ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
Breaking News : આણંદમાં ભાજપના MLA ના નિધન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video
ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લાની આ બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરાશે.
- TV9 Gujarati
- Updated on: Mar 15, 2026
- 8:08 pm
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video
આજે વિધાનસભામાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકારને આકરા સવાલ કર્યા. સાથોસાથ સરકાર સામે સોમનાથમાં મંદિરો, મસ્જિદો, દરગાહો અને સાધુ સંતોની સમાધિ તોડવાનો પણ આક્ષેપ કર્યો.
- TV9 Gujarati
- Updated on: Mar 15, 2026
- 3:12 pm
Breaking News : PM મોદીની રેલી પૂર્વે કોલકાતામાં હિંસક અથડામણ, TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો
કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગિરીશ પાર્ક નજીક થયેલા પથ્થરમારામાં એક પોલીસકર્મી અને એક ભાજપના નેતા સહિત બે લોકો ઘાયલ થયા હતા.
- Sagar Solanki
- Updated on: Mar 14, 2026
- 5:27 pm
Breaking News: ભાજપ નેતાની ‘ગૌ-ભક્તિ’ ઉઘાડી પડી… ગૌશાળાના કરોડોના વહીવટમાં ગોટાળાનો પર્દાફાશ – જુઓ Video
બનાસકાંઠાના વાવ તાલુકામાં ગૌશાળાના નામે મોટી ઉચાપતનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે. માવસરી ગામની ધરણીધર ગૌશાળાના વહીવટમાં 1.24 કરોડના ગોટાળાના આક્ષેપ સાથે ભાજપના પૂર્વ પ્રમુખ ઘેરાયા છે.
- Ravi Prajapati
- Updated on: Mar 8, 2026
- 8:09 pm
ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પર ઘાતકી હુમલો, ખાતમૂહ્રત દરિમયાન થઈ ભાગમભાગી – જુઓ Video
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતકી હુમલો થયો છે. આ હુમલો સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં જ થયો હતો, જેના કારણે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 8, 2026
- 6:19 pm
Breaking News : પૂર્વ મંત્રી અને આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન, જાણો શું હતું કારણ, જુઓ Video
આણંદ જિલ્લાના ઉમરેઠના બે ટર્મના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે. આણંદમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2026
- 10:07 pm
‘PK’ નું પ્રમોશન… પહેલા ભાજપ યુવા મોરચાની કમાન, હવે નવા સંગઠનમાં સૌથી પાવરફુલ મહામંત્રીનો કાર્યભાર- કોણ છે JV ના વિશ્વાસુ ‘PK’?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે સંગઠનની નવી ટીમ ફાઈનલ કરી દીધી છે. ગુજરાત ભાજપની કમાન જ્યા પૂર્વ મંત્રી જગદિશ વિશ્વકર્માના હાથોમાં છે, ત્યારે નવી ટીમમાં પ્રશાંત કોરાટ 'પીકે'ને યુવા મોરચાની કમાન સોંપાઈ છે. ગુજરાત ભાજપે જે પ્રકારની જવાબદારી તેમને સોંપી છે તેને જોતા તે સંગઠનમાં ઘણા શક્તિશાળી મંત્રી બની ગયા છે.
- Mina Pandya
- Updated on: Mar 3, 2026
- 5:18 pm
ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video
સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા અને જેતપુરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકસાથે જોવા મળ્યા છે. સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા. 13 દિવસમાં બંનેની આ બીજી મુલાકાત છે.
- TV9 Gujarati
- Updated on: Mar 2, 2026
- 1:27 pm
ગુજરાતમાં દારૂબંધી પર ‘મહાભારત’! વિધાનસભામાં મંત્રી મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચે બરોબરની જામી – જુઓ Video
ગુજરાત વિધાનસભાના મેદાનમાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન દારૂબંધીના મુદ્દે ભયંકર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં એક સનસનીખેજ દાવો કરતા વાતાવરણ ગરમાયું હતું.
- TV9 Gujarati
- Updated on: Feb 27, 2026
- 8:18 pm
સાંસદ મનસુખ વસાવા DyCM સંઘવીની હાજરીમાં બન્યા બેફામ, MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, સાંસદ એકાએક આગ બબુલા થઈને ચૈતર વસાવા ઉપર ભડકી ઉઠ્યા હતા. મનસુખ વસાવાએ, સામાન્ય રીતે જાહેર મંચ ઉપરથી વિરોધી માટે ના બોલાય તેવી શૈલીમાં ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 8:13 pm
Breaking News : ભાજપના ધારાસભ્યે માંગી રૂપિયા 11 લાખની લાંચ, 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા, PA અને PSની પણ અટકાયત
દક્ષિણ ભારતના કર્ણાટકમાં, ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાનીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. લોકાયુક્ત પોલીસે ધારાસભ્ય, તેમના પીએ અને પીએસને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2026
- 11:26 am
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે, સાંસદ અને ધારાસભ્યોના લીધા ક્લાસ, જુઓ Video
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને તેમની નિષ્ક્રિયતા બદલ કડક ટકોર કરી છે. તેમણે નેતાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા, ઘરેથી નહીં પરંતુ કાર્યાલયેથી કામ કરવા અને લોકોની રજૂઆતો સાંભળવા પર ભાર મૂક્યો છે.
- Ronak Varma
- Updated on: Feb 20, 2026
- 7:41 pm
જામનગર મનપામાં રામરાજ નહીં રાવણરાજ, કમિશન વગર કોઈ કામ થતા ના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગરના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ, રાવણનો પરીવેશ ધારણ કરીને ભાજપ શાસિત મનપા સામે પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 2:54 pm
“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video
ટ્રેડ ડીલ (FTA) મામલે રાજનીતિ ગરમાઈ છે. ખેડૂતોના હિતના નામે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા સીધો પડકાર ફેંક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 3:50 pm
Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 1:10 pm