શકે, આ રીતે જાણો EDનો અસલી અને નકલી સમન્સ
ED અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે બધા અસલી સમન્સ એક સિસ્ટમ દ્વારા જાહેર કરવામાં આવે છે. આવા સમન્સમાં QR કોડ અને એક અનન્ય પાસકોડ સામેલ હોય છે. આનાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ચકાસી શકે છે કે તેમને મળેલ સમન્સ અસલી છે કે નકલી.
- TV9 Gujarati
- Updated on: Oct 8, 2025
- 6:59 pm
ભાગેડુ નીરવ મોદીને પરત લાવવા સરકારના તમામ પ્રયાસો: પાંચ એજન્સીઓ નહીં કરે પૂછપરછની લેખિત ખાતરી
ભારત સરકારે બ્રિટનને ગેરંટી આપી છે કે ભાગેડુ નીરવ મોદી પર ભારતમાં ફક્ત કોર્ટ ટ્રાયલ જ થશે. કોઈ પૂછપરછ કે અટકાયત નહીં કરવામાં આવે અને તેને મુંબઈની આ જેલના ખાસ બેરેકમાં રાખવામાં આવશે.
- Manish Gangani
- Updated on: Oct 4, 2025
- 3:42 pm
દિલ્હીના પૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજના ઘરે ત્રાટકી ED, હોસ્પિટલ બાંધકામ કૌભાંડમાં પાડ્યા દરોડા
ED એ દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પાડ્યા છે. ED એ મંગળવારે સવારે આ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ બાંધકામ કૌભાંડમાં સૌરભ ભારદ્વાજ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 26, 2025
- 9:18 am
Breaking News: અનિલ અંબાણીને EDએ મોકલ્યું સમન્સ ! ₹17000 કરોડના કૌભાંડની તપાસ શરૂ
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને 5 ઓગસ્ટે ED ના દિલ્હી મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
- Devankashi rana
- Updated on: Aug 1, 2025
- 4:09 pm
અનિલ અંબાણીની કંપનીઓમાં સતત ત્રીજા દિવસે પણ EDના દરોડા યથાવત
મુંબઈમાં અનિલ અંબાણી ગ્રુપ પર EDના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ છે. ₹3,000 કરોડના બેંક લોન છેતરપિંડી અને યસ બેંક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ આરોપો હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. જેમાં EDએ અનેક સ્થળોએથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે.
- Manish Gangani
- Updated on: Jul 26, 2025
- 6:40 pm
રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટ દાખલ, EDએ 18 કલાક કરી પૂછપરછ
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે, અન્ય ઘણા લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે.
- TV9 Gujarati
- Updated on: Jul 17, 2025
- 3:59 pm
26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને ભારત લવાશે,નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ પછી CBI ની આ બીજી મોટી સફળતા
CBI Arrested Monika Kapoor: લગભગ 26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની આખરે સીબીઆઈ દ્વારા અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ ન્યૂયોર્કમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે સીબીઆઈની ટીમ તેને લઈને ભારત પરત ફરી રહી છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- Manish Gangani
- Updated on: Jul 9, 2025
- 8:42 pm
ભારતની બેંકોનું 13 હજાર કરોડનું કરી નાખનાર ભાગેડુ નીરવ મોદીના ભાઈની થઈ ધરપકડ, 50 કિલો સોનુ, 50 કરોડની ડાયમંડ જ્વેલરી અને 150 કિંમતી મોતી ભરેલી બેગ્સ જપ્ત
EDનું કહેવું છે કે નેહલ મોદીએ મની લોન્ડરિંગમાં સામેલ થઈને PMLAની કલમ 3 હેઠળ ગુનો કર્યો છે, અને તેને કલમ 4 હેઠળ કડક સજા મળવી જોઈએ. ભારત સરકારે સત્તાવાર રીતે નેહલ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી હતી, જેના પર હવે અમેરિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં નેહલ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થશે.
- Manish Gangani
- Updated on: Jul 5, 2025
- 7:46 pm