Food poisoning : ઉનાળામાં ફૂડ પોઈઝનિંગથી કેવી રીતે બચી શકાય ? જાણી લો
ઉનાળાના દિવસોમાં ફૂડ પોઈઝનિંગ થવાની સંભાવના વધારે હોય છે. ઊંચા તાપમાનના કારણે ખાદ્યપદાર્થો ઝડપથી બગડી શકે છે, ખાસ કરીને જો તેને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો બેક્ટેરિયા ઝડપથી વધે છે. એટલે જ ઉનાળામાં ભોજન સાવધાનીથી ખાવું જોઈએ.

ફૂડ પોઈઝનિંગ એ એવી સ્થિતિ છે જે ખોરાક અથવા પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ, અથવા ઝેરી તત્વો દ્વારા થાય છે. આ બીમારી સામાન્ય રીતે દુષિત ખોરાક ખાવાના થોડા સમય પછી શરૂ થાય છે. (Credits: - Canva)

ફૂડ પોઈઝનિંગના સામાન્ય લક્ષણોમાં ઉલટી, પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો, નબળાઈ અને ભૂખ ન લાગવી જેવી તકલીફો જોવા મળે છે. (Credits: - Canva)

ઉલટી અને ઝાડા થવાથી શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ની ગંભીર ઉણપ થઈ શકે છે. ઘણીવાર આ લક્ષણો થોડા સમય માટે હોય છે અને આરામની સાથે-સાથે ભરપૂર પાણી પીવાથી સુધારામાં મદદ મળી શકે છે. (Credits: - Canva)

જો તમને અચાનક પેટમાં તીવ્ર ખેંચાણ કે દુખાવો થાય, તો સમજો કે પેટમાં ચેપ છે. આ દુખાવો અચાનક શરૂ થાય છે અને પછી ધીમે ધીમે વધતો જાય છે. જો તમને પણ આવું લાગે છે, તો સમજો કે તમે ફૂડ પોઈઝનિંગથી પીડિત છો. દુખાવો વધે તે પહેલાં, તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. (Credits: - Canva)

જો તમને ફૂડ પોઇઝનિંગ થયું હોય, તો તમને સતત ઉલટી થઈ શકે છે. તો તેને સામાન્ય ન માનો, તે ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે. વારંવાર ઉલટી થવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેથી, આનાથી બચવા માટે, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. (Credits: - Canva)

ફૂડ પોઈઝનિંગથી બચવા માટે કેટલીક ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલાં, ખોરાક બનાવતાં કે ખાતાં સમયે હાથ ધોવાને પ્રાથમિકતા આપવી જોઈએ. તાજા અને સ્વચ્છ ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ અને એક્સપાયરી ડેટ વાળો ખોરાકને ટાળવો જોઈએ. કાચું અને તૈયાર ખોરાક અલગ-અલગ રાખવો જોઈએ જેથી ક્રોસ-કંટામિનેશન ના થાય. (Credits: - Canva)

બહારનું ખાવું ટાળવું, ખાસ કરીને ખુલ્લામાં વેચાતો ખોરાક, પીવાનું પાણી પણ શુદ્ધ હોવું જરૂરી છે. આવા નાના-મોટા પગલાં દ્વારા ફૂડ પોઈઝનિંગ જેવી તકલીફજનક બીમારીથી બચી શકાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો






































































