![ભારતીય જનતા પાર્ટી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/Bharatiya-Janata-Party.jpeg)
ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
ગુજરાતની સહકારી મંડળીઓને NCDC ની નાણાકીય સહાયમાં 1470% નો ઉછાળો, પરિમલ નથવાણીના પ્રશ્ન પર અમિત શાહનો પ્રત્યુત્તર
નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2024
- 9:57 pm
સુદર્શન સેતુ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને લીધી આડેહાથ, કહ્યુ કોંગ્રેસના નેતાઓ બ્રિજની રૂબરૂ લે મુલાકાત- Video
દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે સુદર્શન સેતુના સળિયા દેખાવા લાગ્યા હોવાનો કોંગ્રેસ પ્રહાર કરવામાં આવ્યો આ અંગે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને આડે હાથ લીધી. મોઢવાડિયાએ કહ્યુ મે ખુદ બ્રિજનું નિરીક્ષણ કર્યુ છે બ્રિજમાં માત્ર સામાન્ય ક્ષતિ આવી છે અને વિશ્વાસ ન હોય તો કોંગ્રેસના નેતાઓ રૂબરૂ મુલાકાત લે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2024
- 7:25 pm
RSS News : સરકારી કર્મચારીઓ પરનો RSSમાં પરનો પ્રતિબંધ હટાવી લેવાયો? જાણો શું છે સમગ્ર મામલો
ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ અંગે કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે. જાણો શું છે સમગ્ર મામલો.
- Dhinal Chavda
- Updated on: Jul 22, 2024
- 8:08 pm
શું મોદી સરકાર Budget 2024 માં પોતાનું વચન કરશે પૂરું ? 3140000 લોકોને થશે સીધો ફાયદો
Budget 2024માં આવકવેરાના મામલામાં રાહતની આશા ઓછી છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને કૃષિ ફાળવણીમાં વધારો અને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પગલાં પર ભાર મૂકવાની શક્યતા છે. કેટલાક નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે સરકાર મેનિફેસ્ટોમાં આપેલા વચનને પૂર્ણ કરી શકે છે.
- Sagar Solanki
- Updated on: Jul 21, 2024
- 11:42 pm
‘બંધારણ બતાવવાથી સત્ય નહીં બદલાય’, અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, જુઓ Video
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજકાલ રાહુલ ગાંધી બંધારણ પ્રત્યે વધુ પ્રેમ બતાવી રહ્યા છે પરંતુ બંધારણની પ્રતિ દેખાડવાથી સત્ય બદલાશે નહીં. ઠાકુરે કહ્યું કે જો કોઈએ બંધારણનું અપમાન કર્યું છે તો તે કોંગ્રેસ અને ગાંધી પરિવાર છે.
- Sagar Solanki
- Updated on: Jul 21, 2024
- 8:02 pm
PM મોદીના મંત્રીની કારનો ભયાનક અકસ્માત, જિતિન પ્રસાદને માથાના ભાગે થઈ ઈજા
PM મોદીની કેબિનેટના મંત્રી જિતિન પ્રસાદનો અકસ્માત થયો હતો જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. કેન્દ્રીય મંત્રી તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે હતા. આ દરમ્યાન તેમનો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2024
- 6:39 pm
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ થશે ફેરફાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત ગુજરાત ભાજપ આ તમામ ચૂંટણીઓ સી આર પાટીલની આગેવાનીમાં લડશે, તેવા સંકેત પણ આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે યોજાયેલી 2 બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનથી મળી રહ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Jul 19, 2024
- 5:25 pm
ઉત્તરપ્રદેશમાં ભાજપ વિધાનસભાની પેટાચૂંટણીમાં મુસ્લિમને આપશે ટિકિટ ?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાની 10 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને તમામ પ્રભારી મંત્રીઓને મળ્યા હતા. તેમણે તેમના વિસ્તારમાં અલગ-અલગ દરેક જૂથની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ ઉમેદવારોનો મુદ્દો પણ સામે આવ્યો હતો. બેઠકમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 17, 2024
- 2:14 pm
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરો નાખુશ, બેઠકમાં કોઈ હાજર ના રહ્યું, જુઓ વીડિયો
ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી છે. ભાજપના જ ગોવા રબારી સામે માર્કેટયાર્ડના ડિરેક્ટરોમાં જ અસંતોષની સ્થિતિ જોવા મળી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં માત્ર ચેરમેન ગોવા રબારી સિવાયના ડિરેક્ટરો હાજર જ રહ્યા નહોતા. આમ ભાજપના જ ડિરેક્ટરો નાખુશ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 16, 2024
- 4:41 pm
નીતિન પટેલે કોંગ્રેસ પર નિશાન તાક્યું, રાહુલના ‘ઘોડાવાળા’ નિવેદન પર કટાક્ષ, જુઓ વીડિયો
નીતિન પટેલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન તાકતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગત 6 જુલાઈએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસની ખામી હોવાનું સ્વિકાર કર્યું હતુ. જેને લઈ કહ્યુ હતુ કે, બે ઘોડાઓ છે જેમાં એક રેસનો અને બીજો ઘોડો લગ્નમાં નચાવવા માટેનો હોય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jul 15, 2024
- 5:36 pm
Budget 2024 : બજેટ માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં ખર્ચાય છે ? અહીં સમજો એક એક રૂપિયાનો હિસાબ
આવતા અઠવાડિયે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ એ સરકારના ખર્ચ અને આવકનો હિસાબ છે. પરંતુ શું તમે જાણો છો કે સરકારને બજેટના પૈસા ક્યાંથી મળે છે અને તે ક્યાં ખર્ચે છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ બજેટના દરેક રૂપિયાનો હિસાબ...
- Sagar Solanki
- Updated on: Jul 15, 2024
- 9:46 am
સાંસદ બન્યા પણ એટીટ્યુડ ના છૂટ્યો, કંગના રનૌતે કહ્યું- મને મળવું હોય તો આધારકાર્ડ લઈને આવજો, સર્જાયો ભારે વિવાદ
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતેલી કંગના વિવાદને વકરાવે તેવા નિવેદન કર્યાં છે. કંગના રનૌતે વધુમાં કહ્યું કે, "તમે સંસદીય ક્ષેત્રને લગતી કોઈપણ સમસ્યા માટે કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. જો તમને લાગે કે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી કોઈ બાબત છે, તો અમને જણાવો."
- TV9 Gujarati
- Updated on: Jul 12, 2024
- 2:39 pm
અંકલેશ્વરમાં નોકરીની ભીડ મુદ્દે ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધી અને મુમતાઝ પટેલે ભાજપ પર સાધ્યું નિશાન, ભાજપે કર્યો પલટવાર, જુઓ Video
ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતા રાજ્યો પૈકીનું એક હોવાના દાવાને પોલ અંકલેશ્વરમાં હોટેલમાં રખાયેલા એક વોક ઇન ઇન્ટવર્યૂ ખુલી છે. ગુજરાત જ નહિં પરંતુ દેશના મુખ્ય ઔદ્યોગિક હબમાં જેની ગણના થાય છે તેવા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ 5 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરી હતી.જેમાં 4 હજાર 50 અરજદારો ઉમટી પડ્યા હતા. હવે આ વીડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયુ છે.
- Ankit Modi
- Updated on: Jul 12, 2024
- 10:54 am
Ahmedabad Video : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી કોર્ટે ફગાવી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 11, 2024
- 2:56 pm
વિપક્ષી નેતાને જોઈ BJP નેતા મંચ પર લેવા નીચે દોડી ગયા, મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, જુઓ વીડિયો
આ વીડિયો રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.
- Avnish Goswami
- Updated on: Jul 8, 2024
- 8:20 pm