અંબાજી

અંબાજી

યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.

 

Read More

Lok sabha Election 2024 : બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજીમાં દર્શન કર્યો, મતદારોનો આભાર માન્યો, જુઓ Video

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. મતદાન બાદ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોરે અંબાજીની મુલાકાત લીધી છે. જ્યાં મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે સાથે મતદારોનો આભાર માન્યો હતો.

Banaskantha Video : અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્ત સાથે ઠગાઈ, વેપારીએ ખોટો ચાંદીનો સિક્કો પધરાવ્યો

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે કેટલીક વાર તેમના સાથે છેતરપિંડીની ઘટના બનતી હોય છે. આવી જ છેતરપિંડીની ઘટના ચેન્નાઈથી આવેલા ભક્ત સાથે થઈ છે.

Banaskantha Video : અંબાજી મંદિરમાં સફાઇ કામદારો માટે રખાયા બાઉન્સર, જાણો શું છે કારણ

બનાસકાંઠાના અંબાજીમાં સફાઇ કામદારો માટે 10 બાઉન્સર તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરૂષ બાઉન્સરો છે. પરંતુ કયા કારણોસર બનાસકાંઠાના યાત્રાધામમાં સફાઈકામદારો માટે બાઉન્સર રખાયા છે.

ભર ઉનાળે અંબાજીમાં વરસ્યો વરસાદ, ગરમીથી મળી રાહત, જુઓ વીડિયો

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. આ આગાહી અનુસાર ગુજરાતના વિવિઘ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. યાત્રાધામ અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તુટી પડ્યો હતો. 

અંબાજીમાં ફાગણ સુદ પૂર્ણીમાની સવારની આરતી ક્યારે કરવામાં આવશે? જાણો

હોળી ધૂળેટીની તહેવારોને લઈ રાજ્યના પ્રસિદ્ધ મંદિરોના દર્શન અને આરતીના સમયપત્રક જાહેર કરવામા આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા પણ ફાગણ સુદ પૂર્ણીમાની તિથિ અને આરતીને લઈ વિગતો જાહેર કરવામાં આવી છે. જાણો ફાગણ સુદ પૂર્ણીમાની આરતી ક્યારે કરવામાં આવશે.

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, ઓનલાઈન પ્રસાદ મોકલવાની સુવિધા શરૂ

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન મોહનથાળ અને ચીકીના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ભક્તો ઘરે બેઠા અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઈને પ્રસાદ મંગાવી શકશે. એટલું જ નહીં ઓનલાઈન આ પ્રસાદ કોઈ પણ વધારાના ચાર્જ વગર ભક્તો સુધી પહોંચાડવામાં આવશે.

Video : અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ, જાણો શું છે કારણ

મહાશિવરાત્રી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો કે તમે અંબાજી દર્શન કરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર વાંચજો,કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે.

ST બસમાં દારુની હેરફેર કરતા 2 શખ્શ ઝડપાયા, અંબાજીથી અમદાવાદ આવી રહ્યા હતા

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે એસટી બસમાં ચેકિંગ કરતા દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા હતા. અંબાજીથી રાજપીપળા જઇ રહેલી બસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. અંબાજીમાં હાલમાં દારુને લઈ લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, જેને લઈ પોલીસ હાલમાં એક્શન મોડમાં દારુના સંદર્ભે જોવા મળી રહી છે. પોલીસે બે શખ્શોને ઝડપીને લઈને તપાસ શરુ કરી છે.

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

અંબાજી આવી રહેલી રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની બસ નદીમાં ખાબકવાની ઘટના સર્જાઈ છે. નદીમાં બસ ખાબકવાને લઈ 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. આબુ રોડથી અંબાજી તરફ બસ આવી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તોની મોટી ભીડ અહીં જામતી હોય છે. આ દરમિયાન અસામાજીક તત્વોથી મંદિરે આવતા શ્રદ્ધાળુંઓ સહિત સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને હેરાનગતિ થઇ રહી છે. જેને લઇ અંબાજી પોલીસનું સ્થળ પર સતત મોનીટરીંગ શરુ કરાયુ છે.

યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, ખેતી પાકમાં નુક્સાનની ભીતિ

યાત્રાધામ અંબાજી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓ પણ કમોસમી વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદને લઈ ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોને એરંડા, રાયડો, જીરું, ઇસબગુલ, વરીયાળી અને બટાકાના પાકમાં નુક્સાનની ભીતી સતાવવા લાગી છે.

અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો 842 ગ્રામ ચાંદીના 17 ચોરસા ભેટ ધર્યા

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી રહ્યા છે. તહેવાર હોય કે સામાન્ય દિવસ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માં ના ચરણોમાં ધરાવતા હોય છે. આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે.

અંબાજી મંદિરને હજારો દીવડાઓની રોશનીનો કરાયો શણગાર, લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો દરમિયાન ગરબે ઘુમ્યા ધારાસભ્યો- વીડિયો

બનાસકાંઠા: પવિત્ર યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ખાતે પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમા ચોથા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ અંબાજી પરિક્રમા મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં મંત્રીઓ અને ધારાસભ્યો મા અંબાની ભક્તિમાં લીન થયા હતા. લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો નિહાળી ધારાસભ્યો ગરબે ઘુમી માતાના આરાધના કરતા પણ જોવા મળ્યા હતા.

ગુજરાતના CM સહિત ધારાસભ્યો મા અંબાના શરણે, મહાઆરતી બાદ ધારાસભ્યો ગરબે ઘૂમ્યા, જુઓ ફોટા

બનાસકાંઠાના 51 શક્તિપીઠ અંબાજી ખાતે માની સતત બીજા વર્ષે પરિક્રમા યોજાઇ. ત્યારે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અન્ય પ્રધાનો અને ધારાસભ્યો સાથે અંબાજીની મુલાકાત લીધી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં સૌ ધારાસભ્યો અને પ્રધાનોએ માના ચરણોમાં વંદન કરી ગરબા પણ રમ્યા હતા.

CM સહિત મંત્રીઓ અને ધારાસભ્યો પહોંચ્યા માં અંબાના દર્શને, 51 શક્તિપીઠ પરિક્રમામાં લેશે ભાગ, જુઓ Video

મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો અંબાજી મુલાકાતે પહોંચ્યા છે. 51 શક્તિપીઠ પરિક્રમામાં તમામ ભાજપના નેતા ભાગ લેશે. ગબ્બર ખાતે મહા આરતીમાં તમામ લોકો જોડાશે. મહાઆરતી બાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. મહત્વનું છે કે, ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે.

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">