Indian Railways Scrap Income : રેલવે સ્ક્રેપ વેચાણથી વર્ષે કેટલા રૂપિયા કમાય છે? જાણો
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. રેલવેમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સ્ક્રેપ નિકળે છે. જૂના કોચ, રેલવે બોગી અને સાધનો સમયાંતરે બદલવામાં આવે છે. ભારતીય રેલવે આ ભંગાર વેચીને દર વર્ષે હજારો કરોડ રૂપિયા સુધીની કમાની કરે છે.

ભારતીય રેલવે તેની નાણાકીય સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવી રહી છે. સ્ક્રેપ વેચાણથી મળતી સતત આવક અને નોન-ફેર રેવન્યૂમાં વધારા દ્વારા પોતાની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે.

ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે, 6813.86 કરોડ રૂપિયાનું સ્ક્રેપ વેચાણ કર્યું છે. જે નોંધપાત્ર કાર્યક્ષમતા સાથે નિર્ધારિત બેન્ચમાર્કને વટાવી ગયું.

પાછલા નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય રેલવેએ 5400 કરોડ રૂપિયાના લક્ષ્યાંકને વટાવીને 6641.78 કરોડ રૂપિયાના ભંગાર વેચાણ પ્રાપ્ત કર્યું હતું.

ભંગાર મુદ્રીકરણમાં સતત ગતિ ભારતીય રેલવેના કાર્યક્ષમ સંપત્તિ વ્યવસ્થાપન અને પારદર્શક નિકાલ પદ્ધતિઓ પ્રત્યે કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે.

છેલ્લા 5 વર્ષમાં 168% વૃદ્ધિ સાથે રેલવેની ભાડા સિવાયની આવક લગભગ 290 કરોડ રૂપિયાથી વધીને 777 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

ડેપો, યાર્ડ અને વર્કશોપમાં મહત્વપૂર્ણ જગ્યા ખાલી કરી રિસાયક્લિંગને પ્રોત્સાહન આપીને અને કચરાના સંચયને ઘટાડીને રેલવેને વધુ સારી બનાવી રહ્યા છે.

આ ભાડા સિવાયની આવકનો મોટો ભાગ છે. જે રેલવેને મુસાફરોની ટિકિટના ભાવમાં વધારો કર્યા વિના આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો, Breaking News : 100, 101 કે 108 નહીં.. હવે દેશમાં ઈમરજન્સી માટે રહેશે માત્ર આ એક જ નંબર, તમામ રાજ્યને નિયમ લાગુ
