AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

Bharuch : અંકલેશ્વર નગરપાલિકામાં વિકાસકાર્યોને લઈને વિવાદ, સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે મેદાને પડયા

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે નગરપાલિકામાં રાજકીય તણાવ જોવા મળ્યો છે. વિકાસકાર્યોમાં પાલિકાના ઠરાવ અને બોર્ડની મંજૂરી વિના રસ્તાઓ ખોદવામાં આવ્યા હોવાના સાશક સત્તાધીશો સામે આક્ષેપ થયા છે.

કોણ છે નિતીન નબિન ? ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ?

ભાજપે ગઈકાલ રવિવારે તેના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી. આ સાથે, જેપી નડ્ડાએ હવે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે જેપી નડ્ડાની મુદત 2024 માં પૂરી થઈ હતી, પરંતુ ભાજપ પ્રમુખની ચૂંટણીમાં કેટલીક અવરોધોને કારણે તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

2027ની વસ્તીગણતરી પદ્ધતિમાં કરવામાં આવશે મોટા ફેરફારો, જાણો સંપૂર્ણ માહિતી

ભારતની આગામી વસ્તી ગણતરી 2027 માં હાથ ધરવામાં આવશે. તે સંપૂર્ણપણે ડિજિટલ હશે અને બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્ય માટે આશરે 30 લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. ડેટા સંગ્રહ માટે મોબાઇલ એપ્લિકેશન્સ અને દેખરેખ માટે એક કેન્દ્રીય પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે. આ વસ્તી ગણતરી દેશની સમગ્ર વસ્તીને આવરી લેશે.

Breaking News : ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની કરાઇ જાહેરાત, જાણો કોણ છે બિહારના આ નેતા

ભાજપે નીતિન નવીનની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે, જેઓ હાલ બિહાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે. કાયસ્થ સમુદાયના નીતિન નવીન સંગઠન અને સરકાર બંનેમાં નોંધપાત્ર અનુભવ ધરાવે છે.

સરકારે વસ્તી ગણતરી માટે મંજૂર કર્યું બજેટ, જાણો દેશમાં એક વ્યક્તિની ગણતરી પાછળ કેટલો ખર્ચ થશે?

વસ્તી ગણતરી માટે સરકારનું બજેટ 11,700 કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર એક વ્યક્તિની ગણતરી કરવા માટે કેટલો ખર્ચ કરશે? આવતા વર્ષે વસ્તી ગણતરી શરૂ થાય ત્યાં સુધીમાં, દેશની વસ્તી વધુ વધી ગઈ હશે.

Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી

ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ પૂર્ણ, જુઓ વિકાસયાત્રાની ઝલક

આજે 12 ડિસેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.

BJP – AAPના નેતાઓ નર્મદા જિલ્લામાં આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળતા મચ્યો ખળભળાટ

ભરૂચ - નર્મદાના ભાજપના સાંસદ મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો છે, જેમાં નર્મદા જિલ્લામાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મીલીભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ ! નરેશ પટેલ-જયેશ રાદડિયાને બાથ ભીડીને એકબીજાને ગળે લગાડતા જીતુ વાઘાણી

ગુજરાતમાં તાજેતરમાં વિસાવદરની યોજાયેલ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. આગામી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત હરીફ થઈને ઊભરે નહીં તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સૌ એક હોવાનો સંદેશ, પાટીદાર આગેવાનોએ એક મંચ પર આવીને આપ્યો છે.

Tata Group ના ટ્રસ્ટે ભાજપને આપ્યા 357 કરોડ, કોંગ્રેસને મળ્યા 77 કરોડ, જાણો અન્ય દળોને કેટલા મળ્યા?

ઈલેક્ટોરલ ટ્રસ્ટોનો તાજેતરનો રિપોર્ટ જણાવે છે કે ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખતમ કર્યા બાદ પણ ભાજપની ફન્ડીંગ પર કોઈ મોટી અસર નહીં થાય.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

ભાજપના વળતા પાણીની રાહ જોનારા સાંભળી લે, પશ્ચિમ બંગાળ-તમિલનાડુમાં પણ ભગવો લહેરાશેઃ અમિત શાહ

અમિત શાહે તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ બિહારમાં કોંગ્રેસનો ખુદડો નીકળી ગયો તેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂદડો બોલી જવાનો છે. કોંગ્રેસ શોધી પણ નહીં જડે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પરિવાર વિશે જાણો

1987માં શાળાના પિકનિક દરમિયાન થયેલા અકસ્માતથી પટેલનો રાજકારણમાં પ્રવેશ શરૂ થયો હતો.તો આજે આપણે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

માતા-પિતા અને દીકરાનો એક જ સીટ પર રહ્યો છે દબદબો, આવો છે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો પરિવાર

સમ્રાટ ચૌધરીને ઉપનામ રાકેશ કુમાર દ્વારા પણ ઓળખવામાં આવે છે, જે હાલમાં બિહારના 8મા નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી બિહાર વિધાન પરિષદના સભ્ય છે. આજે આપણે સમ્રાટ ચૌધરીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

g clip-path="url(#clip0_868_265)">