AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા, જુઓ Video

Breaking News : જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2026 | 12:44 PM
Share

જુનાગઢમાં વાઘેશ્વરી તળાવ મુદ્દે વિપક્ષનો પ્રહાર સામે આવ્યો છે.તળાવના કામમાં ભ્રષ્ટાચારના આરોપ તેમજ પ્લાન પ્રમાણે કામ ન થવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. અધિકારીએ વહેલીતકે કામ પૂર્ણ કરવા નિવેદન આપ્યું હતુ.

જુનાગઢમાં ગિરનાર દરવાજાની બાજુમાં વાઘેશ્વરી તળાવનું કામ છેલ્લા એક વર્ષથી ચાલે છે. 18 કરોડની રકમ વાપરવામાં આવી છતાં આ તળાવની કામગીરીમાં સવાલોના ઘેરામાં આવી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ વાઘેશ્વરી તળાવનું નિર્માણ થઈ રહ્યું છે. જે મુજબ વાઘેશ્વરી તળાવમાં સી.સી.ટી.વી વોકવે, બોટિંગ, ફૂડકોર્ટ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

બીજી તરફ વિરોધ પક્ષનો આક્ષેપ છે કે વાઘેશ્વરી તળાવની આજુબાજુના દબાણો દૂર કરાયા નથી અને પ્લાન સ્ટ્રક્ચર પ્રમાણે કામ થઈ રહ્યું નથી. અને રૂ.18 કરોડની માતબર રકમનો વેડફાટ થઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ નવું નજરાણું જુનાગઢ શહેરના લોકો અને પ્રવાસીઓને આકર્ષશે. ત્યારે વહેલી તકે કામ પૂર્ણ કરીને તેને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે તેવું મનપા અધિકારીનું નિવેદન છે.

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">