કાનુની સવાલ : કઈ કઈ બીમારીમાં પતિ કે પત્ની છૂટાછેડા માંગી શકે છે? જાણો
શું જીવનસાથી દ્વારા પોતાની બીમારી સ્વીકારવાનો અને સારવાર કરાવવાનો ઇનકાર કરવો એ ક્રૂરતા ગણી શકાય અને છૂટાછેડા માટેનું કારણ બની શકે? તેમજ જો કોઈ વ્યક્તિ કોઈ ચેપી રોગથી પીડાતી હોય, તો શું તે છૂટાછેડા માંગી શકે છે?

ભારતીય કાયદો સંક્રમિત રોગો (Communicable Diseases)ને છૂટાછેડા માટે માન્ય આધાર તરીકે માન્યતા આપે છે, ખાસ કરીને હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1)(v) હેઠળ. આ કલમ મુજબ, જો પતિ કે પત્ની કોઈપણ ગંભીર, ચેપી અને અસાધ્ય રોગથી પીડિત હોય, તો બીજો પક્ષ છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે.

સંક્રમિત રોગોના આધાર પર છૂટાછેડા લઈ શકાય છે.રક્તપિત્ત જો આ રોગ અસાધ્ય તબક્કામાં હોય અને લાંબા સમયથી વ્યક્તિને અસર કરતો હોય.2019માં પર્સનલ લો એક્ટ હેઠળ છૂટાછેડા માટેના આધાર તરીકે રક્તપિત્તને દૂર કરવામાં આવ્યું છે, કારણ કે હવે તેની સારવાર યોગ્ય છે.

ગુપ્ત રોગ કે પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો જેવા કે,ગોનોરિયા,સિફિલિસ,એચઆઈવી/એઇડ્સ જ્યારે રોગ ચેપી તબક્કામાં હોય છે.હર્પીસ (હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ) જો આ ગંભીર અને સંક્રમક સ્થિતિમાં હોય તો.

ટીબીની આપણે વાત કરીએ તો કેટલાક કેસમાં જો આ રોગ સંક્રામક અવસ્થામાં છે, એટલે કે, સાથીદાર(પત્નિ કે પતિ)ના સ્વાસ્થ માટે ખતરો બની રહ્યો છે, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

હિપેટાઇટિસ બી અને સી, આ વાયરસ ચેપગ્રસ્ત લોહી અથવા અન્ય શારીરિક દ્વવોના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર કિસ્સાઓમાં છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.કોર્ટમાં છૂટાછેડાનો દાવો કરવા માટે રોગ ગંભીર અને ચેપી છે. તે સાબિત કરવા માટે તબીબી પ્રમાણપત્ર અથવા નિષ્ણાત ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે.

કોર્ટએ વાત પણ ધ્યાનમાં લે છે કે છૂટાછેડાની અરજી ખરેખર જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે છે કે પછી માત્ર બહાનું બનાવીને છૂટાછેડા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઘણી વખત કોર્ટ એ પણ જુએ છે કે, દર્દીની સારવાર શક્ય છે કે નહીં અને જીવનસાથી તેને ટેકો આપવા તૈયાર છે કે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે. સુપ્રીમ કોર્ટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































