કાનુની સવાલ : શું કોઈ પુત્ર તેના પિતાનું પેન્શન મેળવી શકે છે ?
સામાન્ય રીતે દીકરો પિતાના પેન્શનનો ઉત્તરાધિકારી હોતો નથી. જ્યારે કેટલીક વિશેષ પરિસ્થિતિમાં નિર્ભર રહે છે. તો ચાલો આના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ.

સામાન્ય રીતે, કર્મચારી પોતે આ ફેમિલી પેન્શન માટે પોતાના પરિવારના સભ્યોનું નામ આપે છે, જેથી તેના મૃત્યુ પછી પણ તેના પરિવારને આર્થિક મદદ મળતી રહે.

પેન્શન એ વારસાગત મિલકત નથી, પરંતુ તે નિવૃત્તિ પછી કર્મચારીને આપવામાં આવતી ખાનગી સામાજિક સુરક્ષા છે. તેની જોગવાઈઓ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ અને ડિફેન્સ સર્વિસીસ રેગ્યુલેશન્સ વગેરેમાં નિર્ધારિત છે.

તો ચાલો જાણીએ પેન્શન કઈ રીતે મળે છે. પરિવારના પેન્શનના પાત્ર લાભાર્થીઓ વિશે વાત કરીએ તો. વિધવા પત્ની,વિધુર પતિ, અવિવાહિત દીકરી (ઉંમર 25 વર્ષ સુધી) કે પછી તે કમાવવા ન લાગે ત્યાં સુધી અવિવાહિત દીકરો (25 વર્ષ સુધી) કે પછી તે આત્મનિર્ભર ન થાય. માનસિક કે પછી શારીરિક વિકલાંગ દીકરો કે દીકરી આજીવન સુધી પેન્શન મેળવી શકે છે. માતા પિતા પણ જ્યાં સુધી કોઈ અન્ય પાત્ર ન હોય.

શું દીકરો પિતાના પેન્શનનો હકદાર છે? 18 વર્ષ સુધી દીકરો પેન્શન લઈ શકે છે.જ્યાં સુધી તે સગીર હોય. 25 વર્ષથી ઓછી ઉંમરના અને બેરોજગાર. હા, પણ જો તે આર્થિક રીતે નિર્ભર હોય તો જ, જો માનસિક/શારીરિક રીતે વિકલાંગ હોય તો આજીવન પેન્શન લઈ શકે છે.સામાન્ય રીતે જો દીકરો નોકરી કરે છે. તો તેને ફેમિલી પેન્શન મળતું નથી.

મહત્વપૂર્ણ લેન્ડમાર્ક જજમેન્ટ વિશે વાત કરીએ તો.D.S. Nakara v. Union of India (1983 AIR 130)સુપ્રીમ કોર્ટે પેન્શનને સામાજિક કલ્યાણનો અધિકાર માન્યો, પરંતુ તેને મિલકત કે વારસા તરીકે ગણ્યો નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, પેન્શન તેને જ મળશે. જે પેન્શનના નિયમોમાં સ્પષ્ટ રુપથી નામાંકિત લાભાર્થી છે.

Kamal Rani v. Union of India (2002) અપંગ દીકરાને આજીવન પારિવારિક પેન્શન આપવાનો નિર્દેશ આપ્યો હતો.પેન્શનના નિયમો કેન્દ્ર સરકારના કર્માચારી, રાજ્ય સરકાર, રક્ષા સેવા, કોઈ ખાનગી કંપનીની પેન્શન પોલિસી અલગ હોય છે.

પેન્શનના નામાંકિતમાં દીકરાનું નામ નથી તો દીકરો નિયમ અનુસાર પાત્ર નથી.તે પેન્શનનો દાવો પણ કરી શકતો નથી. માત્ર પારિવારિક પેન્શન(Family Pension)નો જ ઉત્તરાધિકારિકાર રુપે આપવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































