AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી

અંબાજી

યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.

 

Read More

Breaking News: PM મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ને હાઈકોર્ટની લીલીઝંડી, અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરનું કામ વેગ પકડશે – જુઓ Video

ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે અંબાજી કેળવણી મંડળની જમીન સંપાદન સામેની અરજીઓ ફગાવી દીધી છે અને બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી પ્રધાનમંત્રી મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને વેગ મળશે.

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટનો ‘મોટો નિર્ણય’, શિખર પર હવે માત્ર 5 મીટરની જ ધજા ચઢાવી શકાશે – જુઓ Video

અંબાજી ભાદરવી પૂનમ મેળા પૂર્વે મંદિર ટ્રસ્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શિખર પર માત્ર 5 મીટરની જ ધજા ચઢાવી શકાશે. શ્રદ્ધાળુઓ અને પદયાત્રી સંઘોને 5 મીટરની ધજા લાવવા અપીલ કરાઈ છે. જણાવી દઈએ કે, આ નિર્ણય ભીડ વ્યવસ્થાપન માટે લેવાયો છે.

Breaking News: અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક માઈભક્તે માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતાં મોટી માત્રામાં સોનાનું દાન કર્યું છે. ભક્તે કુલ 167.270 ગ્રામ સોનું માતાજીના ચરણોમાં અર્પણ કર્યું હતું. લાખો રૂપિયાની કિંમતનું સોનું દાન કરવામાં આવતા મંદિર પરિસરમાં પણ આ અંગે ચર્ચા જોવા મળી હતી.

Breaking News: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, 5 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની શક્યતા

શક્તિપીઠ અંબાજીમાં આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળાને લઈને સેવાભાવી કેમ્પ સંચાલકો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મોટી સંખ્યામાં યાત્રિકો પગપાળા અંબાજી પહોંચતા હોવાથી મેળા દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.

પાલનપુરમાં હોટલ માલિકની અતૂટ આસ્થા, 4 મહિના પહેલાં ખોવાયેલો ડોગ પરત મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ કરી

પાલનપુરના હોટલ માલિકનો પ્રિય લેબ્રાડોર ડોગ ખોવાઈ જતાં તેમણે અંબાજી માતાજીની માનતા રાખી હતી. ચાર મહિને ડોગ પરત મળતાં તેમણે સ્ટાફ અને ડોગ સાથે પગપાળા યાત્રા શરૂ કરી છે.

Breaking News : અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની ધરપકડ, SOP પણ અમલમાં મુકી

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના એક કર્મચારીએ ભંડારમાંથી રોકડના બંડલની ચોરી કરી હતી. આ કેસમાં ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે.

રામમંદિરની જેમ ગુજરાતના આ મોટા મંદિરમાં પણ દાનચોરી, CCTV આવ્યા સામે..

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાંથી દાનના રૂપિયાની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. મંદિરના હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે દાન ભંડારમાંથી રૂ. 1 લાખથી વધુની રકમ ચોરી કરતા CCTVમાં ઝડપાયો હતો.

ગબ્બર માર્ગે અમદાવાદના શ્રદ્ધાળુઓની ગાડીઓ પર હુમલો, લૂંટના ઈરાદે અસામાજિક તત્વોનો આતંક – જુઓ Video

અંબાજી દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ માટે એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. અંબાજી નજીકના રસ્તાઓ પર મુસાફરોની ગાડીઓ પર પથ્થર ફેંકવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે યાત્રિકોમાં થોડો ભય જોવા મળી રહ્યો છે.

Breaking News : અંબાજીમાં ઐતિહાસિક બદલાવ, આદિવાસી સમાજે અપનાવી નવી પ્રથા, જુઓ Video

અંબાજી શક્તિપીઠમાં વર્ષો જૂની પશુબલીની પ્રથાનો આદિવાસી સમાજે અંત કર્યો છે. વૈશાખ પૂનમ નિમિત્તે, મા અંબાના શરણે આવેલા આદિવાસી ભક્તોએ સંતાનોની સુખાકારી અને માનતાઓ પૂરી કરવા માટે હવે શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી નવી પરંપરા સ્થાપી છે.

Ambaji : ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલે દર્શન અને રોપવે સેવા બંધ, જાણો કારણ, જુઓ Video

યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર 22 અને 23 એપ્રિલના રોજ દર્શન અને રોપવે સેવા બંધ રહેશે. મધમાખીઓના હુમલાની ભીતિને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે.

ગિરનારમાં અધર્મનો ખેલ ! મા અંબાના મંદિરમાં દારૂ-માંસની પાર્ટી અને લાખોની ઉચાપત, પૂજારીઓ સહિત 11 સામે ‘ફરિયાદ’ – જુઓ Video

શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા પવિત્ર ગિરનાર શિખર પરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જે સાંભળીને કોઈપણ શ્રદ્ધાળુઓનું લોહી ઉકળી જશે. મા અંબાના ધામમાં જ્યાં લાખો ભક્તો શીશ નમાવવા આવે છે, ત્યાં જ કેટલાક અધર્મીઓએ પવિત્રતાના લીરેલીરા ઉડાડ્યા છે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્-Video

યાત્રાધામ અંબાજીમાં ગેસની અછત વચ્ચે પણ યાત્રિકોને આપવામાં આવતુ બે ટાઈમ નિ:શુલ્ક ભોજન યથાવત રહેશે. ગેસની અછતની યાત્રિકોના ભોજન પર કોઈ અસર નહીં થાય. હાલ ગેસનો પુરતો સ્ટોક છે અને જો સ્ટોક ખૂટી જશે તો લાકડા પર રસોઈ કરીને પણ યાત્રિકોને ભોજન આપવામાં આવશે તેમ મંદિર પ્રશાસન દ્વારા જણાવાયુ છે.

Breaking News : મા અંબે પ્રત્યે અનંત અંબાણીની અતૂટ શ્રદ્ધા, અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે કર્યુ 27 કરોડનું દાન

યાત્રાધામ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવે છે. હવે આ ભક્તોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન મળે તે માટે ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પહેલમાં એક જ દિવસમાં 30 કરોડ રુપિયાનું દાન મળ્યુ છે. જેમાં સૌથી મોટું યોગદાન અનંત અંબાણી દ્વારા આપવામાં આવ્યું છે.

  • Nishat
  • Updated on: Feb 19, 2026
  • 2:03 pm

Gujarat Budget 2026-27: શ્રદ્ધાળુઓ આનંદો ! ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર, દ્વારકાને વિકસાવાશે

રાજ્ય સરકારે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન માટે ₹3,090 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં અંબાજી કોરિડોર, સોમનાથ સ્વાભિમાન પર્વ, મેરીટાઇમ મ્યુઝિયમ અને રાજ્યમાં નવા હવાઈ રૂટ્સ શરૂ કરવા જેવી અનેક મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : અંબાજીમાં બીજી નેશનલ મહિલા તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કરાયું, 500થી વધુ મહિલા તીરંદાજો ભાગ લેશે

પહેલી ટુર્નામેન્ટ, "આદિશક્તિ - રાષ્ટ્રીય મહિલા તીરંદાજી ચેમ્પિયનશિપ" એપ્રિલ 2025 માં અંબાજીમાં યોજાઈ હતી, જેનું આયોજન ખેલો ઈન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. બીજી ટુર્નામેન્ટ હવે જાન્યુઆરી 2026 માં યોજાવાની છે, જે બીજી સીઝન છે

ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">