અંબાજી
યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.
આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.
Delhi Blast 2025 : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર ! અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ , જુઓ Video
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તત્કાળ અસરથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ મોડ પર છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગુજરાત-રાજસ્થાન સરહદ પર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 11, 2025
- 2:27 pm
પૂરગ્રસ્ત ખેડૂતો માટે જરૂર પડ્યે રૂપિયા 5000 કરોડની સહાય જાહેર કરાશેઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણી
ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદી-પૂરના પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે. જેના કારણે ખેતરનો પાક નિષ્ફળ જાય છે. આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે, સરકારે તાકીદની બેઠકો બોલાવીને જરૂરી ઠરાવો કરાવ્યા હોવાની વાત પણ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Oct 24, 2025
- 3:26 pm
દિવાળીના દિવસે અંબાજીમાં ઉમટ્યા માઈ ભક્તો, વર્ષના અંતિમ દિવસે માના ધામમાં ભક્તોનું ઘોડાપૂર- Video
દિવાળીના તહેવાર નિમીત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે માના ચરણોમાં શિશ જુકાવવા માટે દૂર દૂરથી પણ લોકો આવી રહ્યા છે અને આવનારુ નવુ વર્ષ સારુ રહે તે માટે માના પ્રાર્થના કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Oct 20, 2025
- 6:40 pm
ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શરુ કર્યો ગુજરાતના પ્રવાસ, 4 ઝોનનો કરશે પ્રવાસ, જુઓ Video
આજથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ શરુ કર્યો છે. અંબાજી મંદિરે દર્શન કર્યાં બાદ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર સ્વાગત કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 10, 2025
- 2:12 pm
અંબાજીમા GMDC કોપર પ્રોજેક્ટ અમલમાં મૂકશે, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે આપી મંજૂરી
ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન, માઇનિંગ અને પ્રોસેસિંગ થશે. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે. GMDCનો અંદાજ છે કે, આ ખનિજોનો લગભગ 1 કરોડ ટન જથ્થો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 22, 2025
- 5:47 pm
Navratri : શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રીની તડામાર તૈયાર, દર્શનના સમયમાં કરાયો વધારો, જુઓ Video
આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટે નવરાત્રીમાં માતાજીની આરધાના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 21, 2025
- 12:03 pm
અંબાજીમાં વરસાદી માહોલ વચ્ચે ઉમટ્યા માઈ ભક્તો, પૂનમે ચંદ્રગ્રહણને કારણે બપોરે 12.30 પછી નહીં ચડે ધજા- Video
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માનવ મહેરામણ દૂર દૂરથી ઉમટી રહ્યો છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ભાવિકો મા અંબાના દર્શન કરી ચુક્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2025
- 2:59 pm
Ambaji News: અંબાજી મંદિરમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન,ચાલુ વરસાદમાં ભક્તોએ ગરબાની રમઝટ માણી, જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આ વર્ષે પણ મેળામાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. છઠ્ઠા દિવસે પણ મંદિરમાં ભક્તોનો ઘોડાપુર જેવો ધસારો જોવા મળ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2025
- 2:50 pm
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા પદયાત્રિકો માટે 28 લાખ લીટર પીવાના પાણીની કરાઈ વ્યવસ્થા- Video
અંબાજીમાં શ્રદ્ધાની હેલી ચોથા દિવસે પણ યથાવત જોવા મળી. આરાસુરના માર્ગો પર શ્રદ્ધાનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના આ મહામેળામાં આવતા પદયાત્રિકો માટે 28 લાખ લીટર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 4, 2025
- 8:23 pm
History of city name : પાલનપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
પાલનપુર, ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં સ્થિત બનાસકાંઠા જિલ્લાના એક મહત્વપૂર્ણ શહેર અને નગરપાલિકા છે. આ નગર બનાસકાંઠા જિલ્લાનું તેમજ પાલનપુર તાલુકાનું પ્રશાસકીય કેન્દ્ર તરીકે ઓળખાય છે.
- Ashvin Patel
- Updated on: Sep 3, 2025
- 6:16 pm
Banaskantha : ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરુ, હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ, જુઓ Video
ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે.આ સાથે જ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઇ ગયું છે. લાખો માઇભક્તો મા અંબાના દર્શને ઉમટી રહ્યા છે. કોઇ પગપાળા, તો કોઇ સંઘ દ્વારા મા અંબાની યથા શક્તિ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 3, 2025
- 1:32 pm
Travel Tips : શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળામાં જવાનો પ્લાન બનાવો
આ મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી દુર આવેલું છે. તો ચાલો જાણીએ કેવી રીતે અંબાજી મેળામાં પહોંચશો.
- Nirupa Duva
- Updated on: Sep 2, 2025
- 4:39 pm
સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં 350 સંઘે કર્યા દર્શન, 3 હજારથી વધારે ધજા ચઢાવાઈ, જુઓ Video
ભાદરવી પૂનમના પર્વ પર અંબાજી અને ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરમાં ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પણ ભારે ભક્તોની ભારે ભીડ દર્શન કરવા માટે આવતા હોય છે.
- TV9 Gujarati
- Updated on: Sep 2, 2025
- 1:47 pm
Ambaji : ભાદરવી પૂનમે વાહન લઈને આવતા માઈભક્તો માટે તંત્રનું ખાસ આયોજન, મોબાઈલ એપ દ્વારા મળશે નિઃશુલ્ક પાર્કિંગ, જુઓ Video
1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવાનો છે.ત્યારે રસ્તા પર ટ્રાફિક ન સર્જાય અને ભક્તોને પણ સરળતાથી પાર્કિંગ મળી રહે તે માટે વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસનના સહિયારા પ્રયાસથી મેળામાં 35 જેટલી જગ્યા પર ઓનલાઈન અને નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 26, 2025
- 2:11 pm
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ, પદયાત્રિકોની સુવિધા માટે વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયા, જુઓ Video
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાવાનો છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો દર્શન અર્થે આવતા હોય છે.
- TV9 Gujarati
- Updated on: Aug 23, 2025
- 2:13 pm