કાનુની સવાલ : જો પતિ કે પત્ની બંન્નેમાંથી એક છૂટાછેડા માગે તો શું છૂટાછેડા મળી શકે? જાણો
ભારતમાં છૂટાછેડાના કાયદા અલગ અલગ ધર્મો અનુસાર અલગ અલગ હોય છે. પરસ્પર સંમતિથી છૂટાછેડામાં પતિ અને પત્ની બંન્નેની સંમતિ જરુરી હોય છે. તેની શરતો વિશે વાત કરીએ તો બંન્ને અંદાજે 1 વર્ષથી અલગ રહેતા હોવા જોઈએ.

હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ આ કાયદો હિંદુ, જૈન, બૈદ્ધ અને શિખ ધર્મના અનુયાયીઓને લાગુ પડે છે. આ હેઠળ છૂટાછેડા બે રીતે થઈ શકે છે, એક (Mutual Consent Divorce) અને બીજું છે (Contested Divorce) તો આના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ.

પરસ્પર સંમતિથી છૂટાછેડામાં પતિ અને પત્ની બંન્નેની સંમતિ જરુરી હોય છે. તેની શરતો વિશે વાત કરીએ તો બંન્ને અંદાજે 1 વર્ષથી અલગ રહેતા હોવા જોઈએ.

બંન્નેનો નિર્ણય હોવો જોઈએ કે, બંન્ને સાથે રહી શકશે નહિ. ફેમિલી કોર્ટમાં સંયુક્ત અરજી દાખલ કરવામાં આવે છે. અરજી દાખલ કર્યા બાદ કોર્ટ 6 મહિનાનો કૂર્લિંગ ઓફ પીરિયડ આપે છે. ત્યારબાદ બંન્ને છૂટાછેડા માટે તૈયાર હોય તો છૂટાછેડા મંજૂર કરવામાં આવે છે.

એકપક્ષીય છૂટાછેડામાં જો કોઈ એક પક્ષ છૂટાછેડા માંગે છે પરંતુ બીજો પક્ષ તૈયાર નથી. તો કેટલાક કાનૂની આધારો પર છૂટાછેડા માંગી શકાય છે, કલમ 13ના છૂટાછેડા કલમ 13 હેઠળ છૂટાછેડા માટેના કારણો, વ્યભિચાર,ક્રૂરતા, પરિત્યાગ, ધર્મ પરિવર્તન,માનસિક વિકાર, સંક્રામક રોગ, સંન્યાસ વગેરે. હવે આપણે મહિલાઓના વિશેષ અધિકારો વિશે વાત કરીએ તો પતિ બીજી પત્ની સાથે રહેતો હોય.

આપણે સુપ્રીમ કોર્ટના મહત્વના જજમેન્ટ વિશે વાત કરીએ તો, નરેશ કુમાર અને મીના કુમારી 2014 સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો લગ્નમાં અસમર્થનીય ક્રૂરતા છે. તો છૂટાછેડા આપવામાં આવી શકે છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને અન્ય ધર્મોના લોકો માટે અલગ અલગ લગ્ન અને છૂટાછેડા માટે કાયદા બનાવવામાં આવ્યા છે.

Special Marriage Act, 1954 આ કાયદો એવા લોકોને લાગુ પડે છે જેઓ આંતર-ધાર્મિક લગ્ન કરે છે અથવા તેમના અંગત કાયદાની બહાર લગ્ન કરવા માંગે છે. આ હેઠળ પણ, છૂટાછેડા માટેના આધારો એટલે કે પરસ્પર સંમતિથી અથવા એકપક્ષીય રીતે હિન્દુ લગ્ન કાયદા હેઠળ સમાન છે.

શું એક જ પક્ષ છૂટાછેડા માંગે તો છૂટાછેડા મળી શકે છે? હા જો છૂટાછેડા માટે માન્ય કાનૂની આધારો હોય (જેમ કે ક્રૂરતા, વ્યભિચાર, વગેરે) જો કોર્ટને લાગે કે, બંન્ને વચ્ચે કોઈ સમાધાન સંભવ નથી. તો અદાલત 'Irretrievable Breakdown of Marriage'ના આધાર પર છૂટાછેડા આપી શકે છે. ભલે બંન્ને પક્ષ સમંત ન હોય.

કોર્ટ સંપૂર્ણ તપાસ બાદ છૂટાછેડા આપે છે અને જો કોઈ યોગ્ય કારણ નહિ હોય તો છૂટાછેડાની અરજી પણ નકારી શકાય છે.છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન કોર્ટ દ્વારા બાળકોની કસ્ટડી, મિલકતનું વિભાજન અને ભરણપોષણ જેવા મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.છૂટાછેડા પરસ્પર સંમતિથી હોય કે એકપક્ષીય રીતે, સ્ત્રીઓને ભરણપોષણ અને રક્ષણના વિશેષ અધિકારો છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.) સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
