કાનુની સવાલ : જો પત્ની છૂટાછેડા આપવા તૈયાર છે પરંતુ પતિ તૈયાર નથી, તો જાણો તમારા કાનૂની અધિકારો શું છે
આજકાલ ભારતમાં છુટાછેડા લેવા કોઈ મોટી વાત નથી. જ્યારે પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથાય તો બંન્નેની સંમતિથી અલગ થવાનો નિર્ણય લે છે. પરંતુ કેટલીક વખત મહિલાઓ સાથે એવું બને છે કે, તે છુટાછેડા લેવા માંગતી હોય પરંતુ તેમનો પતિ તેમને છુટાછેડા આપી નહી તો. અનેક સવાલો ઉઠે છે તો ચાલો જાણીએ કાનુન શું કહે છે.

ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જ્યારે છૂટાછેડાની વાત આવે તો આ એક મોટો નિર્ણય હોય છે. છૂટાછેડા બાદ પતિ-પત્ની અલગ થવાનો નિર્ણય લે છે. જો તે ઈચ્છે તો બીજી વખત લગ્ન પણ કરી શકે છે. પરંતુ ક્યારેક પતિ કે પત્ની કોઈ એક પોતાના લગ્ન પૂર્ણ કરવા માંગતું નથી. ટુંકમાં એક છુટાછેડા માટે તૈયાર છે જ્યારે અન્ય છુટાછેડા લેવા માટે તૈયાર નથી.

આવી પરિસ્થિતિમાં અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને મહિલાઓ જે લગ્નમાં ફસાયેલી હોય તેવું અનુભવે છે અને છુટાછેડા લેવા માંગે છે પરંતુ પતિ છુટાછેડા લેવા માટે તૈયાર ન થાય. તો તમને કાનુની અધિકારો વિશે જાણ હોવી જોઈએ. તમે કાનુનની મદદથી છુટાછેડા લઈ શકો છો.

ભારતમાં છૂટાછેડાના નિયમ અલગ અલગ ધર્મો માટે અલગ અલગ હોય છે. જેમ કે,હિન્દુઓ માટે હિન્દુ લગ્ન અધિનિયમ, જો તમે છૂટાછેડા લેવા માંગો છો અને તમારો પતિ આ માટે રાજી નથી. તો પણ તમે છુટાછેડા લઈ શકો છો.

છુટાછેડા માટે બંન્નેની સંમતિની જરુર રહેતી નથી. જો પતિ કે પત્નીમાંથી કોઈ પણ કાયદા મુજબ માન્ય છૂટાછેડા ઇચ્છતું હોય, તો તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરવી જોઈએ. કોર્ટ બંને પક્ષોને સાંભળે છે અને નક્કી કરે છે કે છૂટાછેડા આપવા જોઈએ કે નહીં.

સામાન્ય રીતે કોઈ મહિલા કોર્ટમાં પતિ દ્વારા શારીરિક અને માનસિક હિંસા, પત્નીને છોડી અલગ રહેવું, પતિનું એક્સટ્રા મેરિટલ અફેર થવું કે પતિ દ્વારા ધર્માંતરણ માટે મજબુર કરવી જેવા કારણો જણાવે છે. તો કોર્ટ તેને છૂટાછેડા માટે માન્ય માને છે. પરંતુ, જો પતિ કોર્ટ સમક્ષ આરોપોનો ઇનકાર કરે છે, તો કોર્ટ છૂટાછેડાની અરજી બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, તમારા દાવાઓને મજબૂત બનાવવા માટે, તમારે સંદેશાઓ, સાક્ષીઓ અને તબીબી રેકોર્ડ જેવા જરૂરી પુરાવા રજૂ કરવા પડશે.

જો પતિ તમને છુટાછેડા આપવાની ના પાડે છે, તો તમે છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી શકો છો. કોર્ટ બંન્ને પક્ષોને સુનાવણી માટે બોલાવે છે. જો કોર્ટેને તમે જણાવેલા કારણ યોગ્ય લાગે છે, તો તે તમારા પતિની સંમતિ વગર પણ છુટાછેડા આપી શકે છે. પરંતુ કેટલાક કેસમાં પાર્ટનરનું છુટાછેડા આપવાની ના પાડવા પર એક લાંબી પ્રોસેસ થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે યોગ્ય પુરાવાઓ છે. કો કેસ તમારા પક્ષમાં જઈ શકે છે.

જો પતિ તમને છુટાછેડા આપવાની ના પાડે છે, તો તમે છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી શકો છો. કોર્ટ બંન્ને પક્ષોને સુનાવણી માટે બોલાવે છે. જો કોર્ટેને તમે જણાવેલા કારણ યોગ્ય લાગે છે, તો તે તમારા પતિની સંમતિ વગર પણ છુટાછેડા આપી શકે છે. પરંતુ કેટલાક કેસમાં પાર્ટનરનું છુટાછેડા આપવાની ના પાડવા પર એક લાંબી પ્રોસેસ થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે યોગ્ય પુરાવાઓ છે. કો કેસ તમારા પક્ષમાં જઈ શકે છે.

આ સાથે વૈવાહિક સંપત્તિ કે અન્ય કોઈ સંપત્તિ પર તમારો પણ હક હોય છે. જો તમારો પતિ ઘરેલું હિંસા કે દુવ્યવ્હાર કરે છે. તો તમે સુરક્ષા માટે કાનુની પગલા ભરી શકો છો અને કોર્ટમાંથી તમારી સિક્યોરિટીની પણ માંગ કરી શકો છો.

જાણો છુટાછેડા માટે અરજી કઈ રીતે દાખલ કરવી?તો આ માટે તમે એક વકીલની સલાહ લઈ શકો છો.વકીલ છૂટાછેડાની અરજી તૈયાર કરે છે અને તેને ફેમિલી કોર્ટમાં જમા કરે છે. ત્યારબાદ કરો્ટ તમારા પતિને આ અરજી વિશે નોટિસ મોકલી જાણ કરે છે. ત્યારબાદ બંન્ને પક્ષોની કોર્ટમાં સુનાવણી થાય છે.જ્યાં તમારો પક્ષ રાખી શકો છો. કેટલીક વખત લગ્ન બચાવવા માટે કાઉન્સલિંગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જેને કૂલિંગ પીરિયડ કહેવામાં આવે છે. જો કોર્ટને તમારો પક્ષ સાચો લાગે છે. તો તે છૂટાછેડાની મંજુરી આપી પોતાનો નિર્ણય જાહેર કરે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
