દર વર્ષે આસામ માં કેમ આવે છે વિનાશક પૂર, તંત્રની બેદરકારી કે ભૌગોલિક કારણો- વાંચો
અસમમાં ચોમાસુ આવતા જ જળપ્રલય ની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આવેલા ભયાનક પૂરમાં આ લખાય છે ત્યાં સુધીમાં 68 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 5.24 લાખથી વધુ લોકો પૂરથી બહુ બુરી રીતે પ્રભાવિત છે.

દર વર્ષે, ચોમાસું આવતાની સાથે જ, આસામની એક સરખી તસવીરો સામે આવવા લાગે છે. પૂરના પાણીમાં ગરકાન ગામડાઓ, તૂટી ગયેલા રસ્તાઓ, પૂલો અને ભયજનક સ્તર વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી જે કાંઠા પર વસેલા તમામ ઘરોને પોતાની સાથે તાણી જઈ રહ્યુ હોય છે. જ્યારે પાણી ઓસરે છે તો પાછળ બચે છે માત્ર બર્બાદી અને બેઘર થયેલા લોકો, વિનાશની તસવીરો. વિસ્થાપિત થયેલા લોકોને તેમની જિંદગી ફરી શૂન્યથી શરૂ કરવાનો વારો આવે છે. આ ચોમાસામાં પણ આસામનું આ જ ચિત્ર સામે આવ્યુ છે, તેમાં કંઈ જ બદલાયુ નથી. અસમમાં પુરથી અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા છે. અસમના 5 જિલ્લામાં 5.24 લાખ થી વધુ લોકો બદ્દતર રીતે પૂરથી પ્રભાવિત છે. ઉપરના વિસ્તારોમાં આડેધડ જંગલોના નિકંદન ને કારણે જમીનનું ધોવાણ વધ્યુ છે. વર્ષ 1950 માં બાંધવામાં આવેલા 300 થી વધુ...
