Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિદેવની સાડાસાતી દરમિયાન શા માટે કરવામાં આવે છે હનુમાનજીની પૂજા, જાણો કારણ

શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિ સાડાસાતી અને ઢૈયાની તકલીફ માંથી રાહત મેળવવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આજે અમે તમને આની કથા વિશે જણાવીશું..

Dhinal Chavda
| Edited By: | Updated on: Mar 29, 2025 | 6:52 PM
Lord Hanuman Worship On Saturday:હનુમાનજી સાત ચીરંજીવીઓમાંના એક છે. અઠવાડિયામાં બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. જેમાં મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો ભગવાન હનુમાનની વિધિપૂર્વક પૂજા કરે છે. શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારે શનિદેવ અને હનુમાનજી બંનેની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિવારે હનુમાનજીની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?જાણો.

Lord Hanuman Worship On Saturday:હનુમાનજી સાત ચીરંજીવીઓમાંના એક છે. અઠવાડિયામાં બે દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. જેમાં મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ છે. આ દિવસે ભક્તો ભગવાન હનુમાનની વિધિપૂર્વક પૂજા કરે છે. શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારે શનિદેવ અને હનુમાનજી બંનેની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિવારે હનુમાનજીની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?જાણો.

1 / 6
29 માર્ચ 2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે મેષ રાશિ પર સાડાસાતીનો પહેલો તબક્કો, મીન રાશિ માટે બીજો તબક્કો, અને કુંભ રાશિ માટે ત્રીજો તથા અંતિમ તબક્કો શરૂ થશે, જ્યારે મકર રાશિ સાડાસાતીમાંથી મુક્તિ પામશે. સિંહ અને ધનુ રાશિ માટે શનિની ઢૈયા શરૂ થશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિઓ ઢૈયાથી મુક્ત થશે. શનિ પ્રભાવ ઘટાડવા હનુમાન ચાલીસાનું પાઠ કરો.

29 માર્ચ 2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે મેષ રાશિ પર સાડાસાતીનો પહેલો તબક્કો, મીન રાશિ માટે બીજો તબક્કો, અને કુંભ રાશિ માટે ત્રીજો તથા અંતિમ તબક્કો શરૂ થશે, જ્યારે મકર રાશિ સાડાસાતીમાંથી મુક્તિ પામશે. સિંહ અને ધનુ રાશિ માટે શનિની ઢૈયા શરૂ થશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિઓ ઢૈયાથી મુક્ત થશે. શનિ પ્રભાવ ઘટાડવા હનુમાન ચાલીસાનું પાઠ કરો.

2 / 6
ધાર્મિક કથાઓ અનુસાર, એકવાર ભગવાન શનિદેવને લંકાના રાજા રાવણ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. હનુમાનજી માતા જાનકીજીની શોધ માટે રામદૂતના રૂપમાં લંકા ગયા હતા. તે જ સમયે બજરંગબલીની નજર શનિદેવ પર પડી. હનુમાનજીએ શનિદેવનીને પૂછ્યું કે તમે અહીં કેવી રીતે આવ્યા? શનિદેવે હનુમાનજીને કહ્યું કે રાવણે તેમની શક્તિથી તેમને કેદ કર્યા છે. આ પછી હનુમાનજી ક્રોધિત થઈ ગયા અને રાવણની લંકાને આગ લગાવી દીધી. લંકા દહન દરમિયાન હનુમાનજી દ્વારા શનિદેવને મુક્ત કરવામાં આવ્યા હતા. આના પર શનિદેવ પ્રસન્ન થયા અને હનુમાનજીને વચન આપ્યું કે જે પણ ભક્ત શનિવારે હનુમાનજીની પૂજા કરશે. શનિદેવ તેને અશુભ પરિણામ નહીં આપે.

ધાર્મિક કથાઓ અનુસાર, એકવાર ભગવાન શનિદેવને લંકાના રાજા રાવણ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. હનુમાનજી માતા જાનકીજીની શોધ માટે રામદૂતના રૂપમાં લંકા ગયા હતા. તે જ સમયે બજરંગબલીની નજર શનિદેવ પર પડી. હનુમાનજીએ શનિદેવનીને પૂછ્યું કે તમે અહીં કેવી રીતે આવ્યા? શનિદેવે હનુમાનજીને કહ્યું કે રાવણે તેમની શક્તિથી તેમને કેદ કર્યા છે. આ પછી હનુમાનજી ક્રોધિત થઈ ગયા અને રાવણની લંકાને આગ લગાવી દીધી. લંકા દહન દરમિયાન હનુમાનજી દ્વારા શનિદેવને મુક્ત કરવામાં આવ્યા હતા. આના પર શનિદેવ પ્રસન્ન થયા અને હનુમાનજીને વચન આપ્યું કે જે પણ ભક્ત શનિવારે હનુમાનજીની પૂજા કરશે. શનિદેવ તેને અશુભ પરિણામ નહીં આપે.

3 / 6
એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શનિદોષ શાંત થાય છે. જે લોકોની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય. તેમના માટે શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવી વિશેષ લાભકારી માનવામાં આવે છે.  તેની પૂજા કરવાથી ભય, ચિંતા અને અવરોધોથી મુક્તિ મળે છે. હનુમાનજી શક્તિ અને જ્ઞાનનું પ્રતિક છે. શનિવારે તેની પૂજા કરવાથી વ્યક્તિને માનસિક અને શારીરિક શક્તિ મળે છે. જે વ્યક્તિ હનુમાનજીને યાદ કરે છે. તેના મનને શાંતિ અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શનિદોષ શાંત થાય છે. જે લોકોની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય. તેમના માટે શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવી વિશેષ લાભકારી માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ભય, ચિંતા અને અવરોધોથી મુક્તિ મળે છે. હનુમાનજી શક્તિ અને જ્ઞાનનું પ્રતિક છે. શનિવારે તેની પૂજા કરવાથી વ્યક્તિને માનસિક અને શારીરિક શક્તિ મળે છે. જે વ્યક્તિ હનુમાનજીને યાદ કરે છે. તેના મનને શાંતિ અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે.

4 / 6
જે ભક્તો શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની પૂજા કરે છે તેમને શુભ ફળ મળે છે. આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે ભક્તો તેમને લાલ સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવે છે. આ દિવસ માત્ર હનુમાનજીની કૃપા મેળવવા માટે જ નહીં પરંતુ શનિદેવના આશીર્વાદ મેળવવાનો પણ શ્રેષ્ઠ સમય છે.

જે ભક્તો શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની પૂજા કરે છે તેમને શુભ ફળ મળે છે. આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે ભક્તો તેમને લાલ સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવે છે. આ દિવસ માત્ર હનુમાનજીની કૃપા મેળવવા માટે જ નહીં પરંતુ શનિદેવના આશીર્વાદ મેળવવાનો પણ શ્રેષ્ઠ સમય છે.

5 / 6
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી.  આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

6 / 6

વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને ભક્તિને લગતી અમે અગાઉ ઘણી સ્ટોરી કરી છે ત્યારે આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">