AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

Breaking News : રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, વિજેતા વિજય સખિયાનો અલ્પેશ ઢોલરિયા પર પલટવાર, જુઓ Video

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક રાજકીય વિવાદ વકર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ વિજેતા વિજય સખિયાને "બળવાખોર" ગણાવતા મામલો ચર્ચામાં આવ્યો.

Breaking News : રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, જુઓ Video

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.લોધિકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જુથનો દબદબો યથાવત જોવા મળ્યો છે. 5 બેઠક પર ગઇકાલે મતદાન થયું હતું. 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું હતું.

Breaking News : નવસારીમાં હાઈટેક ‘નમો કમલમ્ કાર્યાલય’ નું ઉદ્ઘાટન, PM મોદીએ કાર્યકરોની કર્તવ્યનિષ્ઠા અને વિકાસકાર્યોને બિરદાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં નમો કમલમ્ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. તેમણે ભાજપના કાર્યકરોની નિઃસ્વાર્થ સેવા અને લોકોપયોગી કાર્યોને બિરદાવ્યા હતા.

Breaking News : માંજલપુર ધારાસભ્યની વાણીથી વિવાદ, વડોદરામાં વ્હીકલ પુલ મુદ્દે શબ્દોની મર્યાદા ચૂકી ગયા, જુઓ Video

વડોદરાના માંજલપુર ધારાસભ્ય સતીષ પટેલ પંચશીલ મેદાન ખાતે વ્હીકલ પુલ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. તેમણે જાહેરમાં કરેલા નિવેદનોથી સંસ્કારી નગરીના લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ધારાસભ્યે શબ્દોની મર્યાદા ચૂકી હોવાના આક્ષેપ છે, જેના પર તેમણે માફી માંગવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’, દરેક ઘરે દીવો પ્રગટાવવાનો પ્રયાસ

PM Modi's birthday celebration : નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને ભારત દેશના વડાપ્રધાન તરીકેના 25 વર્ષના કાર્યકાળની ઉજવણીની સત્તાવાર શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિવસને કેન્દ્રમાં રાખીને શરૂ થનારી આ ઉજવણી દરમિયાન ગુજરાત ભાજપ દ્વારા આગામી દિવસોમાં વિવિધ લોકસેવા અને જનભાગીદારીના કાર્યક્રમો યોજવામાં આવશે.

Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ

પાયલ ગોટી લેટરકાંડ પ્રકરણમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આક્ષેપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આયોગ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વડનગરથી વારાણસી સુધી શું છે ભાજપનો મોટો પ્લાન? PM મોદીના જન્મદિવસે શરૂ થશે ખાસ અભિયાન

ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વારાણસી અને વડનગરને જોડતું એક મહિનાનું જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 17 સપ્ટેમ્બરે પ્રારંભ થનારી આ યાત્રામાં 10-10 ટીમો દરરોજ 100 કિ.મી. પ્રવાસ કરી મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે.

વરાછાને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાનું નથી, MLA કુમાર કાનાણીએ મેયરને લખ્યો પત્ર

કતારગામના કોર્પોરેટર દ્વારા બ્રિજના વિરોધ બાદ રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું- 'વરાછાના લોકોને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી'

Breaking News: ‘કાશ્મીરી પંડિતોની મજાક ચલાવી નહીં લેવાય…’, Samay Raina અને Sharon Verma પર ભડક્યા BJP ના ધારાસભ્ય

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાનો પોપ્યુલર શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2' ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયો છે. Show ના એક એપિસોડમાં સમય રૈના અને કોમેડિયન શેરોન વર્મા વચ્ચે બિહારી-કાશ્મીરી ઓળખ પર થયેલી રમુજી બોલાચાલી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે.

Breaking News : ‘હેતની હવેલી’ 21 એકરનું સરોવર… અમરેલીના વિકાસ માટે અમિત શાહની મોટી ભેટ, જુઓ Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરેલીના દુધાળા ખાતે હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કર્યું. આ સરોવર હરિકૃષ્ણ ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયાના જળ સંરક્ષણ પ્રયાસોનો ભાગ છે.

Breaking News : નીતિન ગડકરીએ કર્યો સક્રિય રાજનીતિ છોડવાનો ઈશારો ? કહ્યું- હું હવે વધુ કામ નથી કરી શકતો, નવા લોકો આગળ આવે

નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ, જાહેર જીવનમાં ઘણા વર્ષોની સેવા સાથે શારીરિક થાકને સ્વીકારતા, એવી ટિપ્પણી કરી હતી કે, "હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. હવે, નવી પેઢીએ આગળ આવવું જોઈએ."

Breaking News : Gujarat Election 2027 ને લઈ RSS અને સરકારની સંકલન બેઠક, અનેક મુદ્દાઓ પર મંથન, જુઓ Video

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે RSS અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ છે. બે દિવસીય આ બેઠકમાં RSS અને ભગિની સંસ્થાઓના આગેવાનો, ઉપરાંત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નંબર પ્લેટ વગર પેટ્રોલ કોણે આપ્યું? રાજકોટમાં ભાજપ ધારાસભ્ય દર્શિતા શાહ બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ સવાલોના ઘેરામાં

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહની આગેવાનીમાં યોજાયેલી બાઈક રેલી વિવાદમાં સપડાઈ છે. વીડિયોમાં, ધારાસભ્ય જે બાઈક પર હતા તેની નંબર પ્લેટ નહોતી, અને હેલ્મેટ નિયમોનો પણ ભંગ થયો હતો.

Breaking News : ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી, જુઓ Video

ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચૂગને જવાબદારી સોંપવામાં આવી છે, તરુણ ચૂગ રાજ્કીય નેતૃત્વ સાથે જોડાયેલા છે. પ્રભારી તરીકેની જવાબદારી ખુબ ખાસ હોય છે. તરુણ ચૂગ અનેક વખત ગુજરાતના કાર્યક્રમમાં આવી ચૂક્યા છે.

ભાજપમાં અરણ્યવાસમાં ઘકેલાયેલા સ્મૃતિ ઈરાનીને બનાવાયા રાષ્ટ્રીય મહામંત્રી, નીતિન નબિનની 49 સભ્યોની ટીમમાં 4 ગુજરાતી

ગુજરાતમાં એક લોકપ્રિય કહેવત છે કે, ઘરડા ગાડા વાળે. આ કહેવતને ભાજપ રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવા જઈ રહી છે. રાજકારણના અરણ્યવાસમાં ધકેલી દિધેલા નેતાઓને, ભાજપે માનભેર રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. આ નેતાઓમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવનો સમાવેશ થાય છે. રામ માધવના કાર્યકાળમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સરકાર બનાવી હતી. સ્મૃતિ ઈરાની રાહુલ સામે હાર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય મંચ પરથી ગાયબ થઈ ગયા હતા.

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">