AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર રોહિત, સચિન અને સેહવાગે જ કરેલું છે આ કારનામું, જાણો ક્રિકેટ ઈતિહાસના એ અનોખા રેકોર્ડ વિશે

વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં 'સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા'... બસ આ ત્રણ જ એવા ભારતીય દિગ્ગજો છે કે, જેમણે એક જ ઈનિંગ્સમાં મોટું પરાક્રમ કરી બતાવ્યું છે. ખાસ વાત એ છે કે, દુનિયાનો અન્ય કોઈ બેટ્સમેન આ રેકોર્ડને તોડી શક્યો નથી. વિશ્વ ક્રિકેટમાં જ્યારે પણ કોઈ ખાસ રેકોર્ડની વાત થાય છે, ત્યારે આ ત્રણેય ઈન્ડિયન લેજન્ડ્સનું નામ સૌથી ઉપર આવે છે.

| Updated on: Aug 30, 2026 | 7:38 PM
Share
વન-ડે ક્રિકેટમાં મોટી ઈનિંગ્સ રમવી એ દરેક બેટ્સમેનનું સપનું હોય છે પરંતુ કેટલાક એવા બેટ્સમેનો રહ્યા છે કે, જેમણે વિસ્ફોટક બેટિંગથી ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતના પણ ત્રણ દિગ્ગજ બૅટ્સમૅન આ ખાસ યાદીમાં જોડાયેલા છે. આમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માનું નામ આવે છે. વાસ્તવમાં, એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારવાનો પરાક્રમ અત્યાર સુધી આ ત્રણ ભારતીય બેટ્સમેનોએ જ કર્યો છે. તેમના સિવાય વિશ્વનો કોઈ પણ બેટ્સમેન એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારી શક્યો નથી.

વન-ડે ક્રિકેટમાં મોટી ઈનિંગ્સ રમવી એ દરેક બેટ્સમેનનું સપનું હોય છે પરંતુ કેટલાક એવા બેટ્સમેનો રહ્યા છે કે, જેમણે વિસ્ફોટક બેટિંગથી ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતના પણ ત્રણ દિગ્ગજ બૅટ્સમૅન આ ખાસ યાદીમાં જોડાયેલા છે. આમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માનું નામ આવે છે. વાસ્તવમાં, એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારવાનો પરાક્રમ અત્યાર સુધી આ ત્રણ ભારતીય બેટ્સમેનોએ જ કર્યો છે. તેમના સિવાય વિશ્વનો કોઈ પણ બેટ્સમેન એક વન-ડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારી શક્યો નથી.

1 / 5
સચિન તેંડુલકરે વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી. ગ્વાલિયરમાં રમાયેલી તે ઈનિંગ્સમાં સચિને અણનમ 200 રન બનાવ્યા હતા. પોતાની આ યાદગાર ઈનિંગ્સ દરમિયાન તેણે 25 ચોગ્ગા માર્યા હતા. સચિનની આ ઈનિંગ્સે વન-ડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો, કારણ કે તે પુરૂષ વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

સચિન તેંડુલકરે વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી. ગ્વાલિયરમાં રમાયેલી તે ઈનિંગ્સમાં સચિને અણનમ 200 રન બનાવ્યા હતા. પોતાની આ યાદગાર ઈનિંગ્સ દરમિયાન તેણે 25 ચોગ્ગા માર્યા હતા. સચિનની આ ઈનિંગ્સે વન-ડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો, કારણ કે તે પુરૂષ વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

2 / 5
વિરેન્દ્ર સેહવાગનું નામ પણ આ ખાસ રેકોર્ડમાં જોડાયેલું છે. તેણે વર્ષ 2011 માં વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની બેટિંગ કરતા 219 રનની ઈનિંગ્સ રમી હતી. સેહવાગે પોતાની આ ઈનિંગ્સમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. તેની 219 રનની ઈનિંગ્સ એ સમયે વન-ડે ક્રિકેટમાં કોઈ બેટ્સમેનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ હતો.

વિરેન્દ્ર સેહવાગનું નામ પણ આ ખાસ રેકોર્ડમાં જોડાયેલું છે. તેણે વર્ષ 2011 માં વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની બેટિંગ કરતા 219 રનની ઈનિંગ્સ રમી હતી. સેહવાગે પોતાની આ ઈનિંગ્સમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. તેની 219 રનની ઈનિંગ્સ એ સમયે વન-ડે ક્રિકેટમાં કોઈ બેટ્સમેનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ હતો.

3 / 5
આ રેકોર્ડમાં સૌથી આગળ રોહિત શર્મા છે. તેણે વર્ષ 2014 માં શ્રીલંકા સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 264 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. રોહિતે આ ઈનિંગ્સ દરમિયાન 33 ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ તેણે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના 25-25 ચોગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. રોહિતની 264 રનની ઈનિંગ્સ આજે પણ વન-ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.

આ રેકોર્ડમાં સૌથી આગળ રોહિત શર્મા છે. તેણે વર્ષ 2014 માં શ્રીલંકા સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 264 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. રોહિતે આ ઈનિંગ્સ દરમિયાન 33 ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ તેણે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગના 25-25 ચોગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. રોહિતની 264 રનની ઈનિંગ્સ આજે પણ વન-ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.

4 / 5
એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ખાસ કરીને રોહિતની 264 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 33 ચોગ્ગા મારીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

એક વનડે ઈનિંગ્સમાં 25 કે તેથી વધુ ચોગ્ગા મારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા છે. સચિન અને સેહવાગે 25-25 ચોગ્ગા માર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 33 ચોગ્ગા સાથે આ બંનેને ઘણા પાછળ છોડી દીધા. આ ત્રણેય દિગ્ગજોની ઈનિંગ્સ ભારતીય વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ખાસ કરીને રોહિતની 264 રનની ઈનિંગ્સ, જેમાં તેણે 33 ચોગ્ગા મારીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

5 / 5

વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !

Follow Us
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
g clip-path="url(#clip0_868_265)">