ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
BMC Election Breaking news: હિન્દુત્વની વાતો કરતી સ્વર્ગસ્થ બાલ ઠાકરેની પાર્ટી શિવસેનાએ હવે BMC Electionsમાં હિન્દુઓનો સાથ છોડ્યો? મુસ્લિમોને આપી રહી ટિકિટ
BMC ચૂંટણીમાં BJPનો એક પણ ઉમેદવાર મુસ્લિમ સમુદાયનો નથી, જોકે પાર્ટીએ એક મતવિસ્તારમાંથી ઉમેદવાર ઉતાર્યો હતો. મુંબઈમાં મુસ્લિમ મતદાર આધાર 25.6 ટકા છે, જ્યારે ઉપનગરોમાં તે 19.19 ટકા છે. 2017ની ચૂંટણીમાં, તમામ પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો સહિત કુલ 360 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા.
- Devankashi rana
- Updated on: Jan 13, 2026
- 2:23 pm
ભાજપમાં કોરાણે મુકાયેલા હાર્દિક પટેલનો હુંકાર, રાજકારણમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની છતી થઈ મંછા ?
ભાજપમાં રાજકીય કોરાણે મુકાયેલા હાર્દિક પટેલની, ફરી એકવાર પાટીદાર કાર્ડ રમવાની મંછા છતી થઈ હોય તેવુ નિવેદન કર્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે પાટીદાર સમાજના યોજાયેલા જાહેર કાર્યક્રમમાં વિરમગામના ધારાસભય અને પાટીદાર નેતાએ કહ્યું કે, સમય આવ્યે ખબર પડશે કે મતદારકાર્ડ ગામડામાં રાખવાનુ હું કેમ કહું છુંં.
- TV9 Gujarati
- Updated on: Jan 13, 2026
- 3:35 pm
ગુજરાતના અમીર સાંસદ કોણ ? 10 વર્ષમાં વધી ગઈ કરોડોની મિલકત, નામ જાણી ચોંકી જશો
ADRના રિપોર્ટ મુજબ 2014-2024માં રિપીટ સાંસદોની મિલકતમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. કુલ 102 સાંસદોની સરેરાશ મિલકત 110% વધીને રૂ. 33.13 કરોડ થઈ છે. ત્યારે ગુજરાતમાં કયા ધારાસભ્ય અમીર બન્યા તેની વિગત અહીં આપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Jan 8, 2026
- 3:34 pm
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો, મિલક્તમા સૌથી વધુ વધારામાં મહારાષ્ટ્રના ઉદયનરાજે ભોંસલે પહેલા, તો જામનગરના પુનમ માડમ બીજા નંબરે
ભારતમાં 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં જીતેલા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જીતીને ત્રીજીવાર સાંસદ બનનારા સંસદસભ્યોની મિલકતમાં અધધધ વધારો થવા પામ્યો છે. સૌથી વઘુ વધારો મહારાષ્ટ્રના સાંસદ ઉદયનરાજ ભોંસલેની મિલકતમાં થવા પામ્યો છે. જેઓ દેશભરમાં પહેલા નંબરે છે, તો જામનગરના ભાજપના સાંસદ પુનમ માડમ મિલકત વધારાના ક્ષેત્રે બીજા નંબરે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2026
- 7:21 pm
ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2026
- 6:45 pm
ભાજપને રામ રામ કરીને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતના રાજકારણમાં વધુ એક ઘટના આકાર પામવા જઈ રહી છે. ભરુચના આદીવાસી ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં, મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.
- TV9 Gujarati
- Updated on: Jan 6, 2026
- 12:52 pm
વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો, જુઓ Video
વડોદરા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને આંતરિક વિવાદ વકર્યો છે. એક સન્માન કાર્યક્રમ દરમિયાન જૂના કાર્યકર બિપિન પટેલે જાહેરમાં બળાપો ઠાલવ્યો હતો. વડોદરાના ન હોય તેવા નેતાઓને પદ મળતા સ્થાનિક સંનિષ્ઠ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ કર્યો છે.
- Anjali oza
- Updated on: Jan 5, 2026
- 10:54 am
નર્મદાના સાગબારાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ, જુઓ Video
નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા તેમણે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ. વસાવાએ ખર્ચ પર સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિકાસ કાર્યક્રમના હિસાબને અપમાન ગણાવ્યો.
- Hasmukh Ramani
- Updated on: Jan 3, 2026
- 8:35 am
જો શાહરુખખાન બાંગ્લાદેશીને IPL રમાડશે તો જોવા જેવી થશેઃ ભાજપના ધારાસભ્યે આપી લુખ્ખી ધમકી
આગામી એપ્રિલમાં શરુ થનાર ક્રિકેટ લીગ આઈપીએલમાં શાહરૂખ ખાનની ટીમ દ્વારા બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ખરીદવાથી રાજકીય વિવાદ થયો છે. ગાઝિયાબાદના લોની મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોનો ઉલ્લેખ કરીને, નંદકિશોર ગુર્જરે બાગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ભારતમાં રમવા દેવાને ખોટું ગણાવ્યું અને શાહરૂખ ખાનની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 2, 2026
- 5:29 pm
ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી
ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપને પશ્ચિમ બંગાળમાં મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયાં કયાં મુદ્દાઓ હાવી રહેશે તેનો પણ આછેરો ઉલ્લેખ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 30, 2025
- 2:24 pm
Bharuch : સાંસદ મનસુખ વસાવા ફરી આકરા પાણીએ!, પેવર બ્લોકના સરકારી કામમાં ખામી દેખાતાં બ્રેક લગાવી – જુઓ Video
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સરકારી કામોમાં નબળી ગુણવત્તાને લઇ ફરીએકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. નેત્રંગમાં મુખ્યમાર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી ગુણવત્તા મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે.
- Ankit Modi
- Updated on: Dec 30, 2025
- 1:40 pm
નવસારીમાં ભાજપ નેતાના ઇલું ઇલું પ્રકરણના મેસેજ વાયરલ, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ, જુઓ Video
નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ નાયકને અનૈતિક સંબંધોના ગંભીર આરોપો બાદ પદ પરથી સસ્પેન્ડ કરાયા છે. પરણિત મહિલા સાથેના પ્રેમપ્રકરણ, વાયરલ ચેટ્સ અને 3 કરોડના બદનક્ષીના દાવાને કારણે પક્ષની છબીને નુકસાન થયું છે.
- Sagar Solanki
- Updated on: Dec 29, 2025
- 7:48 pm
અભિનેત્રી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે, જાણો ક્યારે છે મતદાન
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મહારાષ્ટ્રની સૌથી પ્રતિષ્ઠિત ચૂંટણીઓમાંની એક છે અને ભાજપ હવે આ ચૂંટણી માટે કમર કસી ચૂક્યું છે. 66 ભાજપના ઉમેદવારોની પહેલી બિનસત્તાવાર યાદી બહાર પડી ગઈ છે. રવિવારે રાત્રે ભાજપે કેટલાક ઉમેદવારોને એબી ફોર્મ આપ્યા છે,
- Nirupa Duva
- Updated on: Dec 29, 2025
- 3:14 pm
Gujarat BJP : ભાજપના નવા સંગઠનમાં ગુજરાતના કયા જિલ્લામાંથી કોને મળ્યું સ્થાન ? જાણો કયા ઝોનને મળ્યું સૌથી વધુ મહત્વ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે નવા સંગઠનની જાહેરાત કરી છે. 'નો રિપીટ' થિયરી સાથે ઘણા નવા ચહેરાઓને તક અપાઈ છે. જાણો ગુજરાતના કયા વિસ્તારમાંથી કોને સ્થાન મળ્યું.
- Kinjal Mishra
- Updated on: Dec 28, 2025
- 3:07 pm
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં, ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થવાથી, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
- TV9 Gujarati
- Updated on: Dec 28, 2025
- 9:53 am