ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
ભાજપના નેતા નિયમ તોડે એ ચાલે ? મંજૂરી વગર કાળા કાચવાળી ગાડીઓ દોડાવી, ભોજપુરી ગીતો સાથે રોડ બાનમાં લીધો – જુઓ Video
સુરતમાં યુપીના ધારાસભ્યના લક્ઝુરિયસ કારના કાફલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. VIP રૂટ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા આ કાફલા પર અને ભાજપના ધારાસભ્ય પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 26, 2026
- 5:15 pm
ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા
મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા.
- Bipin Prajapati
- Updated on: Jun 26, 2026
- 3:59 pm
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી, 160 પૈકી માત્ર 80 જ હાજર- Video
અમદાવાદમાં ભાજપના મિસાવાસી સન્માન કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની નોંધપાત્ર ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના કુલ 160 કાઉન્સિલરોમાંથી માત્ર 80 જેટલા કાઉન્સિલરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓછી હાજરીને લઈને છેલ્લા […]
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:56 pm
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ, સંગઠને લીધી ગંભીર નોંધ
અમદાવાદમા, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી સંતોષજનક ના હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. ખાસ કરીને સાબરમતી નદી સફાઈ અભિયાન સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અનેક કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 3:30 pm
Breaking News : ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ આજે જણાવ્યું કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતાની સાથે જ ચૈચર વસાવાએ, તેમનું ધારાસભ્યપદ ગુમાવી દિધુ છે. આની સાથોસાથ આગામી 6 વર્ષ સુધી ચૈતર વસાવા કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 6:17 pm
ટોલ નાકે ફાસ્ટેગની માથાકૂટમાં ‘BJP નેતા’ ફફડી ગયો, 12 જણાએ ભેગા થઈને મંત્રીને બરાબરનો ઝૂડ્યો – જુઓ Video
સોમનાથથી દર્શન કરી પરત ફરતા મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર ટોલ બૂથ પર હુમલો થયો છે. ફાસ્ટેગની ખામી બાદ થયેલી બોલાચાલીમાં પાઇપ વડે હુમલો કરાયો હતો, જેમાં પોલીસે 12 શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 22, 2026
- 4:25 pm
લોકોએ લોટરી લાગ્યાનું- મેળ પડ્યાનું કહેતા ભડક્યા રાજ્યસભાના સાસંદ, કહ્યું- મારી જિંદગીના 25 વર્ષ બળદિયાની જેમ કામ કર્યું છે ત્યારે અહીં પહોંચ્યો
વ્યવસાયે કેમિકલ એન્જિનિયર કેવી રીતે ભાજપમાં આવ્યો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નિરમા યુનિવર્સિટીમાં ભણતા એક મિત્ર થકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને તે થકી તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા.
- Bipin Prajapati
- Updated on: Jun 21, 2026
- 12:29 pm
નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા, ધારાસભ્ય-પ્રમુખે ઠપકો સાંભળ્યા બાદ રાજીનામાનો ડ્રામા પડતો મુક્યો
ગાંધીનગરમાં ભાજપના મોવડી મંડળ અને નર્મદા ભાજપના આગેવાનો વચ્ચે થયેલી આ બેઠક બાદ જિલ્લા ભાજપા પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્યના રાજીનામા મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ તેમજ ઉગ્ર આંદોલનની ધમકીઓ પણ પડતી મૂકવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jun 20, 2026
- 12:14 pm
Breaking News : લોકો આશ્ચર્યમાં: ‘પાણી પર રોડ’ બનાવવાની આ અદભુત ટેકનોલોજી રાધનપુર તંત્ર લાવ્યું ક્યાંથી? જુઓ Video
રાધનપુરના મસાલી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને રોડની ગુણવત્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પ્રશાસન પર મીઠી નજર રાખવાનો આરોપ.
- Hasmukh Ramani
- Updated on: Jun 18, 2026
- 12:32 pm
ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video
સુરતના નાસિર નગરમાં ઝૂંપડા ખાલી કરાવવા માટે 385 લોકોને 80-80 હજાર રૂપિયા અપાયા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 15, 2026
- 6:51 pm
ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ
ભરૂચ રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, NEET પેપર લીક અને ખેડૂતોને ખાતર ન મળવાના મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. વિરોધ દરમિયાન પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો.
- Sachin Agrawal
- Updated on: Jun 13, 2026
- 10:02 pm
PoJK માટે જમ્મુમાં ભાજપ ઉતર્યું મેદાને, પાકિસ્તાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, ભારતમાં ભેળવી દેવા કરી માંગ
જેવા સાથે તેવા ની કહેવતને સાર્થક કરતા હોય તેમ, ભાજપના કાર્યકરોએ આજે શનિવાર 13 જૂનના રોજ જમ્મુમાં દેખાવો-વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીરમાં નાગરિકો-શરણાર્થીઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ માંગણી કરી હતી કે, PoJK ને હવે ભારતમાં ભેળવવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2026
- 2:41 pm
Breaking News : રાજકોટમાં પગ મૂકતા જ હર્ષ સંઘવીને મળ્યો એક સંકેત અને પહોંચ્યા નરેશ પટેલના ઘરે ! સર્જાયા અનેક તર્કવિતર્ક, જુઓ Video
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે ખાસ મુલાકાત થઈ. આ મુલાકાત સાંઢિયા પુલના લોકાર્પણ બાદ નરેશ પટેલના નિવાસસ્થાને થઈ હતી. નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ન હોવા છતાં, તેમની રાજકીય ગતિવિધિઓ અને ખોડલધામમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનને કારણે આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 13, 2026
- 12:31 pm
Breaking News : મધ્યમ વર્ગને લઈ PM મોદીનું મોટું નિવેદન, NDA બેઠકમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ NDA બેઠકમાં છેલ્લા 12 વર્ષના શાસનની સિદ્ધિઓ રજૂ કરી. તેમણે કોંગ્રેસની નીતિઓની આલોચના કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 8:45 pm
રાજકોટ જમીન કૌભાંડ, ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ બાબુ માટીયાની 7 કરોડ રૂપિયાની જમીન ખાલસા કરવાનો કલેક્ટરે આદેશ કર્યો છે. નવી શરતની આ જમીન પૂર્વ મંજૂરી અને પ્રીમિયમ ભર્યા વગર વેચવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 5:48 pm