Vastu tips : ચકલી ઘરમાં માળો બનાવે તો શેનો સંકેત છે ? તમે નહીં જાણતા હોવ આ વાત
ચકલી (House Sparrow) આપણા દૈનિક જીવનમાં સરળતાથી જોવા મળે છે. તે પોતાના મીઠા અવાજ અને મર્યાદિત શારીરિક કદ માટે જાણીતી છે. જો ચકલી તમારા ઘરમાં માળો બનાવે તો તે શુભ છે કે અશુભ, આવો જાણીએ તેના શુભ-અશુભ ફળ.

પ્રાચીન માન્યતાઓ કહે છે કે ઘરમાં ચકલી માળો બનાવે, તો તે માત્ર એક પ્રાકૃતિક ઘટના નથી, તે દિવ્ય સંકેત છે! શું તમે જાણો છો કે ચકલી માતા લક્ષ્મીનું પ્રતિક છે? તે જ્યાં વસે છે,ત્યાં ધનલક્ષ્મી અને શાંતિનો વાસ થાય છે. તો શું તમારા ઘરમાં પણ આ શુભ સંકેત આવ્યો છે? આવો, જાણીએ તેની પાછળના રહસ્યો! ( Credits: Getty Images )

ચકલી માત્ર એક નાનકડું પંખી નથી, તે સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ લાવે છે. જો તે તમારા ઘરમાં માળો બાંધી રહી હોય, તો જાણો કે તમારા જીવનમાં એક નવો, સકારાત્મક અને દૈવી પ્રભાવ પ્રવેશી રહ્યો છે! ( Credits: Getty Images )

હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં પંખીઓને પવિત્ર માનવામાં આવ્યું છે. ચકલીનો માળો ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવતો સંકેત છે.કેટલાક ગ્રંથો અનુસાર, ચકલી માતા લક્ષ્મી સાથે સંકળાયેલી છે, એટલે કે તે ઘરમાં સુખ-સંપત્તિ લાવે છે. ( Credits: Getty Images )

વાસ્તુમાં માનવામાં આવે છે કે ચકલી જ્યાં માળો બનાવે, ત્યાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે.તે ઘરના લોકો માટે નવો આરંભ, વૃદ્ધિ, અને શાંતિનું પ્રતિક છે. ( Credits: Getty Images )

જો ચકલી ઘરમાં ઈંડા મૂકે અને ઈંડામાંથી બાળચકલી બહાર આવે, તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે.ચકલી ઘરમાં રહેવાથી દુઃખ-ક્લેશ દૂર થાય છે. ( Credits: Getty Images )

જો ચકલી ઘરમાં માળો બનાવે તો તે ઘર માટે શુભ સંકેત માનવામાં આવે છે, ચકલી ઘરમાં માળો બનાવે તે તમારી નાણાકીય સમૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. ( Credits: Getty Images )

ચકલીનો માળો હોય ત્યાં કુદરતી હળવાશ અને શાંતિ રહે છે.તે ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. ( Credits: Getty Images )

જો ચકલી ઘરમાં માળો બનાવે, તો તે ઘરના લોકો માટે નવી શરૂઆતનો સંકેત હોઈ શકે. બિઝનેસ અથવા નોકરીમાં વૃદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

શાસ્ત્રો અનુસાર, જો કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય અને તેમના ઘરમાં ચકલી માળો બનાવે, તો તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળે. ( Credits: Getty Images )

ચકલી કુટુંબપ્રેમ અને એકતાનું પ્રતિક છે. તેથી તે ઘરના લોકો વચ્ચે પ્રેમ અને સહકાર વધારવાનું કારણ બને છે. ( Credits: Getty Images )

ચકલીનો માળો દૂર કરવો અત્યંત અશુભ માનવામાં આવે છે.જો તમે ચકલીનો માળો હટાવો, તો તે માતા લક્ષ્મીની નારાજગીનો સંકેત માનવામાં આવે છે.વાસ્તુ અનુસાર, માળો તોડી નાખવાથી ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે.જો ચકલી ઘરમાં માળો બાંધે, તો તેને તેના સ્વાભાવિક રીતે રહેવા દો ( Credits: Getty Images )

જો તમે ચકલી માટે માળો તૈયાર કરો છો તો તેના માટે તમે સૂકું ઘાસ, નરમ પાંદડાં,અને લાકડાંના નાના ટુકડાઓનો ઉપયોગ કરો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
