ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
Breaking News : મધ્યમ વર્ગને લઈ PM મોદીનું મોટું નિવેદન, NDA બેઠકમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ NDA બેઠકમાં છેલ્લા 12 વર્ષના શાસનની સિદ્ધિઓ રજૂ કરી. તેમણે કોંગ્રેસની નીતિઓની આલોચના કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 8:45 pm
રાજકોટ જમીન કૌભાંડ, ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ બાબુ માટીયાની 7 કરોડ રૂપિયાની જમીન ખાલસા કરવાનો કલેક્ટરે આદેશ કર્યો છે. નવી શરતની આ જમીન પૂર્વ મંજૂરી અને પ્રીમિયમ ભર્યા વગર વેચવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 5:48 pm
Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત
કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.
- Nirupa Duva
- Updated on: Jun 10, 2026
- 1:42 pm
10 જૂને એક નવો રેકોર્ડ બનશે… નેહરુ-ઇન્દિરા-મનમોહનથી લઈને મોદી સુધી, દેશ પર કોણે કેટલા દિવસ કર્યું શાસન
PM Modi Set to Surpass Nehru Record: 10 જૂનના રોજ વડા પ્રધાન તરીકે પીએમ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડશે. ભારતમાં વડાપ્રધાનો વિવિધ રેકોર્ડ ધરાવે છે. કેટલાક વડાપ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે કેટલાક એક પણ દિવસ માટે સંસદનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્વતંત્રતાથી લઈને વર્તમાન વડા પ્રધાન મોદી સુધીના વડા પ્રધાનોની વાર્તા વાંચો.
- Meera Kansagara
- Updated on: Jun 7, 2026
- 2:24 pm
Modi Vs Nehru : તે સમયે એક પક્ષનું શાસન, હવે સેંકડો પક્ષો વચ્ચે સ્પર્ધા, ચૂંટણીના સ્તરે નેહરુ અને મોદી ક્યાં ઊભા છે?
Modi Vs Nehru : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંડિત નેહરુનો સૌથી વધુ સતત ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. ગત્ત જુલાઈમાં પીએમ મોદીએ ઈન્દિરા ગાંધીનો વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. હવે પીએમ મોદી અને પંડિત નેહરુની તુલના થઈ રહી છે. પંડિત નેહરુ એ સમય દરમિયાન પ્રધાનમંત્રી બન્યા હતા. જ્યારે વિપક્ષ ન હતો પરંતુ દેશની સ્થિતિને લઈ પડકાર ઓછા ન હતા. પીએમ મોદી આ દરમિયાન વડાપ્રધાન બન્યા જ્યારે વિપક્ષી દળોને પડકાર હતો. તો ચાલો જાણીએ ચૂંટણીના સ્તરે કોણ ક્યાં છે.
- Nirupa Duva
- Updated on: Jun 7, 2026
- 1:46 pm
10 જૂને બનશે નવો રેકોર્ડ… નેહરુ, ઇન્દિરા અને મનમોહનથી લઈને મોદી સુધી, કોણે કેટલા સમય સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યું?
નરેન્દ્ર મોદી પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 4,399 દિવસના કાર્યકાળના રેકોર્ડને તોડી નાખશે. નરેન્દ્ર મોદી દેશના પંદરમા વડા પ્રધાન છે. જ્યારે કેટલાક વડા પ્રધાનોને લાંબા સમય સુધી દેશના સર્વોચ્ચ પદ પર સેવા આપવાની તક મળી હતી, તો કેટલાકનો કાર્યકાળ ખૂબ જ ટૂંકા હતો.
- Devankashi rana
- Updated on: Jun 7, 2026
- 1:41 pm
દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ વિદેશની 3 સંસદને સંબોધી હતી, જ્યારે વર્તમાન PM મોદીએ 19 સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી 2026 દરમિયાન વિદેશની 19 સંસદોને સંબોધિત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહે 7, ઇન્દિરા ગાંધીએ 4 અને જવાહરલાલ નહેરુએ 3 વિદેશની સંસદને સંબોધી હતી. પીએમ મોદીએ, યુએસ, યુકે, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોની સંસદોમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 7, 2026
- 12:28 pm
Sabarkantha Breaking News : હિંમતનગરનો વિવાદ હવે દિલ્હી દરબારમાં, અમિત શાહ સુધી પહોંચ્યો મામલો, જુઓ Video
સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે દિલ્હી પહોંચ્યો છે. સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી ટિકિટ ફાળવણીમાં જૂથબંધી અને સમિતિઓની વહેંચણીમાં અન્યાયના આક્ષેપો કર્યા છે. આ પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 4, 2026
- 1:30 pm
Breaking News: અન્નામલાઈએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, અટકળો વચ્ચે હવે નવો પક્ષ રચવા કે જન આંદોલન કરવાની તૈયારીમાં
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને 5 પાનાનું રાજીનામું સોંપી દીધું છે. આ ઘટના બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 2, 2026
- 3:22 pm
Sabarkantha Breaking News : પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરના સામુહિક રાજીનામા, ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરોના સામુહિક રાજીનામાનો મામલો સામે આવ્યો છે.લઘુમતી વિસ્તારમાં પંદર સભ્યો અને કેટલાક સ્થાનિક આગેવાનો સાથે રવિવારે રાત્રે બેઠક યોજાઈ તેવું સૂત્રોનું કહેવું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 2, 2026
- 12:48 pm
Breaking News: ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર હુમલા બાદ મમતા બેનર્જીનો પ્રહાર, અખિલેશ યાદવે ગણાવ્યું કાવતરું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. મમતા બેનર્જીએ ભાજપ સરકારને ઘેરતા આકરા શબ્દોમાં ટીકા કરી છે, જ્યારે વિપક્ષી નેતાઓએ આ ઘટનાને લોકશાહીની હત્યા અને મોટું કાવતરું ગણાવ્યું છે.
- Sachin Agrawal
- Updated on: May 30, 2026
- 9:51 pm
Surat Breaking News : વરરાજા વિનાના જાનૈયા જેવો સુરત ભાજપના કોર્પોરેટરોનો ઘાટ, મ્યુ. બોર્ડ મળ્યું પરંતુ હોદ્દેદારો જાહેર ના કરાયા
સુરતના રાજકી વર્તુળોમાં ચર્ચાતી ચર્ચા અનુસાર, સુરત ભાજપમાં કોણ સર્વેસર્વા તેની એક લડાઈ કેટલાક સમયથી પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી આવે છે. બે બળિયાની લડાઈમાં બાકીનાને પિસાવુ પડે તેવી સ્થિતિ હાલ સુરત ભાજપમાં છે. વણલખેલ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા વગદાર નેતાઓએ, સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ માટે મગનુ નામ મરી પાડ્યુ નથી તેના કારણે આજે 28મી મેના રોજ, સુરત મનપાના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી શકાઈ નહોતી. જો કે, આ મુદ્દે મોટો વિવાદ સર્જાયા બાદ, મોવડીમંડળે નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે બોર્ડ બેઠક સમાપ્ત થયાના દોઢ-બે કલાક બાદ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: May 28, 2026
- 1:50 pm
Breaking News : ભરૂચ ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે પ્રમુખને કહ્યું માંફી માંગો! સસ્પેન્શન લેટર વાયરલ થતા નોટિસ ફટકારી
ભરૂચ : જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નયના વકીલનું કહેવું છે કે તેમની સામે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યું જેના કારણે તેમના સ્વાભિમાન અને માન-સન્માનને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે તેમણે પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવી માફી માંગવાની માંગણી પણ કરી છે.
- Ankit Modi
- Updated on: May 28, 2026
- 12:44 pm
જો દેખાણો તો હું ઉપાડી લઈશ….. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી, ઓડિયો ક્લિપ વાયરલ
પિતા પ્રમુખ બન્યાના 12 કલાકમાં પુત્રની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેણે ભારે રાજકીય ગરમાવો સર્જયો છે. વાયરલ થયેલ ક્લિપમાં, પ્રમુખ સંજય પીપળીયાના પુત્ર હર્ષિલ પીપળીયા, ભાજપના જ કાર્યકર્તાને ધમકાવતો હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: May 26, 2026
- 2:43 pm
Breaking News : TMCમાં ભાગલા નક્કી ! પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે TMCના 12 સાંસદ, મમતા સાથે ખેલા કરવાના મૂડમાં
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનર્જીની સત્તા જતા રહ્યાં બાદ, હવે 12 સાંસદો મમતા બેનર્જી સાથે ખેલા કરવાના મૂડમાં આવ્યા છે. આ સાંસદો ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલી રહી છે. જો ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાઈ જશે તો રાષ્ટ્રીયસ્તરે મમતા બેનર્જીને રાજકીય રીતે મોટો ધક્કો પહોંચશે.
- TV9 Gujarati
- Updated on: May 26, 2026
- 2:03 pm