AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

ચૂંટણી ટાણે ભાજપમાં જૂનો દાવ ફરી રમાયો, સોશિયલ મીડિયામાં નનામી પત્રિકા થઈ વાયરલ, જુઓ વીડિયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે, ભાજપના કોઈ જાણકાર કાર્યકરે, જૂનો દાવ નવેસરથી અજમાવ્યો છે. ભાજપના લેટરહેડ જેવી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. આ પત્રિકામાં ઉમેદવારની પસંદગી અને તેણે કરવાના અને ના કરવાના કામનો ઉલ્લેખ છે. જો કે, આ પત્રિકા અંગે ભાજપે હજુ સુધી ખોખારીને કાંઈ પણ કહ્યું નથી.

“ભાજપે હવે ઢાંકણીમાં પાણી લેવું જોઈએ” ગેનીબેને પ્રજા વચ્ચે જઈને ખોલી દીધી વિકાસની અસલી પોલ – જુઓ Video

ચૂંટણી આવે ત્યારે જ કેમ જાગે છે ભાજપ? આ સવાલ આજે વાવની ધરતી પરથી ગેનીબેન ઠાકોરે પૂછ્યો છે. ધરણીધર ખાતે યોજાયેલી બેઠકમાં ગેનીબેને ભાજપની દુખતી નસ પર હાથ મૂકતા જણાવ્યું કે, 30 વર્ષથી સત્તામાં રહેલ પક્ષને આજે પણ ચૂંટણી લડવા માટે કોંગ્રેસના જ નેતાઓ કેમ ઉછીના લેવા પડે છે?

Breaking News : ગુજરાત ભાજપના કાર્યકરોની મુંગી વેદનાને વાચા આપતા ધારાસભ્ય, કહ્યું બહારનાને ટિકિટ આપે તો વિરોધ કરો-Video

ભાજપના વરિષ્ઠ ધારાસભ્યે એમ પણ કહ્યું છે કે, જે તે વિસ્તારમાં કામ કરનાર કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. બહારથી આવેલા કાર્યક્ર કે ઉમેદવારને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી.” આ નિવેદનથી ભાજપના સ્થાનિક સ્તરે ટિકિટ માટે ચાલી રહેલી દોધાધાડ અને પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ પર પ્રકાશ પડ્યો છે.

Breaking News: PM મોદીએ સંજુ સેમસનની કરી પ્રશંસા, દબાણવાળી મેચોમાં મેચવિનિંગ પ્રદર્શનના કર્યા વખાણ

T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન હતો. તેણે મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.

Breaking News : ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરુ, ઉમેદવારી નોંધાવવા સોશિયલ મીડિયાના ફોલોવર્સની સંખ્યા દર્શાવવી પડશે

ગુજરાતમાં તાલુકા જિલ્લા અને મહાનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે. આજે અમદાવાદ સહિતની સેન્સ પ્રક્રિયાનો પ્રથમ દિવસ છે. સારા ઉમેદવાર આવે, મજબૂત નેતૃત્વ આવેએ રીતે ચયન પ્રક્રિયા કરાશે, કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરશે.ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના ક્રાઇટેરિયા વિશે વાત કરીએ.

Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો અને કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. એક સાથે અંદાજે 50 જેટલા કાર્યકરોએ પક્ષ પલટો કરતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના ચૂંટણી પહેલા પક્ષોની સ્થિતિ પર સીધી અસર કરી શકે છે.

2 વખત સાંસદ, 4 વખત ધારાસભ્ય, 30 વર્ષ પછી કોંગ્રેસનો હાથ છોડનાર પ્રદ્યુત બોરદોલોઈનો પરિવાર જુઓ

આસામના કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ અપમાનના આરોપો વચ્ચે રાજીનામું આપ્યું, જેના કારણે નિશિકાંત દુબે સહિત અનેક નેતાઓએ કોંગ્રેસની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.પ્રદ્યુત બોરદોલોઈનો પરિવાર જુઓ.

Breaking News: વાવ-થરાદમાં પીએમનો હુંકાર… ગુજરાત વિરોધી માનસિકતાને કારણે ડીસા એરબેઝમાં થયો વિલંબ, મોદીએ વિપક્ષને બરાબરના ઝાટક્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના વાવ-થરાદની મુલાકાત લઈને રાજ્યને ₹19,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ખાસ કરીને ડીસા એરબેઝના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભાજપના નેતા સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદથી ખળભળાટ, સહદેવસિંહ જાડેજા સહિત 9 લોકો સામે ગુનો નોંધાયો – જુઓ Video

રાજકોટ જિલ્લા ભાજપના નેતા અને પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ખાણ ખનીજ વિભાગે ગોંડલના ભૂણાવા ગામે સરકારી જમીનમાંથી થયેલી ચોરી બદલ આ કાર્યવાહી કરી છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ

ભવાનીપુર અને નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કહ્યું, "લોકો મમતા બેનર્જીને હાંકી કાઢવા જઈ રહ્યા છે. તેઓ એવા મુખ્યમંત્રી છે જેમણે 15 વર્ષમાં રાજ્યનો નાશ કર્યો છે." તો આજે આપણે સુવેન્દુ અધિકારીના પરિવાર વિશે જાણીશું.

મોરબી ભાજપમાં ડખ્ખો, સ્વાગત કાર્યક્રમના નામે કાંતિ અમૃતિયા જૂથે વિરોધીઓને રહેંસી નાખ્યા, જુઓ વીડિયો

આ સ્વાગત કાર્યક્રમમાં મંચ ઉપરથી વકતાઓએ કાંતિ અમૃતિયાની વાહવાહી કરાવાની સાથે સાથે કોણ વિરોધીઓને સૌથી વધુ ચાબખા મારે છે તેની સ્પર્ધા રાખવામાં આવી હોય તેવો માહોલ થયો સર્જાયો હતો.

ભાજપના નેતાનો ભાઈ એટલે કાયદાથી ઉપર? રિવોલ્વર અને ધારિયા સાથે સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો, ખાખી કેમ કઈ ના કરી શકી? – જુઓ Video

વડોદરાના કરજણમાંથી ભાજપના અગ્રણી નેતાના ભાઈની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાજપ નેતા ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર સિક્યુરિટી જવાન પર ધારિયા વડે હુમલો કરવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

અમદાવાદના જુહાપુરામાં પાંચ જંગલેશ્વર થાય એટલી સરકારી જમીન પર છે ગેરકાયદે દબાણઃ વિધાનસભામાં અમિત ઠાકરે કર્યો ઘટસ્ફોટ

અમિત ઠાકરે વિધાનસભા સંકુલની બહાર મીડિયા સાથે વાત કરતા એવુ જણાવ્યું હતું કે, અમદાવાદની ભૌગોલિક સ્થિતિ બદલી નાખવા માટે કેટલાક તત્વો કામે લાગ્યા છે. જેના કારણે આજે  ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર,પાલડી, જુહાપુરા, ફતેહવાડી કેનાલ કે જે ખેડાને સ્પર્શે તે ત્યાં ભારતભરમાંથી લોકોને વસાવીને વસ્તી વધારાઈ રહી છે.

Navsari : 2022 ખેરગામ હિંસા કેસ… વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપી સામે 2000 પાનાની ચાર્જશીટ, જુઓ Video

નવસારીના ખેરગામ હિંસા કેસમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. ડિસેમ્બર 2022માં થયેલી હિંસા અને તોડફોડ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં 'ઢોંસા' બન્યા કાળ: બે માસૂમ બાળકીઓના મોત
અમદાવાદમાં 'ઢોંસા' બન્યા કાળ: બે માસૂમ બાળકીઓના મોત
પાટણની ARTO કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા દોડધામ મચી
પાટણની ARTO કચેરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા દોડધામ મચી
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">