AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

Breaking News : નીતિન ગડકરીએ કર્યો સક્રિય રાજનીતિ છોડવાનો ઈશારો ? કહ્યું- હું હવે વધુ કામ નથી કરી શકતો, નવા લોકો આગળ આવે

નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ, જાહેર જીવનમાં ઘણા વર્ષોની સેવા સાથે શારીરિક થાકને સ્વીકારતા, એવી ટિપ્પણી કરી હતી કે, "હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. હવે, નવી પેઢીએ આગળ આવવું જોઈએ."

Breaking News : Gujarat Election 2027 ને લઈ RSS અને સરકારની સંકલન બેઠક, અનેક મુદ્દાઓ પર મંથન, જુઓ Video

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે RSS અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ છે. બે દિવસીય આ બેઠકમાં RSS અને ભગિની સંસ્થાઓના આગેવાનો, ઉપરાંત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નંબર પ્લેટ વગર પેટ્રોલ કોણે આપ્યું? રાજકોટમાં ભાજપ ધારાસભ્ય દર્શિતા શાહ બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ સવાલોના ઘેરામાં

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહની આગેવાનીમાં યોજાયેલી બાઈક રેલી વિવાદમાં સપડાઈ છે. વીડિયોમાં, ધારાસભ્ય જે બાઈક પર હતા તેની નંબર પ્લેટ નહોતી, અને હેલ્મેટ નિયમોનો પણ ભંગ થયો હતો.

Breaking News : ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી, જુઓ Video

ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી છે, તરુણ ચૂગ રાજ્કીય નેતૃત્વ સાથે જોડાયેલા છે. પ્રભારી તરીકેની જવાબદારી ખુબ ખાસ હોય છે. તરુણ ચૂગ અનેક વખત ગુજરાતના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે.

ભાજપમાં અરણ્યવાસમાં ઘકેલાયેલા સ્મૃતિ ઈરાનીને બનાવાયા રાષ્ટ્રીય મહામંત્રી, નીતિન નબિનની 49 સભ્યોની ટીમમાં 4 ગુજરાતી

ગુજરાતમાં એક લોકપ્રિય કહેવત છે કે, ઘરડા ગાડા વાળે. આ કહેવતને ભાજપ રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવા જઈ રહી છે. રાજકારણના અરણ્યવાસમાં ધકેલી દિધેલા નેતાઓને, ભાજપે માનભેર રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. આ નેતાઓમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવનો સમાવેશ થાય છે. રામ માધવના કાર્યકાળમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સરકાર બનાવી હતી. સ્મૃતિ ઈરાની રાહુલ સામે હાર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય મંચ પરથી ગાયબ થઈ ગયા હતા.

Breaking News : અમિત શાહનો કોંગ્રેસ પર મોટો પ્રહાર! “વોટ બેંક માટે વંદે માતરમ્‌નું અપમાન, દેશની જનતા સોનિયા ગાંધીને માફ નહીં કરે”

અમિત શાહે વંદે માતરમ્ ના અપમાન પર કોંગ્રેસ પક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં એક પાપ થયું છે. દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.

સોનિયા ગાંધી પર વંદે માતરમ રોકવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- વાત ખોટી, નવા કાયદા મુજબ ગવાયું

સોનિયા ગાંધીએ 'વંદે માતરમ' ગાવાનું બંધ કર્યું હોવાના ભાજપના આરોપો બાદ કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં નવી માર્ગદર્શિકા અનુસાર સંપૂર્ણ 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું, અને કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.

Maharashtra Breaking News : PM મોદી સાથે મુલાકાતો, રિસેપ્શન અને એક જ કારમાં મુસાફરી… શું NDA માં જોડાશે શરદચંદ્ર પવાર જૂથ?

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગુપ્ત બેઠકોનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શરદચંદ્ર પવારનો જૂથ, ભાજપના નજીક આવી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મહારાષ્ટ્રમાં કોઈ મોટી ઉથલપાથલ નજીક છે?

Breaking News : ઇથેનોલ વિવાદ પર ભાજપના સાંસદ ગુસ્સે, કહ્યું શું શુદ્ધ પેટ્રોલ તમારા બાપના ઘરેથી આવશે ?

વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેનાર જર્નાદન મિશ્રાએ કહ્યું કે, વિશેષજ્ઞની રાય છે કે, ઈથેનોલથી ગાડીઓના એન્જિનને કોઈ નુકસાન થતું નથી પરંતુ તેમ છતાં કારણ વગર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ: ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, 3 સામે ફરિયાદ

અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં જૂની અદાવતમાં સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી પર ABVPના કાર્યકરોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એલિસબ્રિજ પોલીસ મથકે 3 કાર્યકરો સામે ગુનો નોંધાયો છે.

જુનાગઢ માંગરોળના ભાજપના ધારાસભ્ય સામે ખેડૂત અને આપના કાર્યકરને અપશબ્દ કહેવાનો આરોપ, ધારાસભ્યે આરોપો નકાર્યા- Video

જુનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અપશબ્દો બોલવા બાબતે વિવાદમાં આવ્યા. પૂલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને AAP ના કાર્યકરને અપશબ્દો બોલ્યા હોવાનો તેમની સામે આરોપ લાગ્યો છે. જોકે ધારાસભ્યે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને નકાર્યા છે.

“તમામ સુખ સુવિધા માત્ર ગુજરાતને નહીં બિહારને પણ મળવી જોઈએ, બિહારના બાળકો માત્ર મજદૂરી કરવા તો પેદા નથી થતા”- જીત બાદ પીકેનો હુંકાર

જીત્યા બાદ પહેલુ કામ પીકે શું કરશે એ સવાલના જવાબમાં પીકે એ કહ્યુ કે મારા તરફથી જે પણ થઈ શકતુ હશે તે સુધારનું કામ કરીશ અને તે તમને આવતા 2 થી 3 મહિનાની અંદર જ જોવા મળશે. હું કોઈ બહુ મોટી મોટી વાતો કરવા નથી માગતો. મારા ધારાસભ્ય બની જવાથી બાંકીપુર બેંગલોર તો નહીં બની જાય, પરંતુ આવતા બે થી ત્રણ મહિનામાં થોડા બદલાવ જરૂર જોવા મળશે.

Breaking News : મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર

મહિલા ખેલાડીઓના જાતીય શોષણના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. 20 જુલાઈ, 2023 થી નિયમિત જામીન પર રહેલા બ્રિજભૂષણ પર 10 મે, 2024 ના રોજ આરોપ લગાવવામાં આવ્યો હતો.

સ્કોર્પિયોમાં બેસવાથી પીઠનો દુખાવો થયો તો BMC હવે ઇનોવા ખરીદશે, મુંબઈમાં કરોડોના ખર્ચ પર રાજકીય ઘમસાણ

મુંબઈ મહાનગરપાલિકામાં ફેબ્રુઆરીમાં ખરીદાયેલી સ્કોર્પિયો કાર પદાધિકારીઓને માફક ન આવતાં હવે 23 લાખથી વધુ કિંમતની નવી ઇનોવા ખરીદવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેના પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે.

‘PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે’, ‘જનરેશન ગટર’ ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી ‘સફાઈ’

પોતાના બોલકા અંદાજ માટે જાણીતા ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ સામે થઈ રહેલા વિરોધ પર તેમણે એક વીડિયો શેર કરીને પોતાની વાત સ્પષ્ટ કરી છે.

સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">