કાનુની સવાલ : છૂટાછેડા પછી પત્ની કઈ મિલકતનો દાવો કરી શકતી નથી? જાણો નિયમ શું કહે છે
આજકાલ છૂટાછેડાના આંકડાઓ સતત વધી રહ્યા છે. ત્યારે છૂટાછેડામાં અનેક કાનુની પ્રકિયામાંથી પસાર થવું પડે છે. શું તમે જાણો છો કે, છૂટાછેડાના સમયે પત્ની પોતાના પતિની કઈ કઈ મિલકતમાં દાવો કરી શકતી નથી. ચાલો કાનુની સવાલમાં આ વિશે વિસ્તારથી જાણીએ.

આજકાલના બદલતા સમયમાં સંબંધોનો અર્થ પણ બદલાવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં છૂટાછેડાના કેસોમાં ઘણો વધારો થયો છે.તાજેતરમાં ઘણા હાઇ પ્રોફાઇલ લોકોના છૂટાછેડાના સમાચાર પણ ચર્ચામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનું નામ હાલમાં આ યાદીમાં ટોચ પર છે.તમે સાંભળ્યું હશે કે,છૂટાછેડા બાદ મહિલા પોતાના પતિની કઈ કઈ સંપત્તિમાં દાવો કરી શકતી નથી. પરંતુ શું તમે જાણો છો કે,પત્નીને છૂટાછેડા બાદ પતિની કઈ કઈ સંપત્તિમાં દાવો કરી શકતી નથી.

કાનુની નિયમ અનુસાર છૂટાછેડા બાદ પતિએ પત્નીને એલિમની આપવી પડે છે.કેટલાક કેસમાં એલિમની તરીકે પ્રોપર્ટી પણ આપવી પડે છે. ચાલો જાણીએ, છૂટાછેડા પછી પત્ની પોતાના પતિ પાસેથી કઈ વસ્તુઓનો દાવો કરી શકતી નથી?

જો પતિ-પત્નીના કોઈ કારણોસર છૂટાછેડા થઈ જાય છે. તો પત્ની પોતાના પતિની પૈતૃક સંપત્તિ પર દાવો કરી શકતી નથી.તેમજ જ્યાં સુધી તેનું નામ કાયદેસર રીતે મિલકતમાં સામેલ ન થાય.જો તેનું નામ પણ કાયદેસર રીતે મિલકત પર હોય,તો તે તેમાં પણ હકોનો દાવો કરી શકે છે.જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી પત્ની વારસાગત મિલકતનો દાવો કરી શકતી નથી.

જો કોઈ વ્યક્તિએ પોતાની કમાણીમાંથી કોઈ મિલકત ખરીદી હોય,તો છૂટાછેડા પછી પત્નીનો તેના પર કોઈ અધિકાર નથી.છૂટાછેડા સમયે પત્ની ક્યારેય પતિની સ્વ-કમાણી કરેલી મિલકતનો દાવો કરી શકતી નથી.આ સિવાય પતિના માતા-પિતા કે સંબંધીઓની સંપત્તિ પર પત્નીનો કોઈ અધિકાર હતો નથી.

છૂટાછેડા સમયે પત્ની આવી કોઈ મિલકતનો દાવો કરી શકતી નથી.નિયમો અનુસાર છૂટાછેડા પછી પત્ની તેના પતિની પૈતૃક મિલકત પર કોઈ અધિકારનો દાવો કરી શકતી નથી.

. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































