Pahalgam Attack : તમે માનો કે ના માનો, 80 ટકા ઘરમાં પાકિસ્તાનની આ વસ્તુનો થાય છે ઉપયોગ
અત્યાર સુધી પાકિસ્તાન રોજિંદી જરૂરિયાતો અને નાની નાની બાબતો માટે પણ અન્ય દેશો પર નિર્ભર છે. જો કે, એક એવી વસ્તુ છે જે ભારત પાકિસ્તાનથી આયાત કરતો હતો. મહત્વનુક છે કે પહલગામ એટેક બાદ આ વાત પણ ચર્ચાના ચકડોળે ચાંદી છે. કારણ કે ભારતે પાકિસ્તાન માટે અનેક આકરા નિર્ણય લીધા છે.

ભારતની આઝાદી પહેલા જ દેશના વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટ 19947ના રોજ ભારતને આઝાદી મળી હતી. તેના એક દિવસ પહેલા જ એક નવા દેશ પાકિસ્તાનની રચના થઈ હતી, જે શરૂઆતથી જ ભારત માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધો થયા હતા. પરંતુ બંને દેશો વચ્ચે વેપાર ચાલુ રહ્યો.મહત્વનું છે કે હવે પહલગામ એટેકને લઈ આ ઇમ્પોર્ટને લઈ સવાલ ઊભો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. હાલમાં પાકિસ્તાન રોજિંદી જરૂરિયાતો અને નાની નાની બાબતો માટે પણ અન્ય દેશો પર નિર્ભર છે. પરંતુ બીજી તરફ ભારતે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું છે.

આજે ભારતમાંથી ઘણી વસ્તુઓની નિકાસ થાય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે હજુ પણ પાકિસ્તાનથી ભારતમાં આયાત કરવામાં આવે છે.

સંચળ મોટા પ્રમાણમાં પાકિસ્તાનથી ભારતમાં આયાત થાય છે. ભારતમાં સંચળ ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે, તેથી ભારત સંપૂર્ણપણે પાકિસ્તાન પર નિર્ભર છે. પરંતુ હવે ભારતમાં અમુક અંશે સંચળનું ઉત્પાદન થવા લાગ્યું છે અને પાકિસ્તાન પરની ભારતની નિર્ભરતા અમુક અંશે ઘટી ગઈ છે.

ભારતમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉપવાસોમાં સંચળની જરૂર પડવા લાગી છે. સંચળ રોક સોલ્ટ તરીકે પણ ઓળખાય છે. જ્યારે દરિયાઈ ખારાનું પાણી સોડિયમ ક્લોરાઇડના રંગીન સ્ફટિકોમાં ફેરવાય ત્યારે સંચળ રચાય છે. પાકિસ્તાનમાં સંચળ 2-3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, પરંતુ ભારતમાં તેની કિંમત 50-60 રૂપિયા પ્રતિ કિલો છે.

સંચળને રોક સોલ્ટ પણ કહેવાય છે. સંચળ કાંકરાના સ્વરૂપમાં જોવા મળે છે, તેથી તેને રોક મીઠું કહેવામાં આવે છે. સંચળ હિન્દીમાં રોક સોલ્ટ કહેવાય છે. તે સિંધુ નદીના પ્રદેશમાં જોવા મળતું હોવાથી તેને સિંધુ પરથી રોક મીઠું નામ આપવામાં આવ્યું હતું. સંચળ મોટાભાગે પાકિસ્તાનના જેલમ પ્રદેશમાં ઉત્પન્ન થાય છે.
