PF વ્યાજ દરનું સસ્પેન્સ ખતમ… સરકારે લીધો ‘મોટો નિર્ણય’, કરોડો નોકરિયાતોના ખાતા પર થશે સીધી અસર
આજે પીએફ (PF) વ્યાજ દર પર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. EPFO ના કરોડો સભ્યો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે.

કર્મચારી ભવિષ્ય નિધિ (PF) ના વ્યાજ દર પર આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક મળી હતી, જેમાં પીએફ વ્યાજ દરોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

આ સમાચાર EPFO ના લગભગ કરોડો સભ્યો માટે ખૂબ જ અગત્યના છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ભવિષ્ય નિધિના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત ત્રીજા વર્ષે વ્યાજ દર 8.25 ટકા પર સ્થિર રાખવાની ભલામણ કરવામાં આવી છે.

આ બેઠક શ્રમ અને રોજગાર મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એ EPFO ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે, જે ફંડના સંચાલન, રોકાણ અને વિતરણની દેખરેખ રાખે છે. PF ને લગતા તમામ મુખ્ય નિર્ણયો આ સંસ્થા દ્વારા જ લેવામાં આવે છે.

આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે EPFO ના વ્યાજ દરને 8.25 ટકા પર જાળવી રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024 માં, EPFO એ વ્યાજ દર 8.15 ટકાથી વધારીને 8.25 ટકા કર્યા હતા. આ અગાઉ નાણાકીય વર્ષ 2022 માં, PF વ્યાજ દર ઘટીને 8.1 ટકા પર આવી ગયા હતા, જે છેલ્લા ચાર દાયકાનું સૌથી નીચલું સ્તર હતું.

PF વ્યાજ દર મહિને-મહિને ગ્રાહકોના બેલેન્સના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે, તેને નાણાકીય વર્ષના અંતે વાર્ષિક ધોરણે ખાતામાં જમા કરવામાં આવે છે. આ વ્યાજ દરનું નિર્ધારણ 'EPFO' ને તેના રોકાણ પર મળતા વળતર (Return) ના આધારે કરવામાં આવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયની અસર કરોડો PF ખાતાધારકો પર પડી શકે છે. કર્મચારીઓ અને રોકાણકારો આ બેઠકના પરિણામો પર નજર રાખી રહ્યા છે, કારણ કે તેનાથી તેમના નિવૃત્તિ ભંડોળ (Retirement Fund) પર મળતું વળતર નક્કી થાય છે.
આ પણ વાંચો: શું કોઈ વ્યક્તિ એક કરતા વધુ PPF એકાઉન્ટ રાખી શકે ? જાણો શું છે નિયમ
