Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે વલસાડના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં જોડાયા હતા.

| Updated on: Jan 04, 2025 | 11:30 AM
વલસાડના ધરમપુરમાં આવેલો શ્રીમદ રાજચંદ્ર આશ્રમએ શ્રીમદ્ રાજચંદ્ર મિશનનું મુખ્ય મથક છે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીનાલયમાં ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ રાકેશજી સાથે વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો હતો.

વલસાડના ધરમપુરમાં આવેલો શ્રીમદ રાજચંદ્ર આશ્રમએ શ્રીમદ્ રાજચંદ્ર મિશનનું મુખ્ય મથક છે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીનાલયમાં ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ રાકેશજી સાથે વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો હતો.

1 / 5
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ હાજર રહ્યાં હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ હાજર રહ્યાં હતા.

2 / 5
આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો  મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે.

આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે.

3 / 5
આ સાથે જ અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે.

આ સાથે જ અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે.

4 / 5
ગુરૂદેવ રાકેશજીએ આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.”

ગુરૂદેવ રાકેશજીએ આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.”

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">