AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદમાં ભાજપના MLA ના નિધન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video

ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લાની આ બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરાશે.

Breaking News : આણંદમાં ભાજપના MLA ના નિધન બાદ ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2026 | 8:08 PM
Share

ગુજરાત રાજ્યની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં આવેલી આ ખાલી પડેલી બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પેટા ચૂંટણીનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) ગોવિંદ પરમાર વિજેતા બન્યા હતા. જોકે, ગત 6 માર્ચ 2024ના રોજ 83 વર્ષની વયે હૃદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનને પગલે આ ઉમરેઠ બેઠક ખાલી જાહેર થઈ હતી, જેના પર હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાધારી ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રયાસો કરશે, જ્યારે વિપક્ષ આ મહત્વપૂર્ણ બેઠક પર કબજો જમાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે. આ પેટા ચૂંટણી રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે.

આ સાથે ભારતીય ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, આ પાંચ રાજ્યોમાં કુલ લગભગ 17.4 કરોડ મતદારો મતદાન કરશે. ચૂંટણી માટે કુલ 2.19 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. પાંચેય રાજ્યોમાં મળીને કુલ 824 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે.

ચૂંટણી કાર્યક્રમ મુજબ આસામમાં 9 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે અને મતગણતરી 4 મેના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પહેલો તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. કેરળમાં 9 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. પુડુચેરીમાં પણ 9 એપ્રિલે મતદાન યોજાશે અને 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચે બંગાળ સહિત આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો કરી જાહેર- જાણો ક્યારે ક્યા રાજ્યમાં થશે મતદાન

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">