AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી

અંબાજી

યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.

 

Read More

PBKS vs MI : પ્રીતિ ઝિન્ટા શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી, પંજાબ કિંગ્સની જીત માટે પ્રાર્થના કરી

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર-2 માં ટકરાવવા માટે તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે બંને ટીમો પરસેવો પાડી રહી છે. આ ઉપરાંત, ટીમ મેનેજમેન્ટ પણ નવી રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ક્વોલિફાયર-2 પહેલા બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા 31 મે, શનિવારના રોજ શક્તિપીઠ અંબાજી ધામ મંદિર પહોંચી હતી.

Breaking News : બોલીવુડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ અંબાજી મંદિરમાં કર્યા દર્શન

બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને આઈપીએલની પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ ગુજરાતના પવિત્ર તીર્થધામ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચ રમાય તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રિતી ઝીંટાએ મા અંબાના શરણે પહોંચી હતી.

History of city name : અંબાજી નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

અંબાજી, ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ, ભાદરવા સુદ અષ્ટમના મેળા માટે જાણીતું છે. આ લેખ અંબાજીના નામકરણ, ઐતિહાસિક મહત્વ, શક્તિપીઠ તરીકેનું સ્થાન અને ભૌગોલિક સ્થાન સમજાવે છે. મંદિરમાં વિશ્વશક્તિ યંત્રની પૂજા થાય છે, જે ગુપ્ત રીતે સ્થાપિત છે. અંબાજી માત્ર ધાર્મિક સ્થળ નહીં, પણ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર પણ છે.

Rain News : ઈડરમાં ખાબક્યો કમોસમી વરસાદ, અન્ડર બ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો, 10 કિમી સુધી ટ્રાફિક જામ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યાર સાબરકાંઠાના ઈડરમાં રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. ઈડરમાં કમોસમી વરસાદ ખાબકતા હિંમતનગર-અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે.

Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.

કાળઝાળ ગરમીને ધ્યાને રાખી અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા – Video

ઉનાળામાં મા અંબાના દર્શને આવતા માઈભક્તો માટે અંબાજી દ્વારા ઉનાળાને ધ્યાને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માના દર્શને આવતા માઈભક્તોને ગરમીથી રાહત આપવા માટે મોટી સંખ્યામાં કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભારે ભીડ, જુઓ Video

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

Travel with tv9 : ચૈત્રી નવરાત્રીમાં ગુજરાતના આ મંદિરમાં કરો માતાજીના દર્શન

ચૈત્રી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમે પણ નવરાત્રીમાં ગુજરાતમાં આવેલા શક્તી પીઠ અને પ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જઈ શકો છો. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ મંદિરોમાં દર્શન કરવાનો પ્લાન કરી શકો છો.

Travel tips : આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો લોકોને અહીં આવવા માટે મજબૂર કરે છે. ગુજરાત સમૃદ્ધ ઇતિહાસ, સ્વાદિષ્ટ વાનગીઓ, અનોખી પરંપરાઓ અને કુદરતી સૌંદર્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે. ચૈત્ર નવરાત્રિમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ક્યા ક્યા છે જાણો

Gujarat Tourism : પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, GSRTC ટુંક જ સમયમાં શરુ કરશે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે એસટી નિગમ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ટુંકમાં એસટી નિગમ ટુંક જ સમયમાં રાજ્યના તીર્થ સ્થળો માટે ટૂરિસ્ટ પેકેજની શરુઆત કરી શકે છે.

પોષી પૂનમના અવસરે ધાર્મિક સ્થાનોએ ભાવિકોની ભીડ, શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

રાજ્યમાં પોષી પૂનમના અવસરે અનેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની લાઈનો લાગી તો ખેડા ના સંતરામ મંદિરમાં બોર ઉછામણીની બાધા પૂરી કરવા ભાવિકો ઉમટ્યા આ તરફ અંબાજીમાં અંબેનો પ્રાગટ્યોત્સવની અંબાજી ખાતે ધામધૂમથી ઉજ્જવણી કરવામાં આવી.

નવ વર્ષે રાજ્યભરના તીર્થસ્થાનોએ ઉમટ્યુ માનવ મહેરામણ, સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

નવા વર્ષે રાજ્યના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. સોમનાથ, દ્વારકા અને અંબાજીમાં વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ. દૂર દૂરથી લોકો નવા વર્ષે ઈશ્વરના ચરણોમાં શિશ નમાવવા આવ્યા હતા.

દિવાળીની રજાઓમાં દેશ-વિદેશના 61.70 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો

દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે.દિવાળીની રજાઓમાં દેશ-વિદેશના 61.70 લાખથી વધુ, પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યો છે.

Banaskantha : અંબાજીમાં સામુહિક દુષ્કર્મનો કેસ, 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર, જુઓ Video

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. અંબાજીમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ધટના બની છે. 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટા પિતા ના ઘરે જવા નીકળી હતી.

Travel Tips : રજામાં મિત્રો સાથે બનાવો બનાસકાંઠા ફરવાનો પ્લાન, આ છે ટુરિસ્ટ પ્લેસ

બનાસકાંઠામાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. માઉંટ આબુ અને અરવ્લ્લીની ગીરીમાળાની ખીણમાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાને નામ રાખવામાં આવેલુ છે.આ જિલ્લાનુ રણ કચ્છના રણ સાથે જોડાયેલ છે. આ જિલ્લો અંબાજી મંદીર થી પ્રખ્યાત છે જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

g clip-path="url(#clip0_868_265)">