ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી શા માટે થાય છે? આ ઘરેલુ ઉપાયોથી મળશે રાહત
પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહેશે તો ગર્ભનો વિકાસ પણ યોગ્ય રીતે થશે. આ સમય દરમિયાન મહિલાઓને ઉલ્ટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ તેના કારણ અને નિવારણની રીત.

મહિલાઓ માટે ગર્ભાવસ્થા જેટલી સુંદર ક્ષણ હોય છે, તેટલી જ તે તેની સાથે પડકારો પણ લાવે છે. આ સમય દરમિયાન, માતાએ પોતાની સાથે સાથે ગર્ભમાં રહેલા બાળકની પણ કાળજી લેવી પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ક્યારેક ઉલટી થાય છે. જો કે, ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થવી ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે. યુએસ હેલ્થ એજન્સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, લગભગ 70 થી 80 ટકા મહિલાઓને ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ઉબકા કે ઉલ્ટી થઈ શકે છે.

પરંતુ કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટી થવાને કારણે ખૂબ જ ડરી જાય છે. જેના કારણે તે સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ પણ લે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સ્ત્રી માટે ઉલ્ટી સામાન્ય છે. આવો જાણીએ આ સમયગાળા દરમિયાન મહિલાઓને શા માટે ઉલ્ટી થાય છે અને તેનાથી બચવા માટે કયા ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી શા માટે થાય છે તેની વાત કરીયે તો હેલ્થ એક્સપર્ટના મતે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના હોર્મોન્સ ઝડપથી બદલાય છે. ગર્ભાશયમાં ગર્ભના વિકાસ માટે કોરિઓનિક ગોનાડોટ્રોફિન નામનું હોર્મોન છે. ગર્ભાવસ્થા દરમિયાન આ હોર્મોનનું સ્તર વધે છે, જેની સીધી અસર પેટ પર પડે છે. આ જ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઉલ્ટી થાય છે.જો કે આ સમસ્યાથી બચવા માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો છે.

વરિયાળીના પાણીનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે થાય છે. આ સુગંધિત મસાલા ગર્ભાવસ્થા દરમિયાન થતી ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. તમને જણાવી દઈએ કે વરિયાળીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.

લીંબુ પાણી પણ એક સારો ઉપાય છે. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટીની સમસ્યા હોય તો લીંબુ પાણીનો ઉપયોગ કરો. આ ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ અને એક ચપટી મીઠું મિક્સ કરો. આને પીવાથી મહિલાઓનું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. આ પેટમાં એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. નોંધ : આ માહિતી દર્શકોની જાણકારી માટે છે. ચોક્કસ જાણકારી માટે ડોક્ટરની સલાહ લેવી
