Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.

ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

Read More

કેવા હતા આંબેડકર અને નહેરૂ વચ્ચેના સંબંધો? કેમ પંડિતજીને આંખના કણાની માફક ખૂંચતા હતા બાબા સાહેબ- વાંચો

ભારતના બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકરની દેશ 134મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજે બાબા સાહેબના નામે તમામ રાજકીય પાર્ટી જશ લેવાનું ચૂકતી નથી ત્યારે એક સમય એવો પણ હતો કે બાબા સાહેબને એ સન્માન પણ આપવામાં ન આવ્યુ જેના તેઓ ખરા હક્કદાર હતા. પંડિત નહેરૂ સહિત કોંગ્રેસ પર પહેલેથી એવા આક્ષેપો થતા આવ્યા છે કે તેમણે આંબેડકરના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ આક્ષેપોમાં કેટલુ તથ્ય છે તે જાણીએ.

2020ના દિલ્હી રમખાણોની તપાસ લઈને કપિલ મિશ્રા પહોંચ્યા ‘સેશન કોર્ટ’

દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાએ બુધવારે સેશન કોર્ટમાં તેમની સામેના તપાસના આદેશને પડકાર્યો હતો. દિલ્હી રમખાણો કેસમાં કપિલ મિશ્રાની ભૂમિકા અંગે મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ તપાસનો આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્ર ભાજપના ગુજરાતી નેતાએ 72 મસ્જિદો સામે નોંધાવી FIR, શું છે કારણ?

મહારાષ્ટ્રમાં ભાજપના ગુજરાતી નેતાએ, 72 મસ્જિદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલુ જ નહીં તેમણે જે મસ્જિદ સામે FIR નોંધાવી છે તે મસ્જિદ સામે કરેલ RTI ની નકલ પણ શેર કરી છે જેમાં મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે.

06 એપ્રિલના મહત્વના સમાચારઃ અમદાવાદમાં રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, બે ના મોત, 8 થી 10 ગાડીઓ બળીને થઈ ખાખ

આજ 06 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

બધા સાંસદો લોકસભામાં હાજર રહે, ભાજપે વકફ સુધારા બિલને લઈને 3 લાઈનનો વ્હીપ ઈસ્યું કર્યો

કેન્દ્ર સરકાર, આવતીકાલ 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. આ સંદર્ભે, પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે.

મોદીના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે… મોદીની RSS મુખ્યાલયની મુલાકાત પર સંજય રાઉતનો મોટો દાવો

વડા પ્રધાન મોદીએ નાગપુરમાં RSS સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી અને મોહન ભાગવતને મળ્યા. તેમની મુલાકાત પછી, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે પીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. રાઉતે દાવો કર્યો હતો કે સંઘ આગામી પીએમ અને ભાજપ પ્રમુખની પસંદગી કરશે.

What India Thinks Today Summit : અમેઠીમાં મળેલી હાર અને તેમના પર કરવામાં આવેલા કટાક્ષ વિશે સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ TV9 ના મહામંચમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે અમેઠીના સાંસદ રહીને કરેલા કામ અને પછી ત્યાં મળેલી હાર વિશે પણ વાત કરી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, જો હું નેતા હોત, તો હું સુરક્ષિત બેઠક શોધત. જો હું નેતા હોત, તો મને આગામી ચૂંટણીઓની ચિંતા હોત.

‘હું ભાગ્યશાળી હતો કે મને સંઘ જેવી પવિત્ર સંસ્થામાંથી જીવનના મૂલ્યો મળ્યા ‘ -પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની વચ્ચે થયેલી વિગતવાર વાતચીતનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. ખાસ કરીને, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના તેમના જીવન પર પડેલા પ્રભાવ, સમાજમાં તેના યોગદાન અને વ્યક્તિગત અનુભવો વિશે વિસ્તારથી વાત કરી.

વડોદરામાં ગોજારા અક્સ્માતને પગલે શહેર ભાજપ પ્રમુખે ધૂળેટીના કાર્યક્રમો રદ કર્યા તો પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યોએ નિર્ણયની અવગણના કરી ઉજવ્યો રંગોત્સવ

વડોદરામાં ગમખ્વાર અકસ્માત બાદ શહેર ભાજપ પ્રમુખે હોળીના કાર્યક્રમો રદ કર્યા હતા. પરંતુ, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખોએ આ નિર્ણયને અવગણી રંગોત્સવ ઉજવ્યો. આ ઘટનાથી ભાજપમાં શિસ્તનો અભાવ અને નેતૃત્વની અવગણના દેખાય છે. આ ઘટના બાદ વડોદરા ભાજપમાં રાજકીય ગરમાવાની સ્થિતિ છે.

What Gujarat Thinks Today: વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

કાર્યક્રમમાં ગુજરાત CM એ જણાવ્યું તે ગુજરાતમાં ઘણો મોટો બદલાવ આવ્યો પહેલા પાણી, રોડ-રસ્તા કેવા હતા તે સૌ કોઈ જાણે છે પણ હવે ડેવલોપમેન્ટ થયું છે. સીએમએ જણાવ્યું કે આપડી પાસે એવું નેત્રુત્વ છે કે સતત દેશના વિકાસને લઈને કઈકને કઈક કરતા રહે છે.

વડોદરા ભાજપની જૂથબંધીથી કંટાળીને પ્રદેશ સમિતિએ સંઘના આ વ્યક્તિને પ્રમુખનો પદભાર સોંપ્યો

વડોદરા ભાજપમાં જૂથવાદને કારણે પ્રદેશ સમિતિએ RSSના આગેવાન જયપ્રકાશ સોનીને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા છતાં બહારના વ્યક્તિની પસંદગીથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયથી પક્ષમાં અંદરોઅંદરના ગણગણાટ અને વિવાદો વધી શકે છે.

ભાજપમાંથી 100 મુસ્લિમે નોંધાવી હતી ઉમેદવારી, 82 જીત્યા, હવે અપાશે મહત્વની જવાબદારી

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપે વિધાનસભા અને લોકસભા માટે કોઈ મુસ્લિમ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા ન હતા. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા 82 સુધી પહોંચ્યા બાદ, પાર્ટીએ તેમને સંગઠનમાં સ્થાન આપવાનું શરૂ કર્યું છે.

CAG રિપોર્ટમાં ખુલાસોઃ દિલ્હીમાં કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન

CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા દારૂની નીતિમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને પણ અવગણવામાં આવી હતી.

Female CM Strategy : સુષ્મા, શીલા, આતિશી અને હવે રેખા… દિલ્હીને કેમ ગમે છે મહિલા મુખ્યમંત્રી, જુઓ Video

દિલ્હીમાં 11 દિવસના સસ્પેન્સ પછી, ભાજપે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. આ પસંદગી પાછળ ભાજપની શું યોજના છે?

Gujarat vs Rajasthan CM Salary : ગુજરાત કે રાજસ્થાન ? ક્યાં રાજયના CM નો પગાર છે વધુ, જાણો

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રીના માસિક પગારમાં ઘણો તફાવત છે. સામાન્ય માહિતી અનુસાર ગુજરાતના CM નો પગાર રાજસ્થાનના CM કરતાં વધુ છે. મુખ્યમંત્રીનો પગાર, જેમાં અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
g clip-path="url(#clip0_868_265)">