Travel tips : આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન કરવાનો પ્લાન બનાવો
ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. ગુજરાત સમૃદ્ધ ઇતિહાસ, સ્વાદિષ્ટ વાનગીઓ, અનોખી પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. ચૈત્ર નવરાત્રિમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ક્યા ક્યા છે જાણો

આસો નવરાત્રી દરમિયાન તમને રસ્તાઓ શેરીઓ અને ક્લબમાં રંગબેરંગી કપડા પહેરેલા લોકો જોવા મળે છે. નવરાત્રીના 9 દિવસ ગલી, પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ બોલતી હોય છે. ત્યારે આજે અમે તમને ચૈત્ર નવરાત્રી દરમિયાન કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિશે વાત કરીશું, જ્યાં તમે જવાનો પ્લાન બનાવી શકો છો.

ચૈત્ર નવરાત્રી એ હિન્દુઓનો એક એવો તહેવાર છે, જે દેશના લગભગ દરેક ખૂણામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે અને દેવી દુર્ગાના દર્શન પણ કરે છે.

અહીં ફરવા આવતા લોકો પાટણની રાણી કી વાવ, અમદાવાદના સાબરમતી આશ્રમ અને મોઢેરાનું સૂર્ય મંદિર જોવા માટે દૂર-દૂરથી આવે છે. આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાઈ સિંહોને જોવાનો અનુભવ પણ એક અલગ જ હોય છે. પરંતુ શું તમે ક્યારેય નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી છે? જો નહીં, તો આ વખતે તમારે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરવાનું આયોજન કરવું જોઈએ. આજે અમે તમને નવરાત્રીના કેટલાક ફેમસ સ્થળો વિશે વિગતવાર જણાવીશું.

ગુજરાતમાં આવેલું સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર અંબાજી મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ મંદિર છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે.

દ્વારકા વિશે તો સૌ કોઈ જાણે છે. દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકામાં સ્થિત રુકમણિ દેવી મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર માનવામાં આવે છે.રુકમણિ દેવી મંદિરનો ઈતિહાસ અંદાજે 2500 વર્ષ જૂનો છે.

કચ્છ જિલ્લામાં આવેલું આશાપુરા માતા મંદિર એક પ્રસિદ્ધ અને પવિત્ર મંદિર માનવામાં આવે છે.આશાપુરા માતાજી દેવી શાકંભરી નું સ્વરૂપ મનાય છે. આ મંદિર ભુજથી 80 કિમી દૂર આવેલું છે. દર વર્ષે માતાના મઢમાં નવરાત્રીમાં મેળો ભરાય છે

ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે,અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફીટ જેટલી છે. શ્રદ્ધાળુ માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































