AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી

અંબાજી

યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.

 

Read More

Breaking News : મા અંબે પ્રત્યે અનંત અંબાણીની અતૂટ શ્રદ્ધા, અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે કર્યુ 27 કરોડનું દાન

યાત્રાધામ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવે છે. હવે આ ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પહેલમાં એક જ દિવસમાં 30 કરોડ રુપિયાનું દાન મળ્યુ છે. જેમાં સૌથી મોટું યોગદાન અનંત અંબાણી દ્વારા આપવામાં આવ્યું છે.

  • Nishat
  • Updated on: Feb 19, 2026
  • 2:03 pm

Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે

રાજ્ય સરકારે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન માટે ₹3,090 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં અંબાજી કોરિડોર, સોમનાથ સ્વાભિમાન પર્વ, મેરીટાઇમ મ્યુઝિયમ અને રાજ્યમાં નવા હવાઈ રૂટ્સ શરૂ કરવા જેવી અનેક મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : અંબાજીમાં બીજી નેશનલ મહિલા તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કરાયું, 500થી વધુ મહિલા તીરંદાજો ભાગ લેશે

પહેલી ટુર્નામેન્ટ, "આદિશક્તિ - રાષ્ટ્રીય મહિલા તીરંદાજી ચેમ્પિયનશિપ" એપ્રિલ 2025 માં અંબાજીમાં યોજાઈ હતી, જેનું આયોજન ખેલો ઈન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. બીજી ટુર્નામેન્ટ હવે જાન્યુઆરી 2026 માં યોજાવાની છે, જે બીજી સીઝન છે

અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

પોષી પૂનમના પાવન અવસરે અંબાજી ધામમાં મા અંબાના પ્રાગટોત્સવની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંગળા આરતી અને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દિવસે શાકંભરી નવરાત્રીની પણ પૂર્ણાહુતિ થતી હોય છે. ગબ્બરથી લાવેલી જ્યોત સાથે નગર પરિભ્રમણ માટે શોભાયાત્રાનું આયોજન કરાયું.

સોનાનું મોટું દાન ! પ્રાગટ્યોત્સવ પહેલા જ અમદાવાદના જય ભોલે ગ્રુપે ₹43.51 લાખની કિંમતનો મુગટ અંબાજીમાં અર્પણ કર્યો – જુઓ Video

યાત્રાધામ અંબાજીમાં મા અંબેના પ્રાગટ્યોત્સવ પહેલા ભક્તોએ સોનાનું મોટું દાન કર્યું છે. અમદાવાદના ભક્તોએ 43 લાખ 51 હજારની કિંમતનો સોનાનો મુગટ માતાજીને અર્પણ કર્યો છે.

Breaking News : શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય, 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થતુ હોવાને કારણે લેવાયો નિર્ણય, જુઓ Video

બનાસકાંઠા જિલ્લામાં આવેલા 51 શક્તિપીઠોમાંના એક એવા વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભક્તોની સલામતી અને મંદિરના માળખાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને જાહેર કર્યું છે કે 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવાની મંજૂરી આપવામાં નહીં આવે.

અંબાજીમાં આઠમની પૂજા પર રાજવી પરિવારના વિશેષાધિકાર પર હાઈકોર્ટે લગાવી રોક, તો રાજવી પરિવારે ચુકાદાને વખોડ્યો- Video

અંબાજી મંદિરમાં આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે મુજબ નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે. તો રાજવી પરિવારે આ ચુકાદાને વખોડ્યો છે અને ચુકાદો રિવોક કરવાની માગ કરી છે.

Breaking News: અંબાજી મંદિરની સ્થાપના બાદનો મોટો નિર્ણય, ગુજરાત હાઇકોર્ટના એક હુકમથી લાખો ભક્તોમાં ખુશીનો માહોલ – જુઓ Video

ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આ એક નિર્ણયથી ભક્તોમાં ખુશીઓ છવાઈ છે અને હવે વધારે ભક્તોને દર્શન કરવાની તક મળશે, તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Delhi Blast 2025 : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર ! અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ , જુઓ Video

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તત્કાળ અસરથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ મોડ પર છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગુજરાત-રાજસ્થાન સરહદ પર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત ખેડૂતો માટે જરૂર પડ્યે રૂપિયા 5000 કરોડની સહાય જાહેર કરાશેઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણી

ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદી-પૂરના પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે. જેના કારણે ખેતરનો પાક નિષ્ફળ જાય છે.  આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે, સરકારે તાકીદની બેઠકો બોલાવીને જરૂરી ઠરાવો કરાવ્યા હોવાની વાત પણ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

દિવાળીના દિવસે અંબાજીમાં ઉમટ્યા માઈ ભક્તો, વર્ષના અંતિમ દિવસે માના ધામમાં ભક્તોનું ઘોડાપૂર- Video

દિવાળીના તહેવાર નિમીત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે માના ચરણોમાં શિશ જુકાવવા માટે દૂર દૂરથી પણ લોકો આવી રહ્યા છે અને આવનારુ નવુ વર્ષ સારુ રહે તે માટે માના પ્રાર્થના કરી રહ્યા છે.

ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શરુ કર્યો ગુજરાતના પ્રવાસ, 4 ઝોનનો કરશે પ્રવાસ, જુઓ Video

આજથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતનો પ્રવાસ શરુ કર્યો છે. અંબાજી મંદિરે દર્શન કર્યાં બાદ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર સ્વાગત કર્યો છે.

અંબાજીમા GMDC કોપર પ્રોજેક્ટ અમલમાં મૂકશે, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે આપી મંજૂરી

ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન, માઇનિંગ અને પ્રોસેસિંગ થશે. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે. GMDCનો અંદાજ છે કે, આ ખનિજોનો લગભગ 1 કરોડ ટન જથ્થો છે.

Navratri : શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રીની તડામાર તૈયાર, દર્શનના સમયમાં કરાયો વધારો, જુઓ Video

આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટે નવરાત્રીમાં માતાજીની આરધાના અને પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

અંબાજીમાં વરસાદી માહોલ વચ્ચે ઉમટ્યા માઈ ભક્તો, પૂનમે ચંદ્રગ્રહણને કારણે બપોરે 12.30 પછી નહીં ચડે ધજા- Video

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માનવ મહેરામણ દૂર દૂરથી ઉમટી રહ્યો છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ભાવિકો મા અંબાના દર્શન કરી ચુક્યા છે.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">