AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

જુનાગઢ માંગરોળના ભાજપના ધારાસભ્ય સામે ખેડૂત અને આપના કાર્યકરને અપશબ્દ કહેવાનો આરોપ, ધારાસભ્યે આરોપો નકાર્યા- Video

જુનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અપશબ્દો બોલવા બાબતે વિવાદમાં આવ્યા. પૂલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને AAP ના કાર્યકરને અપશબ્દો બોલ્યા હોવાનો તેમની સામે આરોપ લાગ્યો છે. જોકે ધારાસભ્યે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને નકાર્યા છે.

“તમામ સુખ સુવિધા માત્ર ગુજરાતને નહીં બિહારને પણ મળવી જોઈએ, બિહારના બાળકો માત્ર મજદૂરી કરવા તો પેદા નથી થતા”- જીત બાદ પીકેનો હુંકાર

જીત્યા બાદ પહેલુ કામ પીકે શું કરશે એ સવાલના જવાબમાં પીકે એ કહ્યુ કે મારા તરફથી જે પણ થઈ શકતુ હશે તે સુધારનું કામ કરીશ અને તે તમને આવતા 2 થી 3 મહિનાની અંદર જ જોવા મળશે. હું કોઈ બહુ મોટી મોટી વાતો કરવા નથી માગતો. મારા ધારાસભ્ય બની જવાથી બાંકીપુર બેંગલોર તો નહીં બની જાય, પરંતુ આવતા બે થી ત્રણ મહિનામાં થોડા બદલાવ જરૂર જોવા મળશે.

Breaking News : મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર

મહિલા ખેલાડીઓના જાતીય શોષણના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. 20 જુલાઈ, 2023 થી નિયમિત જામીન પર રહેલા બ્રિજભૂષણ પર 10 મે, 2024 ના રોજ આરોપ લગાવવામાં આવ્યો હતો.

સ્કોર્પિયોમાં બેસવાથી પીઠનો દુખાવો થયો તો BMC હવે ઇનોવા ખરીદશે, મુંબઈમાં કરોડોના ખર્ચ પર રાજકીય ઘમસાણ

મુંબઈ મહાનગરપાલિકામાં ફેબ્રુઆરીમાં ખરીદાયેલી સ્કોર્પિયો કાર પદાધિકારીઓને માફક ન આવતાં હવે 23 લાખથી વધુ કિંમતની નવી ઇનોવા ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેના પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે.

‘PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે’, ‘જનરેશન ગટર’ ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી ‘સફાઈ’

પોતાના બોલકા અંદાજ માટે જાણીતા ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ સામે થઈ રહેલા વિરોધ પર તેમણે એક વીડિયો શેર કરીને પોતાની વાત સ્પષ્ટ કરી છે.

Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

આજે 28 જુલાઈના રોજ, દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી.

Breaking News : નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને, જુઓ Video

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સાગબારા પંથકના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે સમર્થન આપ્યું છે. લાંબા સમયથી જમીન માલિકી અને ખેતીના અધિકાર માટે લડતા ખેડૂતો સાથે ખોપી ગામે બેઠક યોજી હતી.

શું શરદ પવારની NCPમાં પડશે ભાગલા ? દિગ્ગજ નેતાએ કહ્યું, ‘હવે આ મુદ્દે વાત કરવાનો સમય નથી’ !

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં સંભવિત ભાગલા અને NDAમાં જોડાવાની ચર્ચા વચ્ચે પાર્ટી પ્રમુખ શરદ પવારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે હાલ આ વિષય પર વાત કરવાનો સમય નથી.

Breaking News: રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું તો સીધા જેલ ભેગા થશો, ચોમાસુ સત્રમાં અમિત શાહ રજૂ કરશે ‘વંદે માતરમ્’ બિલ

20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના સન્માનને જાળવી રાખવાનો છે. નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વ્યક્તિ વંદે માતરમ્ ગાવામાં અડચણ ઊભી કરશે કે તેનું અપમાન કરશે, તો તેને કાયદાકીય રીતે ગુનો ગણીને સજા આપવામાં આવશે.

Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.

CM ઉમર અબ્દુલ્લાના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) વાળા નિવેદન પર ભડકી BJP, મોકલી 100 કરોડની નોટિસ

જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર 'ઓપરેશન લોટસ' હેઠળ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપીને સરકાર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી નારાજ થયેલી BJPએ હવે સીએમ સામે મોટું કાનૂની પગલું ભર્યું છે. ભાજપે ઉમર અબ્દુલ્લા પાસે કઈ મોટી માંગ કરી છે અને આ વિવાદ પાછળની અસલી કહાની શું છે?

Breaking News : ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જન પ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળ : ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ

સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, આજે પણ સમાજમાં કેટલીક જૂની માન્યતાઓ અને સામાજિક પરંપરાઓના કારણે દીકરા-દીકરીના વહેલા લગ્ન કરાવી દેવામાં આવે છે. જેના પરિણામે હજુ પોતે બાળપણમાં હોય તેવી કુમળી વયની દીકરીઓ માતા બની રહી છે, જે ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત ચિંતાનો વિષય છે.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Breaking News : ભાજપે વડોદરા માંજલપુર પેટાચૂંટણી માટે સતીશ પટેલના નામની કરી જાહેરાત, 30મી જુલાઈએ મતદાન

વડોદરાની માંજલપુર બેઠક પરની પેટાચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. સતીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રે પણ સક્રિય છે.

જનતા પાણીમાં ને કોર્પોરેટરો કચેરીમાં મસ્ત! સુરતમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ, વેરો ભરતી પ્રજા રોષે ભરાઈ- જુઓ Video

એકતરફ સ્માર્ટ સિટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં પ્રજા ત્રાહિમામ છે, ત્યારે બીજી તરફ વિવિધ સમિતિઓના પદગ્રહણ નિમિત્તે નેતાઓએ નાસ્તાની મજા માણી. મુશ્કેલીના સમયે જનતાને ભગવાન ભરોસે છોડી ભાજપના કાઉન્સિલરો શુભેચ્છા સમારોહમાં વ્યસ્ત.

g clip-path="url(#clip0_868_265)">