ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
Breaking News : ભાજપના ધારાસભ્યે માંગી રૂપિયા 11 લાખની લાંચ, 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા, PA અને PSની પણ અટકાયત
દક્ષિણ ભારતના કર્ણાટકમાં, ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાનીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે. લોકાયુક્ત પોલીસે ધારાસભ્ય, તેમના પીએ અને પીએસને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 22, 2026
- 11:26 am
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે, સાંસદ અને ધારાસભ્યોના લીધા ક્લાસ, જુઓ Video
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને તેમની નિષ્ક્રિયતા બદલ કડક ટકોર કરી છે. તેમણે નેતાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા, ઘરેથી નહીં પરંતુ કાર્યાલયેથી કામ કરવા અને લોકોની રજૂઆતો સાંભળવા પર ભાર મૂક્યો છે.
- Ronak Varma
- Updated on: Feb 20, 2026
- 7:41 pm
જામનગર મનપામાં રામરાજ નહીં રાવણરાજ, કમિશન વગર કોઈ કામ થતા ના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગરના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ, રાવણનો પરીવેશ ધારણ કરીને ભાજપ શાસિત મનપા સામે પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 2:54 pm
“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video
ટ્રેડ ડીલ (FTA) મામલે રાજનીતિ ગરમાઈ છે. ખેડૂતોના હિતના નામે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા સીધો પડકાર ફેંક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 3:50 pm
Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 1:10 pm
Breaking News : હાર્દિક પટેલને મોટી રાહત! સરકાર દ્વારા આ ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ, જુઓ Video
પાટીદાર નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને 2018ના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળી છે. સરકારે ફરિયાદ પરત ખેંચવાની કાર્યવાહી શરૂ કરી છે, જેના માટે ગ્રામ્ય કોર્ટમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. કલેક્ટર અને સરકારી વકીલ દ્વારા અભિપ્રાયો પણ રજૂ કરાયા છે. આગામી 25 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે.
- TV9 Gujarati
- Updated on: Feb 11, 2026
- 12:40 pm
Breaking News : પદ મળ્યું પણ માન નહીં! નવસારી ભાજપમાં રાજીનામાની રાજનીતિ ગરમાઈ, જુઓ Video
નવસારી ભાજપમાં સંગઠનની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જલાલપુરના ચાર નવનિયુક્ત હોદ્દેદારો – અશોક પટેલ, વિજય પટેલ, પ્રકાશ પટેલ અને ચેતના પટેલે રાજીનામા ધરી દીધા છે. પક્ષમાં અવગણના અને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આ રાજીનામા અપાયા છે, જેના કારણે શહેર ભાજપમાં ખળભળાટ મચ્યો છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 11, 2026
- 10:11 am
કમલમમાં ગયેલા સરકારી કર્મચારી, નોકરીમાંથી રાજીનામુ આપીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેઃ કોંગ્રેસ
GTUના કુલપતિ રાહુલ ગજ્જર, અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષી અને સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલનો એક ફોટો શેર કરીને કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએએ, કમલમમાં ઉપસ્થિત રહેનારા ત્રણેય સરકારી કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા રાજ્યપાલ સમક્ષ માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2026
- 4:11 pm
Breaking News : પરષોત્તમ સોલંકીનો દબંગ અંદાજ, કોઈના નામ લીધા વગર આપ્યો આ સંકેત !જુઓ Video
ઉનાના સીમર ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં પરષોત્તમ સોલંકીએ દબંગ અંદાજમાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "કોઈ તમને ધોકા મારે તો પરષોત્તમ સોલંકી છે." તેમણે સમાજ પર થતા અત્યાચાર સામે ઊભા રહેવાની ખાતરી આપી, જેમને જે સમજવું હોય તે સમજે એમ સ્પષ્ટ કર્યું.
- Hasmukh Ramani
- Updated on: Feb 8, 2026
- 3:48 pm
Breaking News : મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મહિલા મેયર, ડેપ્યુટી મેયરપદે શિંદે જૂથના સંજય શંકર
BMC Mayor Elections : મુંબઈને આખરે નવા મેયર રિતુ તાવડે મળ્યા છે. ભાજપ મુંબઈ પ્રમુખ અમિત સાટમે તેમની ઔપચારિક જાહેરાત કરી હતી. શિવસેનાના સંજય શંકર ઘડીને ડેપ્યુટી મેયર બનશે. મુંબઈમાં આ પહેલી વાર મહિલા મેયર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2026
- 12:12 pm
ભાજપના પૂર્વ પ્રધાને કહ્યું- જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી, સરકાર હોય કે મનપા, તંત્રને સાચે સાચુ કહેવામા જ માને છે. કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટની જાહેરાતોને લઈને ગુસ્સે છે. તેમણે મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે બળાપો વ્યક્ત કર્યો છે કે, મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરાયેલ જાહેરાતોનો અમલ થતો નથી અને મનપા નવી નવી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 6, 2026
- 2:52 pm
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? જુઓ Video
રાજકોટ ભાજપમાં ટર્મ પૂરી થાય તે પહેલાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ કોર્પોરેટર નેહલ શુક્લની સતત ત્રણ બોર્ડમાં ગેરહાજરી અંગે કમિશનરને પત્ર લખી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈએ જણાવ્યું કે નેહલ શુક્લ રજા પર હતા અને આ કાયદાકીય મુદ્દો છે, જેમાં પાર્ટી નેહલ શુક્લની સાથે છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 6, 2026
- 12:26 pm
Breaking News : લોકસભામાં ગઇકાલે ન બોલી શક્યા PM નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ખૂલીને બોલ્યા, મહોબ્બતની દુકાન પર શું કહ્યું જુઓ..
લોકસભામાં ગઇકાલે હંગામાના કારણે બોલી ન શકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બોલ્યા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ન થવા દેવી એ એક આદિવાસી પરિવારથી આવેલી દેશની રાષ્ટ્રપતિનો અપમાન છે.
- Sagar Solanki
- Updated on: Feb 5, 2026
- 6:41 pm
અમદાવાદના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે, જુઓ વીડિયો
અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ 32 કરોડના ખર્ચે કતલખાનાનુ આધુનિકરણ કરવાના કામનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 3:53 pm
Breaking News : અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે ! ફરિયાદ છતા અશાંત ધારા વિસ્તારમાં ધમધોકાર ચાલી રહ્યું છે ઈમારતનુ કામકાજ
વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે, એવો સવાલ કર્યો છે કે, અશાંત વિસ્તારમાં મંજૂર કરાયેલ 22 માળની ઈમારત સામે વિરોધ હોવા છતા તેનુ કામકાજ તેવી રીતે શરુ થયું. આ ઈમારતને જરૂરી મંજૂરી કોણે આપી, હવે તેમણે મુસ્લિમોને અપીલ કરી છે કે, આ ઈમારતમા મકાન ના ખરીદે, કારણ કે તેમના રૂપિયા ડૂબી જવાની શક્યતા રહેલી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2026
- 4:36 pm