તિજોરીમાં ભૂલથી પણ ના મુકવી આ વસ્તુઓ, નાણાકીય સમસ્યાઓ આવી જશે
વાસ્તુ શાસ્ત્રમાં પણ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી વસ્તુઓને તિજોરીમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. તેમજ નવા કપડા પણ આપડે તિજોરીમાં જગ્યા હોય તો મુકીએ છે. જો કે એવી કેટલીક વસ્તુઓ પણ છે, જેને તિજોરીમાં તેમજ તેની આસપાસ ના રાખવી જોઈએ. તો ચાલો જાણીએ એવી કઈ-કઈ વસ્તુઓ છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની દરેક વસ્તુ માટે ચોક્કસ નિયમો છે, અને તે નિયમો અનુસાર રાખવી જોઈએ. નકારાત્મક ઉર્જાને ઘરમાંથી દૂર રાખવા માટે, કોઈપણ વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ, નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તિજોરીમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી જોઈએ ચાલો જાણીએ .

વાસ્તુ શાસ્ત્રમાં પણ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કિંમતી વસ્તુઓને તિજોરીમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. તેમજ નવા કપડા પણ આપડે તિજોરીમાં જગ્યા હોય તો મુકીએ છે. જો કે એવી કેટલીક વસ્તુઓ પણ છે, જેને તિજોરીમાં તેમજ તેની આસપાસ ના રાખવી જોઈએ. તો ચાલો જાણીએ એવી કઈ-કઈ વસ્તુઓ છે.

તિજોરીમાં અત્તર કે પરફ્યુમ ન રાખો: તિજોરીમાં ભૂલથી પણ અત્તર કે પરફ્યુમ ન રાખો. આનાથી વાસ્તુ દોષ થાય છે. જો તમારી તિજોરીમાં સુગંધિત પરફ્યુમ હોય, તો તે તમારી સંપત્તિનો ઘટાડે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

તિજોરીમાં અરીસો ન રાખો: જો તમે તમારા તિજોરીમાં અરીસો રાખો છો અથવા તેમાં અરીસો લગાવો છો, તો તે વાસ્તુ દોષોનું કારણ બને છે. અરીસાવાળી તિજોરીને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તે નાણાકીય સમસ્યાઓ અને ગરીબી તરફ દોરી શકે છે.

ફાટેલા કે નકામા કાગળ ન રાખો: દેવી લક્ષ્મી તિજોરીમાં રહે છે. તેથી, તિજોરીમાં ફાટેલા કે નકામા કાગળ રાખવાનું ટાળો. આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઘણા જૂના પુસ્તકો કે ફાટેલા પુસ્તકો પણ તિજોરીમાં હોય તો તેને દૂર કરો.

કાળી વસ્તુઓ: વાસ્તુ અનુસાર, તિજોરીમાં કાળી વસ્તુઓ રાખવાનું ટાળો, જેમ કે કાળું પર્સ કે કાળી બેગ. ઉપરાંત, કાળા કપડામાં પૈસા લપેટવાનું ટાળો. આનાથી ધનની ખોટ થાય છે અને સુખનો માર્ગ અવરોધાય છે.
ઘરની પૂર્વ દિશા કઈ છે તે કેવી રીતે શોધવું? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
