કાતરનો કયા ગ્રહ સાથે છે સંબંધ? ખોટી રીતે રાખશો તો ઘરમાં આવી શકે છે ગંભીર વાસ્તુદોષ, જાણી લો આ મહત્ત્વના નિયમો
શું તમે જાણો છો કે કાતર માત્ર કપડાં કાપવાનું સાધન નથી પરંતુ તે રાહુ ગ્રહ સાથે જોડાયેલી છે. તેને ખોટી જગ્યાએ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા અને ધનહાનિ થઈ શકે છે.

કાતર લગભગ દરેક ઘરમાં વપરાતી સામાન્ય વસ્તુ છે, પરંતુ શું તમે જાણો છો કે તેની સાથે જોડાયેલા વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે? કાતરનો સંબંધ કયા ગ્રહ સાથે છે અને તેને રાખવાની સાચી દિશા કઈ છે? ચાલો આ બાબતે વિગતવાર જાણીએ જેથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થાય અને આર્થિક નુકસાનથી બચી શકાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાતરના સ્થાન અને જાળવણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેને ખોટી જગ્યાએ કે ખોટી રીતે રાખવામાં આવે તો ઘરની સકારાત્મક ઊર્જા પર માઠી અસર પડે છે. તેથી કાતરને ગમે ત્યાં મૂકી દેવાની ભૂલ ન કરવી જોઈએ.

કાતરનો કયા ગ્રહ સાથે છે સંબંધ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાતરનો સંબંધ છાયા ગ્રહ રાહુ સાથે માનવામાં આવે છે. કાતરને ઘરમાં ગમે ત્યાં રખડતી મૂકવાથી કે ખોટી દિશામાં રાખવાથી રાહુનો અશુભ પ્રભાવ સક્રિય થઈ શકે છે. તેનાથી ઘરના સભ્યોમાં માનસિક ભ્રમ, મતભેદ અને અસ્થિરતા વધે છે તેમજ વગર કારણે ઝઘડા શરૂ થઈ જાય છે.

બીજાને કાતર ઉધાર આપવાની ભૂલ ન કરો: કાતર ક્યારેય કોઈને ઉધાર ન આપવી જોઈએ. જો આપવી પણ પડે તો કામ પતતાં જ તરત પાછી લઈ લેવી. કાતર ઉધાર આપવાથી રાહુની ખરાબ ઊર્જા વધે છે અને પરિવારમાં મનમોટાવ કે છૂટાછેડા સુધીની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

રસોડામાં કાતર રાખવાથી સર્જાય છે મોટો વાસ્તુદોષ: રસોડું એ મંગળ ગ્રહ સાથે જોડાયેલું સ્થાન છે. જ્યારે રસોડામાં કાતર રાખવામાં આવે છે ત્યારે મંગળ અને રાહુનો સંગમ થાય છે, જે મોટો વાસ્તુદોષ પેદા કરે છે. તેનાથી ભોજન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

કઈ દિશામાં ન રાખવી કાતર? કાતર લોખંડ કે સ્ટીલની હોય છે, જે બુધ ગ્રહના ગુણોથી વિપરીત છે. તેથી બુધની દિશા એટલે કે ઉત્તર દિશામાં કાતર ક્યારેય ન રાખવી. ઉત્તર દિશામાં કાતર રાખવાથી ઘરના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, વાણીમાં કડવાશ આવે છે અને આર્થિક તંગી વધવા લાગે છે.

કાતર સાથે જોડાયેલા ખાસ વાસ્તુ નિયમો: કાતરને ક્યારેય ખુલ્લી કે ઊંધી રાખવી નહીં. જે કાતરની અણી તૂટેલી કે ખરાબ હોય તેનો ઘરમાં ઉપયોગ ન કરવો. કાતરને નકામી હવામાં ન ચલાવવી, તેનાથી ઘરમાં કલેશ વધે છે. દરવાજા પર કે મુખ્ય દ્વાર પાસે કાતર લટકાવવી નહીં, આનાથી ઘરમાં આર્થિક રુકાવટો અને તણાવ વધે છે. કાતરને ઘરમાં એવી જગ્યાએ રાખવી જ્યાં કોઈની સીધી નજર ન પડે. પૂજા ઘર, બેડરૂમ કે મુખ્ય દ્વારની આસપાસ કાતર રાખવાનું ટાળવું.
Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
અભ્યાસ, નોકરી અને વેપારમાં પ્રગતિ જોઈએ છે ? શ્રાવણમાં કરો આ વસ્તુઓનું દાન, મનને મળશે શાંતિ અને સકારાત્મક ઊર્જા
