ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા, 2 દીકરાના પિતા, બાબુ ભૈયાના પરિવાર વિશે જાણો
પરેશ રાવલ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મલ્ટીસ્ટારમાંથી એક છે, પરંતુ સ્ટારડમ સુધીની તેમની સફર સરળ નહોતી.તમને જણાવી દઈએ કે પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતે 1979માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.
- Nirupa Duva
- Updated on: Nov 8, 2025
- 6:44 am
કોંગ્રેસ કે ભાજપની પાર્ટી નહી પરંતુ આ નેતાને વધારે પસંદ કરે છે લોકો,આવો છે કુંવરજી બાવળિયાનો પરિવાર
કુંવરજી બાવળીયાનો રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે કુંવરજીભાઈ બાવળિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વિસ્તારથી વાત કરીએ
- Nirupa Duva
- Updated on: Nov 5, 2025
- 7:18 am
ભાજપમાં થયો ભડકો ! માર્મિક ટ્વિટ દ્વારા દિલીપ સંઘાણીએ કોને બનાવ્યા નિશાન ?
ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી અમરેલી ગુંજી રહ્યું છે. અમરેલી ભાજપમાં ભાગલા સ્પષ્ટ દેખાય છે. ભાજપના નેતાઓ એક યા બીજા કારણે કોઈને નેતાને પક્ષની મર્યાદામાં રહીને ભીંસમાં મૂકતા આવ્યા છે. આવા સમયે અમરેલીમાં ભૂતકાળમાં બનેલા એક ચર્ચાસ્પદ કિસ્સાને દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફતે પ્રકાશમાં લાવીને, ભાજપના જ એક નેતાને નિશાન બનાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 5, 2025
- 9:23 pm
અનેક મુખ્યમંત્રી બદલાય પરંતુ આ નેતાનું મંત્રીમંડળમાં નામ ચોક્કસ હોય છે, ભાઈનું પણ રાજકારણમાં છે મોટું નામ
આજે આપણે એક એવા નેતાની વાત કરીશું. કે તેમની ટિકિટ પાર્ટી ક્યારે પણ કાપતી નથી. આ નેતા માત્ર પાર્ટીમાં ફેમસ નથી પરંતુ લોકો વચ્ચે પણ તેમની એક મોટી છાપ છે. બંન્ને ભાઈ રાજકારણમાં છે.
- Nirupa Duva
- Updated on: Nov 4, 2025
- 7:15 am
કરોડોની સંપતિના માલિક છે મનીષા વકીલ, જુઓ પરિવારમાં કોણ કોણ છે
રાજ્યનું નવું મંત્રીમંડળ રચાયું છે,સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે, મનીષા વકીલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Nov 3, 2025
- 7:27 am
રાજકીય પીચ પર ભાઈ-ભાઈ આવી ચૂક્યા છે સામસામે, ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો
અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Nov 2, 2025
- 7:27 am
વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video
ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Oct 29, 2025
- 7:07 pm
સસરા, દીકરા અને અપશબ્દોના કારણે વિવાદોમાં રહી ચૂક્યા છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી , જુઓ પરિવારમાં કોણ કોણ છે
ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે,કૃ ષિ મંત્રીજીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીનો જન્મ 11 સપ્ટેમ્બર 1970ના રોજ થયો છે.કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો.
- Nirupa Duva
- Updated on: Oct 28, 2025
- 7:20 am
ભાજપના કાર્યકરોને બાબુભાઈ બોખીરીયાની શીખ – અંદરોઅંદર ટાંટિયા ખેંચવાનું બંધ કરો, જુઓ વીડિયો
બાબુ બોખીરીયાએ પોરબંદર અને જૂનાગઢની સરખામણી કરતા કહ્યું કે, ચૂંટણી સમયે જૂનાગઢ વાળા લખતા કે, છેલ્લા 50 વર્ષથી જૂનાગઢના કોઈ મંત્રી નથી બન્યા. પોરબંદર એ બાબતે સુખી છે. કેન્દ્ર અને રાજ્યમાં પ્રધાનપદુ છે પણ ટાંટિયા ખેચ બંધ કરીને કામ કરવું પડશે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2025
- 2:00 pm
કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલનો આવો છે પરિવાર, જુઓ ફોટો
વર્ષ 2015માં સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત માટે મોટા પાયે આંદોલન થયું હતું. આ આંદોલનમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાકનાં મોત પણ થયા હતા. પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Oct 22, 2025
- 9:11 am
Navsari : વાંસદા તાલુકામાં રાજકારણ ગરમાયું ! ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ Video
નવસારીમાં દિવાળી સમયે જ વાંસદા તાલુકામાં રાજકરણ ગરમાયું છે. ઉનાઈ ગામે ફટાકડાના વેચાણ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યું છે. લાઈસન્સ વગર ફટાકડાની દુકાનો ચાલતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 20, 2025
- 1:29 pm
Gujarat Richest Minister : ગુજરાતના અમીર મંત્રી છે રિવાબા જાડેજા, સંપતિનો આંકડો તમે નહીં જાણતા હોવ..
રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજાના પત્ની મોટી નેટવર્થ સાથે ગુજરાતના અમીર મંત્રીઓમાંના એક છે. મોતભાગના લોકો તેમની નેટવર્થ વિશે જાણતા નહીં હોય.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 5:30 pm
બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું જોવા મળ્યું રાજકારણ ! સ્વરુપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યાં હાજર, જુઓ Video
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે દરેક પ્રધાનનું તેમના વોર્ડમાં અને પરિવારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદના સ્વરુપજી ઠાકોરને ખાદી ગ્રામઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Oct 19, 2025
- 12:18 pm
Navsari : ભાજપના યુવા નેતા ભાવેશ ઉર્ફે સોનુ પાટીલે રસ્તા પર ફિલ્મી ઢબે ઉજવ્યો જન્મદિવસ, વાયરલ થયો વીડિયો
નવસારીમાંથી સામે આવેલા એક કિસ્સામાં ભાજપના યુવા નેતા ભાવેશ ઉર્ફે સોનુ પાટીલ તેમના જન્મદિવસની ઉજવણીને કારણે વિવાદમાં સપડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવેશ ઉર્ફે સોનુ પાટીલે વિજલપોરના શિવાજી ચોક પાસે જાહેર માર્ગની વચ્ચોવચ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2025
- 3:00 pm
CM યથાવત રાખીને કેમ આખી ટીમ નવી બનાવી, શું પાલિકા-પંચાયત અને 2027ની ચૂંટણીનો હતો ડર ?
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું કે, ભાજપ દ્વારા નવી સરકાર બનાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ, સૌ પ્રથમ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાવી અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં નવી સરકાર. ભાજપને નજીકથી જાણનારા રાજકીય વિશ્લેષકો માટે આ નવું નથી. કારણ કે સમયાંતરે ભાજપ તેમના હસ્તકના રાજ્યોમાં પ્રધાનમંડળની ફેરબદલ કરતુ રહે છે. ગુજરાત પણ હવે તેમા અપવાદ નથી.
- Bipin Prajapati
- Updated on: Oct 17, 2025
- 9:19 pm