નેઇલ પોલીસ કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? જાણો કારણ
બજારમાં વિવિધ રંગોની નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગીના નેઇલ પેઈન્ટ ખરીદે છે. તમે જોયું હશે કે નેલ પોલીશ હંમેશા કાચની બોટલમાં હોય છે.જો કે આ લીકવીડને કાચની શીશીમાં રાખવાના કેટલાક કારણ પણ છે.

નેઇલ પોલીશ નખને સુંદર બનાવવાનું કામ કરે છે.જો કે નેઇલ અંગે ખૂબ જ ઓછો લોકોને જાણ હશે કે તેને કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ? અમે આજે તમને તેનું કારણ જણાવીશું.

બજારમાં વિવિધ રંગોની નેઇલ પોલીશ ઉપલબ્ધ છે. લોકો પોતાની પસંદગીના નેઇલ પેઈન્ટ ખરીદે છે. તમે જોયું હશે કે નેલ પોલીશ હંમેશા કાચની બોટલમાં હોય છે.જો કે આ લીકવીડને કાચની શીશીમાં રાખવાના કેટલાક કારણ પણ છે.

નેઇલ પોલીશ સામાન્ય રીતે કાચની બોટલોમાં સંગ્રહિત અને વેચવામાં આવે છે કારણ કે કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોય છે.

કાચ બિન-પ્રતિક્રિયાશીલ હોવાને કારણે તે નેઇલ પોલીશમાં હાજર કેમિકલના સંપર્કમાં નથી આવતું,જે નેઇલ પોલીશની ગુણવત્તા અને ઇન્ટિગ્રિટી જાળવવામાં મદદ કરે છે.

આ સિવાય કાચ ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે નેઇલ પોલીશ સુધી હવા અને ભેજ નથી પહોંચી શકતા અને નેલ પોલીશ લાંબા સમય સુધી બગડતી નથી.

આ સિવાય કાચની બોટલમાં નેલ પોલીશ રાખીને ગ્રાહકો સરળતાથી પોતાની પસંદગીનો રંગ પસંદ કરી શકે છે.

































































