ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
Tata Group ના ટ્રસ્ટે ભાજપને આપ્યા 357 કરોડ, કોંગ્રેસને મળ્યા 77 કરોડ, જાણો અન્ય દળોને કેટલા મળ્યા?
ઈલેક્ટોરલ ટ્રસ્ટોનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખતમ કર્યા બાદ પણ ભાજપની ફન્ડીંગ પર કોઈ મોટી અસર નહીં થાય.
- Mina Pandya
- Updated on: Dec 3, 2025
- 3:14 pm
રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો
આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 1, 2025
- 2:35 pm
ભાજપના વળતા પાણીની રાહ જોનારા સાંભળી લે, પશ્ચિમ બંગાળ-તમિલનાડુમાં પણ ભગવો લહેરાશેઃ અમિત શાહ
અમિત શાહે તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ બિહારમાં કોંગ્રેસનો ખુદડો નીકળી ગયો તેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂદડો બોલી જવાનો છે. કોંગ્રેસ શોધી પણ નહીં જડે.
- TV9 Gujarati
- Updated on: Nov 21, 2025
- 6:58 pm
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પરિવાર વિશે જાણો
1987માં શાળાના પિકનિક દરમિયાન થયેલા અકસ્માતથી પટેલનો રાજકારણમાં પ્રવેશ શરૂ થયો હતો.તો આજે આપણે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Nov 21, 2025
- 9:09 am
શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ
પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.
- Mina Pandya
- Updated on: Nov 14, 2025
- 3:50 pm
માતા-પિતા અને દીકરાનો એક જ સીટ પર રહ્યો છે દબદબો, આવો છે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો પરિવાર
સમ્રાટ ચૌધરીને ઉપનામ રાકેશ કુમાર દ્વારા પણ ઓળખવામાં આવે છે, જે હાલમાં બિહારના 8મા નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી બિહાર વિધાન પરિષદના સભ્ય છે. આજે આપણે સમ્રાટ ચૌધરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Nov 20, 2025
- 2:54 pm
ભેંસ ચરાવી, દૂધ અને લિટ્ટી ચોખા વેચ્યા પછી સુપરસ્ટાર બન્યો, રાજકારણમાં એન્ટ્રી કરનાર ખેસારી લાલનો આવો છે પરિવાર
ખેસારી લાલ યાદવની પત્નીનું નામ ચંદા દેવી છે. ચંદા દેવી અને ખેસારી લાલ યાદવ 2 બાળકોના માતા પિતા છે. આજે આપણે એક એવા અભિનેતાના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના 7 ભાઈઓ એક જ પેન્ટ પહેરતા હતા. તો આવો છે ખેસારી લાલનો પરિવાર.
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 1:59 pm
ઉત્તર ગુજરાતનો જાણીતો ચહેરો છે ઋષિકેશ પટેલ, જુઓ પરિવારમાં કોણ કોણે છે
રાજ્યના નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લઈ ચૂક્યા છે. નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે.ઋષિકેશ ગણેશભાઈ પટેલના પરિવાર વિશે જાણીશું.
- Nirupa Duva
- Updated on: Nov 10, 2025
- 6:49 am
“હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બની રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ”- આ ધારાસભ્યે કર્યો હુંકાર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા ચૈતર વસાવાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. વસાવાએ છોટાઉદેપુરની સભામાં કહ્યુ કે મને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ અમે કોઈ સર્કસના વાઘ બનવા નથી માગતા અમે સ્વતંત્ર જંગલના વાઘ બનીને રહેવા માગીએ છીએ. ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાડાની મુલાકાતના 4 દિવસ પહેલા આપ્યુ છે.
- Mina Pandya
- Updated on: Nov 9, 2025
- 8:52 pm
મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા, 2 દીકરાના પિતા, બાબુ ભૈયાના પરિવાર વિશે જાણો
પરેશ રાવલ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મલ્ટીસ્ટારમાંથી એક છે, પરંતુ સ્ટારડમ સુધીની તેમની સફર સરળ નહોતી.તમને જણાવી દઈએ કે પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતે 1979માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.
- Nirupa Duva
- Updated on: Nov 8, 2025
- 6:44 am
કોંગ્રેસ કે ભાજપની પાર્ટી નહી પરંતુ આ નેતાને વધારે પસંદ કરે છે લોકો,આવો છે કુંવરજી બાવળિયાનો પરિવાર
કુંવરજી બાવળીયાનો રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ
- Nirupa Duva
- Updated on: Nov 5, 2025
- 7:18 am
ભાજપમાં થયો ભડકો ! માર્મિક ટ્વિટ દ્વારા દિલીપ સંઘાણીએ કોને બનાવ્યા નિશાન ?
ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી અમરેલી ગુંજી રહ્યું છે. અમરેલી ભાજપમાં ભાગલા સ્પષ્ટ દેખાય છે. ભાજપના નેતાઓ એક યા બીજા કારણે કોઈને નેતાને પક્ષની મર્યાદામાં રહીને ભીંસમાં મૂકતા આવ્યા છે. આવા સમયે અમરેલીમાં ભૂતકાળમાં બનેલા એક ચર્ચાસ્પદ કિસ્સાને દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફતે પ્રકાશમાં લાવીને, ભાજપના જ એક નેતાને નિશાન બનાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 5, 2025
- 9:23 pm
અનેક મુખ્યમંત્રી બદલાય પરંતુ આ નેતાનું મંત્રીમંડળમાં નામ ચોક્કસ હોય છે, ભાઈનું પણ રાજકારણમાં છે મોટું નામ
આજે આપણે એક એવા નેતાની વાત કરીશું. કે તેમની ટિકિટ પાર્ટી ક્યારે પણ કાપતી નથી. આ નેતા માત્ર પાર્ટીમાં ફેમસ નથી પરંતુ લોકો વચ્ચે પણ તેમની એક મોટી છાપ છે. બંન્ને ભાઈ રાજકારણમાં છે.
- Nirupa Duva
- Updated on: Nov 4, 2025
- 7:15 am
કરોડોની સંપતિના માલિક છે મનીષા વકીલ, જુઓ પરિવારમાં કોણ કોણ છે
રાજ્યનું નવું મંત્રીમંડળ રચાયું છે,સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે, મનીષા વકીલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Nov 3, 2025
- 7:27 am
રાજકીય પીચ પર ભાઈ-ભાઈ આવી ચૂક્યા છે સામસામે, ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો
અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Nov 2, 2025
- 7:27 am