Indian Railways : ફરવા જવાનો પ્લાન કરતા પહેલા આ નિયમ જોઈ લેજો, 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગમાં થઈ રહ્યા છે ફેરફાર
Indian Railways 1 ઓગસ્ટથી Tatkal ટિકિટના કાઉન્ટર બુકિંગ માટે નવી Token સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તો ચાલો જાણીએનવા Token ટાઈમ, કેટલા Token મળશે, જેનાથી કેટલો ફાયદો થશે.

જો તમે પણ હંમેશા રેલવએ સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવો છો. તો આ સમાચાર તમારા માટે ખુબ જરુરી છે. રેલવે 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની પ્રોસેસમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો હેઠળ હવે ટોકન આપવાના સમય બદલાશે. જેનાથી મુસાફરોને વારંવાર રિઝર્વેશન કાઉન્ટરના ચકકર લગાવવા પડે અને ભીડ પણ ઓછી થાય.

1 ઓગસ્ટથી લાગુ થનારા આ નિયમો હેઠળ તત્કાલ ટિકિટ માટે ટોકન પહેલાની તુલનામાં જલ્દી મળી જશે. એસી તત્કાલ ટિકિટ માટે ટોકન સવારે 8 30થી 9 વાગ્યા સુધી શરુ રહેશે. જ્યારે નોન એસી ટિકિટ માટે ટોકન સવારે 9 કલાકથી સાડા 9 કલાક સુધી મળશે.

રેલવેએ દરેક રિઝર્વેશન કાઉન્ટર માટે ટોકનની સંખ્યા નક્કી કરી છે. દરેક કાઉન્ટર પર એસી તત્કાલ ટિકિટ માટે 10 ટોકન અને નોન એસી તત્કાલ ટિકિટ માટે 15 ટોકન જાહેર કરશે.

નવા રુલ આવ્યા હાદ આ મુસાફરોને પહેલા તક આપવામાં આવશે. જે પોતાના કે પોતાના પરિવારના સભ્યો માટે તતકાલ ટિકિટ બુક કરાવવા આવશે. આવા મુસાફરોને જરુર પડ્યા પર પરિવાર સાથે સંબંધ સાબિત કરવાના પુરાવા પણ દેખાડવા પડશે. ત્યારબાદ અન્ય મુસાફરોની બુકિંગ કરવામાં આવશે.

નવા ટોકન સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ હશે કે, મુસાફરોને તત્કાલ ટિકિટ માટે વારંવાર રિઝર્વેશન કાઉન્ટર માટે ચકકર લગાવવા પડશે નહી. અગાઉથી ટોકન મેળવીને, તેઓ તેમના વારાની રાહ જોઈ શકશે અને કાઉન્ટર પર ભીડ પણ ઓછી થશે.

અગાઉ મુસાફરોને ટોકન મેળવવા અને પછી બુકિંગ માટે બે વાર કાઉન્ટર પર આવવું પડતું હતું, પરંતુ નવી સિસ્ટમમાં આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો તમે તત્કાલ ટિકિટ માટે રિઝર્વેશન કાઉન્ટર પર જઈ રહ્યા છો, તમારી સાથે તમારું આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ફોટો ID હોવું જોઈએ. વધુમાં, મુસાફરોના નામ, ઉંમર અને મુસાફરીની માહિતી અગાઉથી તૈયાર રાખવાથી ટિકિટ બુકિંગ પ્રક્રિયા ઝડપી બની શકે છે. (all photo: PTI,AI)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
