Vande Bharat Express ટ્રેન પર પત્થરમારો કરશો, તો થશે આ કડક સજા
Vande Bharat Express stone pelting : વંદે ભારત ટ્રેનની શરુઆત થતા જ તેની ઝડપ અને તેના પર થતા પથ્થરમારાને કારણે પણ દેશ-વિદેશમાં ચર્ચામાં છે. ચાલો જાણીએ કે ટ્રેન પર પથ્થરમારો કરતા વ્યક્તિને કેવી સજા થઈ શકે છે.

દુનિયામાં ભારતીય રેલવેની છબી ઝડપથી બદલાઈ રહી છે. ભારતીય રેલવેની ટ્રેનો વધારે આધુનિક બની રહી છે. વધુ ઝડપથી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ હાલ ભારતના રેલવે ટ્રેક પર ઝડપથી ભાગી રહી છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં હાલમાં હજારો યાત્રી યાત્રા કરી રહ્યાં છે. પણ તેની સાથે સાથે જ છેલ્લા 2-3 મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે ગાય-ભેંસ અને કેટલાક વ્યક્તિની ટક્કરને કારણે કેટલાક મોત પણ થયા છે. પત્થરમારા જેવી ઘટનાનાને કારણે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ઘણું નુકશાન થયું છે.

હાલમાં વિશાખાપટ્ટનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રાયરલ સમયે તેના પર પત્થરમારો થયો હતો. આ પહેલા ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દાર્જિલિંગમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પત્થરમારો થયો હતો. The Indian Rlys Act 1989 અનુસાર કોઈપણ ટ્રેનને નુકશાન પહોંચાડવા પર સજાની જોગવાઈ છે.

બંધારણની કલમ 150ની ઉપ-કલમ 2 અનુસાર, જોઈ કોઈ ટ્રેન પર પત્થર કે અન્ય વસ્તુ ફેંકે છે તો તે ટ્રેનમાં યાત્રા કરતા લોકોની સુરક્ષાને જોખમમાં મુકે છે. આ કામ કરવું એક દંડનીય અપરાધ છે અને આ અપરાધ કરનારને આજીવન કે 10 વર્ષની સજા થઈ શકે છે.

આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ અપરાધ તે વ્યક્તિ દ્વારા પહેલીવાર થશે તો તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો આ અપરાધ બીજીવાર આ અપરાધ થશે તો 7 વર્ષથી વધારેની સજા થઈ શકે છે.