AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિરંજીવી હનુમાનજી, આ સ્થળોએ આજે પણ અનુભવાય છે બજરંગ બલીની હાજરી, જાણો

હનુમાનજીને અમરત્વના આશીર્વાદ મળ્યા હોવાથી દેશના અનેક પવિત્ર સ્થળોએ તેમને આજેય જીવંત માનવામાં આવે છે. ભારતભરમાં કેટલીક પ્રખ્યાત જગ્યા એવી છે જ્યાં હનુમાનજીની જીવંત ઉપસ્થિતિનો વિશ્વાસ રાખવામાં આવે છે. શું તમને ખબર છે કે આ સ્થળો કયા છે?

| Updated on: Aug 23, 2025 | 9:19 PM
Share
હિન્દુ માન્યતાઓ અનુસાર મોટા ભાગના દેવતાઓ સ્વર્ગ લોકમાં વસે છે જ્યાં સુધી  મનુષ્યો સીધા પહોંચી શકતા નથી, પરંતુ ભગવાન હનુમાનની સ્થિતિ એકદમ વિશેષ છે. તેઓ ચિરંજીવી છે, એટલે કે તેમને અમરત્વ પ્રાપ્ત થયું છે. ભગવાન રામ પ્રત્યેની અડગ ભક્તિએ તેમને આ વચન આપ્યું હતું કે રામના અંતિમ ભક્તની મદદ કર્યા વગર તેઓ પૃથ્વી છોડશે નહીં. આ કારણે જ માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભક્તો સાથે છે, તેમને સંકટોમાં રક્ષણ આપે છે અને માર્ગદર્શન આપે છે. કહેવાય છે કે દેશમાં એવી 6 વિશિષ્ટ જગ્યા છે જ્યાં હનુમાનજી જીવંત હોવાનું માનવામાં આવે છે.

હિન્દુ માન્યતાઓ અનુસાર મોટા ભાગના દેવતાઓ સ્વર્ગ લોકમાં વસે છે જ્યાં સુધી મનુષ્યો સીધા પહોંચી શકતા નથી, પરંતુ ભગવાન હનુમાનની સ્થિતિ એકદમ વિશેષ છે. તેઓ ચિરંજીવી છે, એટલે કે તેમને અમરત્વ પ્રાપ્ત થયું છે. ભગવાન રામ પ્રત્યેની અડગ ભક્તિએ તેમને આ વચન આપ્યું હતું કે રામના અંતિમ ભક્તની મદદ કર્યા વગર તેઓ પૃથ્વી છોડશે નહીં. આ કારણે જ માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભક્તો સાથે છે, તેમને સંકટોમાં રક્ષણ આપે છે અને માર્ગદર્શન આપે છે. કહેવાય છે કે દેશમાં એવી 6 વિશિષ્ટ જગ્યા છે જ્યાં હનુમાનજી જીવંત હોવાનું માનવામાં આવે છે.

1 / 7
તમિલનાડુના રામેશ્વરમ નજીક આવેલો ગંધમાદન પર્વત રામાયણની કથાઓ સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ, આ સ્થાનેથી જ હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકાની દિશામાં પ્રસ્થાન કર્યું હતું. આજ સુધી પર્વતની ચોટી પર સ્થિત મંદિરમાં એક પવિત્ર શિલા છે,જેમાં હનુમાનજીના પગલાંના ચિહ્નો જોવા મળે છે એવો વિશ્વાસ છે. ભક્તો માને છે કે હનુમાનજી અહીં સતત ઉપસ્થિત રહી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આ સ્થળનું વાતાવરણ અને ઊંચાઈ પરથી દેખાતું સૌંદર્ય અતિ મોહક છે. (Credits: - Wikipedia)

તમિલનાડુના રામેશ્વરમ નજીક આવેલો ગંધમાદન પર્વત રામાયણની કથાઓ સાથે જોડાયેલો છે. માન્યતા મુજબ, આ સ્થાનેથી જ હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકાની દિશામાં પ્રસ્થાન કર્યું હતું. આજ સુધી પર્વતની ચોટી પર સ્થિત મંદિરમાં એક પવિત્ર શિલા છે,જેમાં હનુમાનજીના પગલાંના ચિહ્નો જોવા મળે છે એવો વિશ્વાસ છે. ભક્તો માને છે કે હનુમાનજી અહીં સતત ઉપસ્થિત રહી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. આ સ્થળનું વાતાવરણ અને ઊંચાઈ પરથી દેખાતું સૌંદર્ય અતિ મોહક છે. (Credits: - Wikipedia)

2 / 7
હનુમાનજીનો સંબંધ હિમાલય સાથે પણ માનવામાં આવે છે, જેને દેવતાઓના નિવાસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હિમાચલમાં આવેલો હનુમાન ટિબ્બા અને કેદારનાથની આસપાસની કેટલીક ગુફાઓ તેમના સાથે જોડાયેલી ગણાય છે. અનેક ઋષિ-મહાત્માઓનો વિશ્વાસ છે કે હનુમાનજી આજેય આ પવિત્ર ભૂમિ પર પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં તપશ્ચર્યામાં લીન છે. આ ઊંચી પહાડીઓ અને મંદિરોમાં વિશિષ્ટ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. કહેવાય છે કે જે ભક્તો અહીં નિષ્ઠાપૂર્વક હનુમાનજીની ઉપસ્થિતિની શોધ કરે છે, તેઓને કોઈ ને કોઈ સ્વરૂપમાં તેમની હાજરીનો અનુભવ થઈ શકે છે. (Credits: - Wikipedia)

હનુમાનજીનો સંબંધ હિમાલય સાથે પણ માનવામાં આવે છે, જેને દેવતાઓના નિવાસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હિમાચલમાં આવેલો હનુમાન ટિબ્બા અને કેદારનાથની આસપાસની કેટલીક ગુફાઓ તેમના સાથે જોડાયેલી ગણાય છે. અનેક ઋષિ-મહાત્માઓનો વિશ્વાસ છે કે હનુમાનજી આજેય આ પવિત્ર ભૂમિ પર પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં તપશ્ચર્યામાં લીન છે. આ ઊંચી પહાડીઓ અને મંદિરોમાં વિશિષ્ટ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. કહેવાય છે કે જે ભક્તો અહીં નિષ્ઠાપૂર્વક હનુમાનજીની ઉપસ્થિતિની શોધ કરે છે, તેઓને કોઈ ને કોઈ સ્વરૂપમાં તેમની હાજરીનો અનુભવ થઈ શકે છે. (Credits: - Wikipedia)

3 / 7
તિબેટમાં આવેલા કૈલાશ પર્વતની નજીકનું પવિત્ર માનસરોવર તળાવ ભગવાન શિવ સાથે સાથે ભગવાન હનુમાન સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, હનુમાનજી સહિત કેટલાક ચિરંજીવી આત્માઓ સમયાંતરે અહીં પ્રગટ થાય છે  અને આ તળાવની દૈવી શક્તિનો અનુભવ કરે છે. અનેક સાધકો જ્યારે અહીં ધ્યાનમાં બેસે છે, ત્યારે તેમને અનોખી શાંતિ અને અદૃશ્ય આધ્યાત્મિક ઉપસ્થિતિની અનુભૂતિ થાય છે. (Credits: - Wikipedia)

તિબેટમાં આવેલા કૈલાશ પર્વતની નજીકનું પવિત્ર માનસરોવર તળાવ ભગવાન શિવ સાથે સાથે ભગવાન હનુમાન સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, હનુમાનજી સહિત કેટલાક ચિરંજીવી આત્માઓ સમયાંતરે અહીં પ્રગટ થાય છે અને આ તળાવની દૈવી શક્તિનો અનુભવ કરે છે. અનેક સાધકો જ્યારે અહીં ધ્યાનમાં બેસે છે, ત્યારે તેમને અનોખી શાંતિ અને અદૃશ્ય આધ્યાત્મિક ઉપસ્થિતિની અનુભૂતિ થાય છે. (Credits: - Wikipedia)

4 / 7
ચિત્રકૂટ સ્થિત હનુમાન ધારા મંદિર સાથે એક અનોખી કથા જોડાયેલી છે. માન્યતા મુજબ, જ્યારે હનુમાનજીએ લંકાને અગ્નિમાં ઘેરી હતી ત્યારે તેમની પૂંછડી બળવાથી તેમને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ત્યારે ભગવાન રામે આ સ્થળે જળધારા ઉત્પન્ન કરી હતી, જેના કારણે હનુમાનજીને શાંતિ અને ઠંડક મળી. આજેય આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા પર સતત જળ વહેતું રહે છે. ભક્તો માને છે કે આ પવિત્ર સ્થાનની મુલાકાત લેવાથી દુઃખ અને પીડાનો અંત થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. (Credits: - Wikipedia)

ચિત્રકૂટ સ્થિત હનુમાન ધારા મંદિર સાથે એક અનોખી કથા જોડાયેલી છે. માન્યતા મુજબ, જ્યારે હનુમાનજીએ લંકાને અગ્નિમાં ઘેરી હતી ત્યારે તેમની પૂંછડી બળવાથી તેમને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ત્યારે ભગવાન રામે આ સ્થળે જળધારા ઉત્પન્ન કરી હતી, જેના કારણે હનુમાનજીને શાંતિ અને ઠંડક મળી. આજેય આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા પર સતત જળ વહેતું રહે છે. ભક્તો માને છે કે આ પવિત્ર સ્થાનની મુલાકાત લેવાથી દુઃખ અને પીડાનો અંત થાય છે અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. (Credits: - Wikipedia)

5 / 7
રામેશ્વરમમાં આવેલું પંચમુખી હનુમાન મંદિર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા મુજબ, જ્યારે રાક્ષસ મહીરાવણે શ્રીરામ અને લક્ષ્મણને કેદ કર્યા હતા, ત્યારે હનુમાનજીએ પાંચ મુખ ધારણ કરીને તેનો નાશ કર્યો હતો. આ પાંચ મુખોમાં હનુમાન સાથે વરાહ, નરસિંહ, ગરુડ અને હયગ્રીવનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પંચમુખી સ્વરૂપની ઉપાસના કરનારને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. (Credits: - Wikipedia)

રામેશ્વરમમાં આવેલું પંચમુખી હનુમાન મંદિર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા મુજબ, જ્યારે રાક્ષસ મહીરાવણે શ્રીરામ અને લક્ષ્મણને કેદ કર્યા હતા, ત્યારે હનુમાનજીએ પાંચ મુખ ધારણ કરીને તેનો નાશ કર્યો હતો. આ પાંચ મુખોમાં હનુમાન સાથે વરાહ, નરસિંહ, ગરુડ અને હયગ્રીવનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પંચમુખી સ્વરૂપની ઉપાસના કરનારને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. (Credits: - Wikipedia)

6 / 7
અયોધ્યામાં સ્થિત હનુમાન ગઢી મંદિરને લઈને માન્યતા છે કે હનુમાનજી સદાય અહીં નિવાસ કરીને શ્રીરામની નગરીનું રક્ષણ કરતા આવ્યા છે. ટેકરી પર આવેલું આ મંદિર સતત 'જય હનુમાન'ના નાદથી ગુંજતું રહે છે. ભક્તો વિશ્વાસ રાખે છે કે અહીં શ્રદ્ધાપૂર્વક આવતા દરેકને હનુમાનજીની સીધી કૃપા પ્રાપ્ત થાય છે. (Credits: - Wikipedia)

અયોધ્યામાં સ્થિત હનુમાન ગઢી મંદિરને લઈને માન્યતા છે કે હનુમાનજી સદાય અહીં નિવાસ કરીને શ્રીરામની નગરીનું રક્ષણ કરતા આવ્યા છે. ટેકરી પર આવેલું આ મંદિર સતત 'જય હનુમાન'ના નાદથી ગુંજતું રહે છે. ભક્તો વિશ્વાસ રાખે છે કે અહીં શ્રદ્ધાપૂર્વક આવતા દરેકને હનુમાનજીની સીધી કૃપા પ્રાપ્ત થાય છે. (Credits: - Wikipedia)

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">