ઈડી

ઈડી

હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના દરોડા પડી રહ્યા છે. તમે પણ સમાચાર ટીવી મીડિયામાં કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું હશે.

આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસાની ગેરકાયદે હેરાફેરી, વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે તથા ત્યાં મોકલાયેલ રકમમાંથી ટુકડે ટુકડે ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.

શરૂઆતમાં આ ડીપાર્ટમેન્ટનું નામ “Enforcement Unit” એટલે કે “અમલીકરણ એકમ” રાખવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં આ યુનિટ આર્થિક બાબતોનો વિભાગનો એક ભાગ હતો. આ યુનિટને વર્ષ 1956માં ભારતના બંધારણના એક એક્ટ ફેરા કે જે Foreign Exchange Regulation Act, 1947 બનાવવામાં આવ્યું હતું.

આ એક ખુબજ નાનું યુનિટ હતું જેનું મુખ્ય મથક દિલ્લીમાં હતું. આ યુનિટમાં 1 ડિરેક્ટર, RBIના અમુક અધિકારી તથા પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. ત્યારના સમયમાં પુરા ભારતમાં આ યુનિટ કેવળ 2 બ્રાન્ચ બોમ્બે અને કલકત્તામાં હતી. વર્ષ 1960માં આ યુનિટનું નામ બદલીને Enforcement Directorate કરી દેવામાં આવ્યું હતું.

Read More

ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા 5 મોટા સવાલ

સુપ્રીમ કોર્ટે આજે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ EDને 5 પ્રશ્નો પુછ્યા હતા. જેમાં અરજદાર અને ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ સાથે જોડાયેલા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કેજરીવાલ જેલમાં રહેશે કે પછી તેમને રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે ચુકાદો

આજે હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે. 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

ED ના આપી શકી આ પ્રશ્નનો જવાબ, પછી સુપ્રીમ કોર્ટે સંજયસિંહને આપ્યા જામીન, જાણો AAPનો દાવો

સુપ્રીમ કોર્ટે પુછેલા પ્રશ્નનો જવાબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આપી શક્યું નહોતું. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપતા કહ્યું, તમે 10 નિવેદનો કચરાના ઢગલામાં ફેંકી દેશો અને એક નિવેદનના આધારે કોઈની પણ ધરપકડ કરી લેશો.

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ HCમાં દાખલ PIL પર 28 માર્ચે થશે સુનાવણી, CM પદેથી હટાવવાની કરી માંગ

એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે કેજરીવાલ 22 માર્ચથી EDની કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા જોઈએ. હવે કોર્ટ આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ આ કેસની સુનાવણી કરશે.

કેજરીવાલની ધરપકડ અંગે જર્મની બાદ હવે અમેરિકા બોલ્યું, ભારતે યુએસના રાજદૂત બોલાવીને 40 મિનિટ ખખડાવ્યા

ભારતે ગત શનિવારે જર્મન દૂતાવાસના ડેપ્યુટી ચીફને બોલાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. હવે અમેરિકાના નિવેદનને લઈને વિદેશ વિભાગે અમેરિકા એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફને બોલાવીને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

ના લોકર, ના દિવાલ, વોશિંગ મશીનમાંથી મળ્યો ‘ખજાનો’…EDના દરોડામાં 2.54 કરોડ રૂપિયા મળ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મેકેરોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ સહિત લગભગ અડધો ડઝન કંપનીઓ અને તેના ડિરેક્ટરો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ ઘણા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે અને ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા છે.

તિહાર જેલમાં આપનું સ્વાગત છે… મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલને જેલમાંથી લખ્યો પત્ર

ઠગ સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલની ધરપકડ પર 22 માર્ચે જેલમાંથી 5 પાનાનો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, તિહાર ક્લબમાં તમારું સ્વાગત છે કેજરીવાલ, હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા માટે અહીં આવ્યા છે. સુકેશે સીએમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તમારી પાર્ટીનો તમામ ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે.

Breaking News: અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, એક્સાઇઝ પોલિસીમાં કરવામાં આવી છે ધરપકડ

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તેમના 10 દિવસના રિમાંડ માગવામાં આવ્યા હતા. પણ કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો છે

મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ… મૌલાનાએ આવું કેમ કહ્યું?

એક્સાઇઝ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ઇડી પૂછપરછ માટે તેની કસ્ટડીની માંગ કરશે. કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમોને આવા વિરોધ પ્રદર્શનથી દૂર રહેવાની અપીલ કરી છે.

કેવી રીતે ઈડીની થઈ શરૂઆત, કોણ છે તેના વડા, કેવી રીતે એજન્સી કરે છે કામ? જાણો કેટલી તાકાતવર છે ED

ફેબ્રુઆરીમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેંમત સોરેનને 5 દિવસની ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે જાણો કે કેવી રીતે ઈડીની શરૂઆત થઈ, કોણ છે તેનું પ્રમુખ, કેવી રીતે આ એજન્સી કરે છે કામ અને કેટલી પાવરફૂલ છે?

Delhi Liquor Scam: દિલ્હીમાં દારૂની દુકાનોથી લઈ બિઝનેસના આંકડા જાણીને ચોંકી ઉઠશો, વાંચો દારૂનું અતથી ઈતિ

કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી દારૂ કૌભાંડ મામલે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં દારૂનો ધંધો ઘણો મોટો છે, જેનાથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ચાલો તમને જણાવીએ કે દિલ્હીમાં દારૂની કેટલી દુકાનો છે અને તેમાંથી કેટલો બિઝનેસ થાય છે.

Delhi CM Arvind Kejriwal Arrested: જો કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય? જાણો શું કહે છે કાયદો

ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ધરપકડ બાદ કેજરીવાલ રાજીનામું આપશે? તેઓ જેલમાં જશે તો પણ મુખ્યમંત્રી રહેશે. જો આમ થશે તો શું તેમના માટે સરકાર ચલાવવી સરળ રહેશે કે પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે? તેમના જવાબો જાણો.

Arvind Kejriwal Arrested : EDએ કેજરીવાલની કરી ધરપકડ, જાણો કેવી રીતે આ મામલો સામે આવ્યો, સમજો એક એક પોઈન્ટમાં

સીબીઆઈને તેના સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે L1 લાયસન્સ ધારકો સરકારી અધિકારીઓને ફાયદો પહોંચાડવા માટે ભંડોળને ડાયવર્ટ કરવાના ઈરાદાથી રિટેલ વિક્રેતાઓને ક્રેડિટ નોટ્સ જારી કરી રહ્યા હતા, બદલામાં તેઓ તેમના રેકોર્ડ સારા દેખાવા માટે ખાતાઓમાં નકલી એન્ટ્રીઓ કરી રહ્યા હતા.

કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન, AAP ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરશે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, સંદીપ પાઠક અને આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી અને કહ્યું કે અમારી લડાઈ શેરીઓથી લઈને કોર્ટ સુધી ચાલુ રહેશે.

Breaking News: અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે EDના અધિકારીઓ, AAPની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી

EDની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધા બાદ ED કેજરીવાલના ઘરે પહોંચી ગઈ હોવાના મોટા સમાચાર છે.

g clip-path="url(#clip0_868_265)">