AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તડકામાંથી આવીને તરત ઠંડુ પાણી પીવું કેમ બની શકે છે નુકસાનકારક? તમે નહીં જાણતા હોવ..

ગરમી કે તડકામાંથી આવીને તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પીવું શરીર માટે નુકસાનકારક બની શકે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, અચાનક ઠંડુ પાણી પીવાથી શરીરના તાપમાનમાં ઝડપથી ફેરફાર થાય છે, જેના કારણે પાચન પર અસર પડી શકે છે અને હૃદયને પણ વધારાનું દબાણ સહન કરવું પડી શકે છે.

| Updated on: May 29, 2026 | 5:37 PM
Share
ઉનાળાની ભારે ગરમીમાં બહારથી આવ્યા પછી ઘણા લોકો તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પી લે છે જેથી શરીરને ઠંડક મળે. પરંતુ ડોક્ટરો મુજબ, આવી આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. ખૂબ ગરમી બાદ અચાનક ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે અને આગળ જઈને તકલીફો પણ ઉભી થઈ શકે છે.

ઉનાળાની ભારે ગરમીમાં બહારથી આવ્યા પછી ઘણા લોકો તરત જ ફ્રિજનું ઠંડુ પાણી પી લે છે જેથી શરીરને ઠંડક મળે. પરંતુ ડોક્ટરો મુજબ, આવી આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. ખૂબ ગરમી બાદ અચાનક ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે અને આગળ જઈને તકલીફો પણ ઉભી થઈ શકે છે.

1 / 5
તડકામાં રહેતાં શરીરનું તાપમાન વધી જાય છે. આવા સમયે તરત જ  ઠંડુ પાણી પીવાથી શરીરને અચાનક ઠંડક લાગે છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડી શકે છે. નિષ્ણાતો આ સ્થિતિને “થર્મલ શોક” તરીકે ઓળખાવે છે.

તડકામાં રહેતાં શરીરનું તાપમાન વધી જાય છે. આવા સમયે તરત જ ઠંડુ પાણી પીવાથી શરીરને અચાનક ઠંડક લાગે છે, જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડી શકે છે. નિષ્ણાતો આ સ્થિતિને “થર્મલ શોક” તરીકે ઓળખાવે છે.

2 / 5
ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. અચાનક ઠંડક મળતાં પેટની નસો સંકોચાઈ જાય છે, જેના કારણે ખોરાક પચવાની ગતિ ધીમી થઈ શકે છે. પરિણામે પેટમાં દુખાવો, ગેસ, ખેંચાણ અથવા કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે.

ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. અચાનક ઠંડક મળતાં પેટની નસો સંકોચાઈ જાય છે, જેના કારણે ખોરાક પચવાની ગતિ ધીમી થઈ શકે છે. પરિણામે પેટમાં દુખાવો, ગેસ, ખેંચાણ અથવા કબજિયાત જેવી તકલીફો થઈ શકે છે.

3 / 5
ગરમીમાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી ગળા અને શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે છે. તેનાથી ગળામાં દુખાવો, ઉધરસ અથવા ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ઉપરાંત, અચાનક વધારે ઠંડક મળવાથી કેટલાક લોકોને માથાનો દુખાવો અથવા ચક્કર જેવી સમસ્યાઓ પણ અનુભવાઈ શકે છે.

ગરમીમાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી ગળા અને શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે છે. તેનાથી ગળામાં દુખાવો, ઉધરસ અથવા ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ઉપરાંત, અચાનક વધારે ઠંડક મળવાથી કેટલાક લોકોને માથાનો દુખાવો અથવા ચક્કર જેવી સમસ્યાઓ પણ અનુભવાઈ શકે છે.

4 / 5
આરોગ્ય નિષ્ણાતોના કહેવા મુજબ, ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની કેટલીક મહત્વપૂર્ણ નસો પર અસર પડી શકે છે, જે હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અચાનક વધારે ઠંડક મળવાથી હૃદયની ગતિ ધીમી પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. તેથી તડકામાંથી આવ્યા પછી થોડો સમય આરામ કરીને પછી સામાન્ય અથવા માટલાનું પાણી પીવું વધુ સારું છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

આરોગ્ય નિષ્ણાતોના કહેવા મુજબ, ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરની કેટલીક મહત્વપૂર્ણ નસો પર અસર પડી શકે છે, જે હૃદયના ધબકારા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અચાનક વધારે ઠંડક મળવાથી હૃદયની ગતિ ધીમી પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. તેથી તડકામાંથી આવ્યા પછી થોડો સમય આરામ કરીને પછી સામાન્ય અથવા માટલાનું પાણી પીવું વધુ સારું છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

5 / 5

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">