AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી

અંબાજી

યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.

 

Read More

ગબ્બર માર્ગે અમદાવાદના શ્રદ્ધાળુઓની ગાડીઓ પર હુમલો, લૂંટના ઈરાદે અસામાજિક તત્વોનો આતંક – જુઓ Video

અંબાજી દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ માટે એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. અંબાજી નજીકના રસ્તાઓ પર મુસાફરોની ગાડીઓ પર પથ્થર ફેંકવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે યાત્રિકોમાં થોડો ભય જોવા મળી રહ્યો છે.

Breaking News : અંબાજીમાં ઐતિહાસિક બદલાવ, આદિવાસી સમાજે અપનાવી નવી પ્રથા, જુઓ Video

અંબાજી શક્તિપીઠમાં વર્ષો જૂની પશુબલીની પ્રથાનો આદિવાસી સમાજે અંત કર્યો છે. વૈશાખ પૂનમ નિમિત્તે, મા અંબાના શરણે આવેલા આદિવાસી ભક્તોએ સંતાનોની સુખાકારી અને માનતાઓ પૂરી કરવા માટે હવે શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી નવી પરંપરા સ્થાપી છે.

Ambaji : ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલે દર્શન અને રોપવે સેવા બંધ, જાણો કારણ, જુઓ Video

યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલના રોજ દર્શન અને રોપવે સેવા બંધ રહેશે. મધમાખીઓના હુમલાની ભીતિને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે.

ગિરનારમાં અધર્મનો ખેલ ! મા અંબાના મંદિરમાં દારૂ-માંસની પાર્ટી અને લાખોની ઉચાપત, પૂજારીઓ સહિત 11 સામે ‘ફરિયાદ’ – જુઓ Video

શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા પવિત્ર ગિરનાર શિખર પરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જે સાંભળીને કોઈપણ શ્રદ્ધાળુઓનું લોહી ઉકળી જશે. મા અંબાના ધામમાં જ્યાં લાખો ભક્તો શીશ નમાવવા આવે છે, ત્યાં જ કેટલાક અધર્મીઓએ પવિત્રતાના લીરેલીરા ઉડાડ્યા છે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્-Video

યાત્રાધામ અંબાજીમાં ગેસની અછત વચ્ચે પણ યાત્રિકોને આપવામાં આવતુ બે ટાઈમ નિ:શુલ્ક ભોજન યથાવત રહેશે. ગેસની અછતની યાત્રિકોના ભોજન પર કોઈ અસર નહીં થાય. હાલ ગેસનો પુરતો સ્ટોક છે અને જો સ્ટોક ખૂટી જશે તો લાકડા પર રસોઈ કરીને પણ યાત્રિકોને ભોજન આપવામાં આવશે તેમ મંદિર પ્રશાસન દ્વારા જણાવાયુ છે.

Breaking News : મા અંબે પ્રત્યે અનંત અંબાણીની અતૂટ શ્રદ્ધા, અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે કર્યુ 27 કરોડનું દાન

યાત્રાધામ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવે છે. હવે આ ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પહેલમાં એક જ દિવસમાં 30 કરોડ રુપિયાનું દાન મળ્યુ છે. જેમાં સૌથી મોટું યોગદાન અનંત અંબાણી દ્વારા આપવામાં આવ્યું છે.

  • Nishat
  • Updated on: Feb 19, 2026
  • 2:03 pm

Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે

રાજ્ય સરકારે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન માટે ₹3,090 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં અંબાજી કોરિડોર, સોમનાથ સ્વાભિમાન પર્વ, મેરીટાઇમ મ્યુઝિયમ અને રાજ્યમાં નવા હવાઈ રૂટ્સ શરૂ કરવા જેવી અનેક મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : અંબાજીમાં બીજી નેશનલ મહિલા તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કરાયું, 500થી વધુ મહિલા તીરંદાજો ભાગ લેશે

પહેલી ટુર્નામેન્ટ, "આદિશક્તિ - રાષ્ટ્રીય મહિલા તીરંદાજી ચેમ્પિયનશિપ" એપ્રિલ 2025 માં અંબાજીમાં યોજાઈ હતી, જેનું આયોજન ખેલો ઈન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. બીજી ટુર્નામેન્ટ હવે જાન્યુઆરી 2026 માં યોજાવાની છે, જે બીજી સીઝન છે

અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

પોષી પૂનમના પાવન અવસરે અંબાજી ધામમાં મા અંબાના પ્રાગટોત્સવની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંગળા આરતી અને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દિવસે શાકંભરી નવરાત્રીની પણ પૂર્ણાહુતિ થતી હોય છે. ગબ્બરથી લાવેલી જ્યોત સાથે નગર પરિભ્રમણ માટે શોભાયાત્રાનું આયોજન કરાયું.

સોનાનું મોટું દાન ! પ્રાગટ્યોત્સવ પહેલા જ અમદાવાદના જય ભોલે ગ્રુપે ₹43.51 લાખની કિંમતનો મુગટ અંબાજીમાં અર્પણ કર્યો – જુઓ Video

યાત્રાધામ અંબાજીમાં મા અંબેના પ્રાગટ્યોત્સવ પહેલા ભક્તોએ સોનાનું મોટું દાન કર્યું છે. અમદાવાદના ભક્તોએ 43 લાખ 51 હજારની કિંમતનો સોનાનો મુગટ માતાજીને અર્પણ કર્યો છે.

Breaking News : શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય, 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થતુ હોવાને કારણે લેવાયો નિર્ણય, જુઓ Video

બનાસકાંઠા જિલ્લામાં આવેલા 51 શક્તિપીઠોમાંના એક એવા વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભક્તોની સલામતી અને મંદિરના માળખાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને જાહેર કર્યું છે કે 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવાની મંજૂરી આપવામાં નહીં આવે.

અંબાજીમાં આઠમની પૂજા પર રાજવી પરિવારના વિશેષાધિકાર પર હાઈકોર્ટે લગાવી રોક, તો રાજવી પરિવારે ચુકાદાને વખોડ્યો- Video

અંબાજી મંદિરમાં આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે મુજબ નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે. તો રાજવી પરિવારે આ ચુકાદાને વખોડ્યો છે અને ચુકાદો રિવોક કરવાની માગ કરી છે.

Breaking News: અંબાજી મંદિરની સ્થાપના બાદનો મોટો નિર્ણય, ગુજરાત હાઇકોર્ટના એક હુકમથી લાખો ભક્તોમાં ખુશીનો માહોલ – જુઓ Video

ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આ એક નિર્ણયથી ભક્તોમાં ખુશીઓ છવાઈ છે અને હવે વધારે ભક્તોને દર્શન કરવાની તક મળશે, તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Delhi Blast 2025 : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર ! અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ , જુઓ Video

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તત્કાળ અસરથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ મોડ પર છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગુજરાત-રાજસ્થાન સરહદ પર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત ખેડૂતો માટે જરૂર પડ્યે રૂપિયા 5000 કરોડની સહાય જાહેર કરાશેઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણી

ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદી-પૂરના પાણી ભરાવવાનો પ્રશ્ન બન્યો છે. જેના કારણે ખેતરનો પાક નિષ્ફળ જાય છે.  આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે, સરકારે તાકીદની બેઠકો બોલાવીને જરૂરી ઠરાવો કરાવ્યા હોવાની વાત પણ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">