AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025 : મહાકુંભમાં જઈ રહ્યા છો તો ચિંતા કરતા નહિ, ગુજરાત પેવેલિયન તમારી 24 કલાક મદદ કરશે

મહાકુંભમાં ગુજરાતના લોકોને તમામ પ્રકારની મદદ અને સેવાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા ગુજરાત પેવેલિયન શરૂ કરવામાં આવ્યું છે.ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો કુંભ મેળો છે. પૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. ગુજરાત પેવેલિયન વિશે જાણો

| Updated on: Jan 20, 2025 | 12:47 PM
Share
આ વર્ષ એટલે કે 2025નો મહાકુંભ મેળો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.  ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ-2025માં ભાગ લઈ રહ્યા છે અને ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.

આ વર્ષ એટલે કે 2025નો મહાકુંભ મેળો આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ-2025માં ભાગ લઈ રહ્યા છે અને ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.

1 / 6
આ વર્ષે મહાકુંભમાં 45 કરોડ લોકો સ્નાન કરશે એવો અંદાજ છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભમાં 6 શાહી સ્નાન છે. પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે અને છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના દિવસે છે.

આ વર્ષે મહાકુંભમાં 45 કરોડ લોકો સ્નાન કરશે એવો અંદાજ છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભમાં 6 શાહી સ્નાન છે. પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે અને છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના દિવસે છે.

2 / 6
પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. ગુજરાતમાંથી ઘણા ભક્તો તેમાં ભાગ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાત પેવેલિયન રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.મહાકુંભ મેળામાં ગુજરાતથી આવનારા ભક્તો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિશેષ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. ગુજરાતમાંથી ઘણા ભક્તો તેમાં ભાગ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાત પેવેલિયન રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.મહાકુંભ મેળામાં ગુજરાતથી આવનારા ભક્તો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિશેષ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે.

3 / 6
જેમાં ભક્તો માટે 24 કલાક હેલ્પલાઈન, તેમજ જરુરી જાણકારી તેમજ જરુરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો જો તમે પણ મહાકુંભ મેળામાં જઈ રહ્યા છો તો ગુજરાત પ્રવાસન વિભાગે ગુજરાત પેવેલિયન નંબર  1800-180-5600 સેવ કરી લેજો. આ તમને મહાકુંભ મેળામાં ખુબ ઉપયોગી રહેશે.

જેમાં ભક્તો માટે 24 કલાક હેલ્પલાઈન, તેમજ જરુરી જાણકારી તેમજ જરુરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો જો તમે પણ મહાકુંભ મેળામાં જઈ રહ્યા છો તો ગુજરાત પ્રવાસન વિભાગે ગુજરાત પેવેલિયન નંબર 1800-180-5600 સેવ કરી લેજો. આ તમને મહાકુંભ મેળામાં ખુબ ઉપયોગી રહેશે.

4 / 6
મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસા વિશે જાણી શકે અને ખરીદી પણ કરી શકે તે માટે ગુજરાતની વિવિધ હસ્તકલાના અંદાજે 15 સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. આ પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત 10 સ્ટોલ છે.

મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસા વિશે જાણી શકે અને ખરીદી પણ કરી શકે તે માટે ગુજરાતની વિવિધ હસ્તકલાના અંદાજે 15 સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. આ પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત 10 સ્ટોલ છે.

5 / 6
જેમાં યાત્રાળુઓ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકશે. આ પગલાંથી, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ આત્મનિર્ભર  બનશે. જો તમે પણ તમારા માતા-પિતાને લઈ મહાકુંભમાં જઈ રહ્યા છો. તો એક વખત ગુજરાત પેવેલિયનની જરુર મુલાકાત લેજો.

જેમાં યાત્રાળુઓ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકશે. આ પગલાંથી, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ આત્મનિર્ભર બનશે. જો તમે પણ તમારા માતા-પિતાને લઈ મહાકુંભમાં જઈ રહ્યા છો. તો એક વખત ગુજરાત પેવેલિયનની જરુર મુલાકાત લેજો.

6 / 6

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">