AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : અમદાવાદના કાલુપુરમાં મોડી રાત્રે બની કાળમુખી ઘટના! જર્જરિત મકાન ધરાશાયી થતાં એકનું કરુણ મોત તો યુવક ઇજાગ્રસ્ત ! જુઓ Video

Ahmedabad Breaking News : અમદાવાદના કાલુપુરમાં મોડી રાત્રે બની કાળમુખી ઘટના! જર્જરિત મકાન ધરાશાયી થતાં એકનું કરુણ મોત તો યુવક ઇજાગ્રસ્ત ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2026 | 2:24 PM
Share

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ડબગરવાડમાં મોડી રાત્રે એક જર્જરિત મકાન ધરાશાયી થયું. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત છે. બચાવ કામગીરી હાથ ધરીને બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ડબગરવાડમાં મોડી રાત્રે એક જર્જરિત મકાન ધરાશાયી થયું. તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત છે. બચાવ કામગીરી હાથ ધરીને બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સૂત્રો અનુસાર, ડબગરવાડ વિસ્તારમાં આવેલું જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા અંદર રહેલા બે લોકો નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી હતી.

બચાવ કામગીરી દરમિયાન આશરે 30 વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આશરે 55 વર્ષીય મહિલાનું નીચે દબાઈ જવાથી મોત થયું છે.

મકાન ખાલી કરવા માટે અગાઉ આપવામાં આવી હતી સૂચના

જર્જરિત મકાન ખાલી કરવા માટે ચાર દિવસ અગાઉ જ રહેવાસીઓને સૂચના આપવામાં આવી હતી. મકાનમાં રહેતા ચાર પરિવારોમાંથી મોટાભાગના લોકો સમયસર બહાર નીકળી ગયા હતા. જોકે બે વ્યક્તિઓ હજુ પણ મકાનમાં હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જૂના અને જોખમી મકાનોને લઈને વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આવા જર્જરિત બાંધકામો ધરાશાયી થવાના બનાવોનું જોખમ વધી જાય છે.

આ પણ વાંચો, Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">