AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

Breaking News : ઠાકોર સમાજનું બંધારણ મજબૂત કરવા ખર્ચવિહીન લગ્નોનું આયોજન : પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું ઉદાહરણ, જુઓ Video

વાવ થરાદમાં રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરની દીકરી અને ભત્રીજીના સાદગીપૂર્ણ લગ્ન સંપન્ન થયા છે. ઠાકોર સમાજના બંધારણને મજબૂત કરવા આ અનોખા લગ્નોનું આયોજન કરાયું હતું. સાદા મંડપ, ડીજે વગર અને પત્રિકા વિના ફોન દ્વારા આમંત્રણ આપીને, સમાજમાં સુધારો લાવવાનો સંદેશ આપવામાં આવ્યો. સમાજે પણ આ નિર્ણયને આવકાર્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહ્યો – જુઓ વીડિયો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું છે કે, ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે.

Breaking News : “સમાજનો ભૂવો હું બન્યો છું, નાળિયેર કઈ બાજુ ફેંકવું હું જાણું છું”, ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર, જુઓ Video

ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં હજારો લોકો ઉમટી પડ્યા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ સમાજમાંથી દારૂ જેવા કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આર્થિક સશક્તિકરણ માટે એકતા સાધવાનો હાકલ કર્યો. સમાજના વિકાસ માટે સત્તા અને સંસ્થાની આવશ્યકતા પર પણ ભાર મુકાયો.

Breaking News : ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્ય બાબુ જમના પટેલે કોને જવાબદાર ઠેરવ્યા, જુઓ Video

અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં ચાર વર્ષના વિલંબથી ખેડૂતોને ભારે હાલાકી પડી છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવ્યા છે અને સિંચાઈ વિભાગ દ્વારા અચાનક પાણી છોડવાના કારણે બારસો કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો હોવાનું જણાવ્યું છે. સમયસર કામગીરી પૂર્ણ ન થવાથી ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાયો છે.

ભાજપની રાજકીય લેબોરેટરી એવા ગુજરાતમા, SIR પ્રક્રિયામાં BJPના કાવાદાવા સફળ રહ્યાં તો દેશભરમાં તેનો અમલ કરશેઃ ભરતસિંહ સોલંકી

ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની રાજકીય પરીક્ષણ કરવા માટેની લેબોરેટરી છે. આ રાજકીય લેબોરેટરીમાં ભાજપ હાલમાં, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર 7 વડે ચોક્કસ વર્ગના મતદારોના નામ દૂર કરવાનો પ્રયોગ કરી રહ્યું છે. જો આ રાજકીય પરીક્ષણ ગુજરાતમાં સફળ રહ્યું તો દેશના વિભિન્ન રાજ્યોમાં પણ તેનો અમલ કરવામાં આવશે તેવો આરોપ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ લગાવ્યો છે.

Breaking News : વડોદરામાં ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video

વડોદરામાં ભાજપ સાંસદ હેમાંગ જોશીએ કાર્યકર્તાઓની પ્રશંસા કરતા ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ ને કાર્યકર્તાઓ કેમ ગાળા ગાળી કરે છે. આ નિવેદનથી ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ સર્જાયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પિતા વકીલ, બહેન ફિલ્મ કંપનીની ચેરપર્સન, પત્ની પ્રોફેસર, બનેવી કોંગ્રેસના મોટા નેતા આવો છે ભાજપના દિગ્ગજ નેતાનો પરિવાર

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદ સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી જાણીએ. રવિ શંકર પ્રસાદને 2 બહેનો છે. જ્યારે તેની દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે.

SIR ની કામગીરી સામે કોંગ્રેસનો સૌથી મોટો આરોપ, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી નામ કઢાવવા અરજી થયાનો દાવો

રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે. વાત એમ છે કે, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.

Breaking News : ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો, જુઓ Video

જૂનાગઢમાં ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દસ વર્ષથી આ ટોળકી દ્વારા હત્યા, ખંડણી, અને મિલકત પચાવી પાડવા સહિતના 28થી વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી રાજકારણમાં ભારે ચકચાર મચી છે.

Breaking News : આજથી નબીન મારા બોસ અને હું તેમનો કાર્યકર, નવા ભાજપ અધ્યક્ષની તાજપોશી પર બોલ્યા PM મોદી

પીએમ મોદીએ કહ્યું, "ભાજપ એક સંસ્કૃતિ છે. ભાજપ એક પરિવાર છે. સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદ નહીં, પ્રક્રિયા દ્વારા ચાલે છે. પદ એક સિસ્ટમ છે, અને સોંપણીઓ જીવનભરની જવાબદારીઓ છે.

Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી

Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.

ભાજપના મહિલા ધારાસભ્યે કહ્યું – છ મહિનાની રજૂઆત ફળી ! ગુજરાત સરકારે રાજકોટ પશ્ચિમમાં અશાંત ધારો 2031 સુધી લંબાવ્યો

રાજકોટ શહેરના સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લંબાવવા માટે સ્થાનિક રહીશોની, સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહની રજૂઆતનો છ મહિને ઉકેલ આવ્યો છે. ગુજરાત સરકારે અશાંત ધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.

BMC Election Breaking: BMCના ચૂંટણી પરિણામો બાદ શિંદે સેનાને હોર્સ ટ્રેડિંગનો ડર.. ચૂંટાયેલા કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કરાયા શિફ્ટ..

ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. 25 વર્ષ પછી, ભાજપ પોતાના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે. એકનાથ શિંદે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી તેમની સોદાબાજી શક્તિમાં પણ વધારો થયો છે. કદાચ આ જ કારણ છે કે શિવસેના હોટલ રાજકારણનો આશરો લઈ રહી છે.

ઈટાલિયાની સભામાં ફરી જૂતાકાંડ! માળિયાહાટીનામાં ઇટાલિયા પર જૂતું ફેંકનારની અટકાયત, સસ્તી પ્રસિદ્ધી માટે આવા કૃત્ય કરાવતા હોવાનો ભાજપનો આરોપ – જુઓ Video

જૂનાગઢના માળિયા હાટીનામાં યોજાયેલી એક જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા, જ્યારે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ વાક્પ્રહાર કર્યા.

g clip-path="url(#clip0_868_265)">