AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદ પછી અચાનક દેડકાઓ કેમ દેખાવા લાગે છે ? જાણો ચોંકાવતું રહસ્ય

વરસાદ પહેલા ભાગ્યે જ નજરે પડતા દેડકા અચાનક દરેક જગ્યાએ કેવી રીતે દેખાવા લાગે છે અને તેમનો અવાજ ચારેબાજુ કેમ સંભળાય છે? ચાલો જાણીએ કે આખરે વરસાદી માહોલ દેડકાઓને એટલો પસંદ કેમ હોય છે.

| Updated on: May 29, 2026 | 4:10 PM
Share
વરસાદ શરૂ થતાં જ ચારેબાજુ દેડકાઓના ડ્રાઉં ડ્રાઉંના અવાજો સંભળાવા લાગે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે આખું વર્ષ નજરે ન પડતા દેડકા અચાનક વરસાદમાં ક્યાંથી બહાર આવી જાય છે? શું તેઓ ક્યાંક છુપાયેલા હોય છે કે પછી વરસાદ સાથે જ દેખાવા લાગે છે? આજે અમે તમને આ રહસ્ય પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવીશું.

વરસાદ શરૂ થતાં જ ચારેબાજુ દેડકાઓના ડ્રાઉં ડ્રાઉંના અવાજો સંભળાવા લાગે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે આખું વર્ષ નજરે ન પડતા દેડકા અચાનક વરસાદમાં ક્યાંથી બહાર આવી જાય છે? શું તેઓ ક્યાંક છુપાયેલા હોય છે કે પછી વરસાદ સાથે જ દેખાવા લાગે છે? આજે અમે તમને આ રહસ્ય પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવીશું.

1 / 6
જીવવિજ્ઞાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેડકા એવા પ્રાણી છે જે ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. તેથી તેઓ મોટાભાગે કાદવ, પથ્થરો નીચે, નાના ખાડાઓમાં અથવા ભીના વિસ્તારોમાં છુપાઈને રહે છે. દેડકાનું શરીર ઠંડા લોહીનું હોવાથી ગરમીમાં તેઓ ઓછા બહાર આવે છે. પરંતુ વરસાદ પડતાં વાતાવરણ ઠંડુ અને ભેજાળ બની જાય છે, ત્યારે તેઓ તરત બહાર નીકળે છે. આ કારણે લોકોને લાગે છે કે દેડકા વરસાદ સાથે અચાનક દેખાવા લાગ્યા છે.

જીવવિજ્ઞાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેડકા એવા પ્રાણી છે જે ભેજવાળી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. તેથી તેઓ મોટાભાગે કાદવ, પથ્થરો નીચે, નાના ખાડાઓમાં અથવા ભીના વિસ્તારોમાં છુપાઈને રહે છે. દેડકાનું શરીર ઠંડા લોહીનું હોવાથી ગરમીમાં તેઓ ઓછા બહાર આવે છે. પરંતુ વરસાદ પડતાં વાતાવરણ ઠંડુ અને ભેજાળ બની જાય છે, ત્યારે તેઓ તરત બહાર નીકળે છે. આ કારણે લોકોને લાગે છે કે દેડકા વરસાદ સાથે અચાનક દેખાવા લાગ્યા છે.

2 / 6
દેડકાઓની હલચલ માત્ર વરસાદ પર આધારિત નથી હોતી. હવામાનનું તાપમાન, ભેજ અને આસપાસનું વાતાવરણ પણ તેમની સક્રિયતા પર મોટી અસર કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ગરમ અને ભેજવાળું વાતાવરણ દેડકાઓને વધુ બહાર આવવા પ્રેરિત કરે છે. વરસાદ પડ્યા પછી જ્યારે હવા ઠંડી અને ભીની બને છે, ત્યારે દેડકા વધારે સક્રિય થઈ જાય છે અને તેમના અવાજો પણ વધુ સંભળાય છે. દેડકાની ત્વચા ભેજમાં સારી રીતે કામ કરે છે, તેથી તેઓ સુકા વાતાવરણ કરતાં ભીના માહોલમાં વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવે છે.

દેડકાઓની હલચલ માત્ર વરસાદ પર આધારિત નથી હોતી. હવામાનનું તાપમાન, ભેજ અને આસપાસનું વાતાવરણ પણ તેમની સક્રિયતા પર મોટી અસર કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ગરમ અને ભેજવાળું વાતાવરણ દેડકાઓને વધુ બહાર આવવા પ્રેરિત કરે છે. વરસાદ પડ્યા પછી જ્યારે હવા ઠંડી અને ભીની બને છે, ત્યારે દેડકા વધારે સક્રિય થઈ જાય છે અને તેમના અવાજો પણ વધુ સંભળાય છે. દેડકાની ત્વચા ભેજમાં સારી રીતે કામ કરે છે, તેથી તેઓ સુકા વાતાવરણ કરતાં ભીના માહોલમાં વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવે છે.

3 / 6
વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ દેડકાની દરેક જાત હવામાનમાં થતા બદલાવને અલગ રીતે અનુભવે છે. કેટલાક  દેડકાની પ્રજાતિઓ ભેજ વધે, તાપમાન બદલાય અથવા હવામાનના દબાણમાં ફેરફાર થાય ત્યારે તરત સક્રિય બની જાય છે. આ કારણથી ઘણા દેડકા વરસાદ શરૂ થાય તે પહેલાં જ બહાર આવવા લાગે છે, કારણ કે તેઓ વાતાવરણમાં થતા બદલાવનો અહેસાસ પહેલેથી કરી લે છે.

વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ દેડકાની દરેક જાત હવામાનમાં થતા બદલાવને અલગ રીતે અનુભવે છે. કેટલાક દેડકાની પ્રજાતિઓ ભેજ વધે, તાપમાન બદલાય અથવા હવામાનના દબાણમાં ફેરફાર થાય ત્યારે તરત સક્રિય બની જાય છે. આ કારણથી ઘણા દેડકા વરસાદ શરૂ થાય તે પહેલાં જ બહાર આવવા લાગે છે, કારણ કે તેઓ વાતાવરણમાં થતા બદલાવનો અહેસાસ પહેલેથી કરી લે છે.

4 / 6
વરસાદ દેડકાના પ્રજનન માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. મોટા ભાગના દેડકા પાણીમાં ઇંડા મૂકે છે, તેથી વરસાદી ઋતુ તેમને માટે અનુકૂળ સમય બને છે. વરસાદ પછી નાના ખાડાઓ અને તળાવોમાં ભરાયેલું પાણી દેડકાના ઇંડા અને ટેડપોલના વિકાસ માટે સુરક્ષિત સ્થળ પૂરું પાડે છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, જ્યારે સારો વરસાદ અને યોગ્ય તાપમાન હોય ત્યારે દેડકાની સંખ્યા અને પ્રજનન બંનેમાં વધારો જોવા મળે છે. આ કારણે વરસાદ બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાં દેડકાના અવાજ અને તેમની હાજરી વધુ જોવા મળે છે.

વરસાદ દેડકાના પ્રજનન માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. મોટા ભાગના દેડકા પાણીમાં ઇંડા મૂકે છે, તેથી વરસાદી ઋતુ તેમને માટે અનુકૂળ સમય બને છે. વરસાદ પછી નાના ખાડાઓ અને તળાવોમાં ભરાયેલું પાણી દેડકાના ઇંડા અને ટેડપોલના વિકાસ માટે સુરક્ષિત સ્થળ પૂરું પાડે છે. વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, જ્યારે સારો વરસાદ અને યોગ્ય તાપમાન હોય ત્યારે દેડકાની સંખ્યા અને પ્રજનન બંનેમાં વધારો જોવા મળે છે. આ કારણે વરસાદ બાદ પાણી ભરાયેલા વિસ્તારોમાં દેડકાના અવાજ અને તેમની હાજરી વધુ જોવા મળે છે.

5 / 6
આથી સ્પષ્ટ થાય છે કે વરસાદ પછી દેડકાઓ અચાનક દેખાવા પાછળ કોઈ ચમત્કાર નથી. હવામાનમાં થતા બદલાવ, ભેજમાં વધારો અને પ્રજનન માટે અનુકૂળ માહોલ તેમને બહાર આવવા પ્રેરિત કરે છે. દેડકા આસપાસ પહેલેથી જ હાજર હોય છે, પરંતુ વરસાદ પછીનું ભેજાળ અને ઠંડુ વાતાવરણ તેમને વધુ સક્રિય અને સુરક્ષિત અનુભવ કરાવે છે, જેના કારણે તેઓ સરળતાથી નજરે પડે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

આથી સ્પષ્ટ થાય છે કે વરસાદ પછી દેડકાઓ અચાનક દેખાવા પાછળ કોઈ ચમત્કાર નથી. હવામાનમાં થતા બદલાવ, ભેજમાં વધારો અને પ્રજનન માટે અનુકૂળ માહોલ તેમને બહાર આવવા પ્રેરિત કરે છે. દેડકા આસપાસ પહેલેથી જ હાજર હોય છે, પરંતુ વરસાદ પછીનું ભેજાળ અને ઠંડુ વાતાવરણ તેમને વધુ સક્રિય અને સુરક્ષિત અનુભવ કરાવે છે, જેના કારણે તેઓ સરળતાથી નજરે પડે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
g clip-path="url(#clip0_868_265)">