Breaking News: ‘NSE’ નો ‘મોટો નિર્ણય’! માર્કેટ ક્લોઝિંગના છેલ્લા અડધા કલાકમાં હવે કંઈક નવું જોવા મળશે, આ એક ફેરફારથી આખો ખેલ બદલાઈ જશે
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઈ (NSE) એ એક ઐતિહાસિક ફેરફાર કર્યો છે. આ ફેરફારથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો છે. સરળ રીતે કહીએ તો, માર્કેટ ક્લોઝિંગના છેલ્લા અડધા કલાકમાં હવે કંઈક નવું જ જોવા મળશે.

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઈ (NSE) એ 'ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સ' માટે મોટો ફેરફાર કર્યો છે. એક્સચેન્જે જાહેરાત કરી છે કે, 3 ઓગસ્ટ 2026થી ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો ટ્રેડિંગ ક્લોઝિંગ ટાઇમ 10 મિનિટ વધારી દેવામાં આવશે. નવા નિયમ હેઠળ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ એટલે કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) બજાર હવે બપોરે 3:40 વાગ્યે બંધ થશે. જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સેગમેન્ટ 3:30 વાગ્યે બંધ થતું હતું.

NSEના જણાવ્યા અનુસાર, ટ્રેડિંગ મોડાલિટીમાં કરવામાં આવેલા ફેરફારો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સચેન્જનું માનવું છે કે, 10 મિનિટનો વધારાનો સમય બજારના સહભાગીઓને પોતાની પોઝિશન મેનેજ કરવા અને ક્લોઝિંગ પહેલાં ટ્રેડિંગની વધુ સારી તકો આપવમાં મદદ કરશે.

આ ફેરફારની સીધી અસર ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પર પડશે, જેમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન્સ, સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સનો સમાવેશ થાય છે. સરળ રીતે જોઈએ તો, F&O ટ્રેડર્સને હવે બજાર બંધ થતાં પહેલાં 10 મિનિટનો વધારાનો સમય મળશે. આનાથી ક્લોઝિંગ સમયે થતી વોલેટિલિટી વચ્ચે ટ્રેડર્સ પોતાની પોઝિશનને એડજસ્ટ, હેજ અથવા સ્ક્વેર ઓફ કરવા માટે વધુ સમયનો ઉપયોગ કરી શકશે.

ખાસ કરીને ઓપ્શન ટ્રેડર્સ અને ઇન્ટ્રાડે સહભાગીઓ માટે આ ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બજારની અંતિમ મિનિટોમાં ઘણીવાર ઝડપી મુવમેન્ટ જોવા મળતી હોય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટ્રેડિંગનો સમય વધવાથી ક્લોઝિંગ સમયે લિક્વિડિટી વધુ સારી થઈ શકે છે.

વધુમાં મોટા સંસ્થાકીય રોકાણકારોને ઓર્ડર પૂરા કરવામાં સરળતા રહેશે અને અંતિમ મિનિટોની વોલેટિલિટી અમુક અંશે સંતુલિત થઈ શકે છે. આ સિવાય હેજિંગ અને રિસ્ક મેનેજમેન્ટ માટે વધારાનો સમય ઉપલબ્ધ થશે. જો કે, ટ્રેડર્સે પોતાની ટ્રેડિંગ વ્યૂહરચના અને રિસ્ક મેનેજમેન્ટ પ્લાનમાં આ ફેરફારને એડ (Add) કરવો પડશે, કારણ કે હવે 'ડેરિવેટિવ્ઝ માર્કેટ' 10 મિનિટ વધુ સમય સુધી સક્રિય રહેશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આટલી મોટી તક ! આ શેરમાં ₹680 થી વધુનો નફો મળવાના સંકેત, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ
