ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
છોટાઉદેપુર: કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીના રિમાન્ડ મંજૂર, ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ
છોટાઉદેપુરના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીની દારૂના કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મધુ શ્રીવાસ્તવે તેને ભાજપની કિન્નાખોરી ગણાવી આકરા પ્રહારો કર્યા છે.
- Anjali oza
- Updated on: May 14, 2026
- 6:45 pm
Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?
Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 10:58 am
Breaking News : બંગાળમાં સુવેન્દુ અધિકારી એક્શનમાં, જો તમે સુવેન્દુ સરકારના આ નિયમોનું પાલન નહીં કરો તો તમે જેલ ભેગા થશોનો આદેશ
સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનતાની સાથે જ સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમના આ નિયમોનું પાલન કરવું જરુરી બન્યું છે. જો આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો જેલ ભેગા થવું પડશે. તો ચાલો આપણે સુવેન્દુ અધિકારીના નિયમો વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 9:36 am
Breaking News : મુલાયમ સિંહ યાદવના નાના દીકરા પ્રતીક યાદવનું નિધન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધનના સમાચાર સામે આવ્યા છે.એવું જાણવા મળી રહ્યું છે કે રાતોરાત તેમની તબિયત લથડી ગઈ હતી.પ્રતીક યાદવ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા
- Nirupa Duva
- Updated on: May 13, 2026
- 8:09 am
Breaking News: PM મોદીની ફરી એકવાર અપીલ : વિદેશી મુદ્રા બચાવવા માટે સોનું, ઈંધણ અને વિદેશી પ્રવાસનો વપરાશ ઘટાડવા જનતાને આહવાન
વૈશ્વિક સંકટ અને ખોરવાયેલી સપ્લાય ચેઈન વચ્ચે વડાપ્રધાને દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાથી લઈ એક વર્ષ માટે સોનું ન ખરીદવા સુધીની અપીલને વિવિધ એસોસિએશનોએ આવકારી છે. આ પહેલથી દેશના અબજો રૂપિયા વિદેશ જતા અટકશે.
- TV9 Gujarati
- Updated on: May 11, 2026
- 8:54 pm
ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો
પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે, સત્તા સંભાળતાવેત, બાગ્લાદેશમાંથી ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી અટકાવવા માટેનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સુવેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં પાંચ અન્ય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વડાપ્રધાન મોદીએ, પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ 4 મેના રોજ સાંજે, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધન મુજબ આયુષ્યમાન ભારત યોજના, પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે.
- TV9 Gujarati
- Updated on: May 11, 2026
- 2:31 pm
Breaking News : ચંદ્રનાથ રથ હત્યા કેસમાં 3 શૂટરની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં શુભેદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં 3 શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે.શુભેદુ અધિકારીના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા 6મેના સાંજે મધ્યગ્રામમાં તેના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: May 11, 2026
- 9:38 am
સુવેન્દુ અધિકારીના PA પર ગોળીબાર બાદ CMની એક અપીલે હિંસા અટકાવી, હજારો કાર્યકરોના જીવ બચ્યા હોવાનો દાવો!-જુઓ Video
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ગણતરીના દિવસોમાં જ સુવેન્દુ અધિકારીના PA પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના બાદ રાજ્યમાં ભીષણ હિંસા ફાટી નીકળવાની દહેશત હતી, પરંતુ મુખ્યમંત્રીએ સંયમ જાળવી કાયદો હાથમાં ન લેવાની અપીલ કરતા મોટી હોનારત ટળી હતી.
- Sachin Agrawal
- Updated on: May 10, 2026
- 9:24 pm
Breaking News : ભાજપ કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી દેવામાં આવી જુઓ વીડિયો
ભાજપ કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ આતંકવાદી હુમલાની માહિતી મળ્યા બાદ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી.દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. આતંકવાદી હુમલાની માહિતી મળ્યા બાદ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી.દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: May 10, 2026
- 9:14 am
પશ્ચિમ બંગાળમાં ભાજપનો સુવેન્દુ યુગ, પ્રધાન તરીકે શપથ લેનારા એ પાંચ પ્રધાન કોણ ?
આજે 9 મેના રોજ, ભાજપે પશ્ચિમ બંગાળમાં તેની પહેલી સરકાર બનાવી, જેમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઐતિહાસિક સમારોહમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: May 9, 2026
- 3:02 pm
કોણ છે એ 98 વર્ષના વૃદ્ધ, જેમને સુવેન્દુની શપથવિધી પહેલા PM મોદી પગે લાગ્યા ?
આજે પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. આ કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ સ્ટેજ પર એક વૃદ્ધ સજ્જનના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. આ વૃદ્ધની ઉમર આશરે 98 વર્ષ છે અને તેમનુ નામ માખનલાલ સરકાર છે. ચાલો જાણીએ, માખનલાલ સરકાર કોણ છે.
- TV9 Gujarati
- Updated on: May 9, 2026
- 1:24 pm
INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં મોટો પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીત દર્શાવે છે કે પાર્ટી હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાના આધારે પોતાની પકડ મજબૂત બનાવી રહીં છે. વિપક્ષ માટે આ ઊંડી ચિંતાનો વિષય છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 11:40 am
બંગાળમાં આજથી શુભેન્દુની સરકાર, PMથી લઈને 21 રાજ્યોના CM રાજ્યાભિષેકમાં ભાગ લેશે
શનિવારે, સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં વડા પ્રધાન મોદી અને અમિત શાહ સહિત અન્ય VIP લોકો હાજરી આપશે. સમારોહ માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંગાળમાં ભાજપ સરકાર માટે એક ઐતિહાસિક ક્ષણ છે. શપથ ગ્રહણ સમારોહ બંગાળી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે.
- Meera Kansagara
- Updated on: May 9, 2026
- 7:29 am
બંગાળમાં અમિત શાહનું એલાન! ઘૂસણખોરી ભૂતકાળ બનશે અને ‘સોનાર બાંગ્લા’નું સપનું થશે ‘સાકાર’
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના વિકાસ અને સુરક્ષા માટે એક નવી આશા જગાવી છે. તેમણે જણાવ્યું કે, 'સોનાર બાંગ્લા' એટલે કે સુવર્ણ બંગાળનું જે સપનું આપણે જોયું છે, તે હવે ટૂંક સમયમાં સાકાર થશે.
- Ravi Prajapati
- Updated on: May 8, 2026
- 6:03 pm
Breaking News: ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચાયું ‘મોટું નામ’, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના ‘નવા મુખ્યમંત્રી’
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ ભાજપે આજે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી દીધી છે. સુવેન્દુ અધિકારી રાજ્યના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. હવે શનિવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
- Ravi Prajapati
- Updated on: May 9, 2026
- 1:03 pm