શરીરના અનેક રોગોનો રામબાણ ઈલાજ છે સફેદ મરી, જુઓ ફોટા
કાળા મરીનો ઉપયોગ આપણે ઘણી રસોઈમાં કરતા હોઈએ છીએ. કાળા મરીની જેટલુ જ સફેદ મરી પણ ફાયદાકારક છે. સફેદ મરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેટ, એનર્જી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન વગેરે હોય છે.

સફેદ મરીમાં એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામા મદદ કરે છે. જેના પગલે હૃદયરોગ, ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં કારગર સાબિત થાય છે.

કોઈ પણ વ્યક્તિને વારંવાર ગેસ થતો હોય કે અન્ય પેટની સમસ્યાઓ થતી હોય છે. તેવા વ્યક્તિને સફેદ મરીનું સેવન કરવાથી પાચનમાં પણ મદદ કરે છે.

સફેદ મરીમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધારે રહેતુ હોય ત્યારે નિયમિતપણે તમારા આહારમાં સફેદ મરીનો સમાવેશ કરવો જોઈએ

સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )