દેશની એકમાત્ર ટ્રેન જેમાં ટિકિટ નથી, મુસાફરો 75 વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છે
Free Train Journey in India: ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ જરૂરી છે: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને અહીં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડે છે. જે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે અને પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વિના મુસાફરી કરવાથી ભારે દંડ થઈ શકે છે.

આ અનોખી ટ્રેન ક્યાં ચાલે છે?: ભારતની આ અનોખી ટ્રેનનું નામ ભાખરા-નાંગલ ટ્રેન છે જે તમને ટિકિટ વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જેને ઐતિહાસિક વારસો તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રેન 1948માં શરૂ થઈ હતી અને ત્યારથી તે મુસાફરોને મફત મુસાફરી પૂરી પાડતી રહી છે. આ ટ્રેન હિમાચલ પ્રદેશના ભાખરામાં ચાલે છે.

દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે: ભાખરા-નાંગલ ટ્રેન 1948માં ભાખરા-નાંગલ ડેમના નિર્માણમાં સામેલ મજૂરો અને બાંધકામ સામગ્રીને લાવવા લઈ-જવા માટે શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન 13 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે. જેમાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તે હવે એક ઐતિહાસિક વારસો બની ગઈ છે: ભાખરા-નાંગલ ટ્રેન પંજાબના નાંગલ અને હિમાચલ પ્રદેશના ભાખરા વચ્ચે દોડે છે. મજૂરોની સુવિધા માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે માત્ર મુસાફરીનું સાધન જ નથી, પરંતુ એક ઐતિહાસિક વારસો પણ બની ગઈ છે.

આ ટ્રેનની મુસાફરી પ્રવાસીઓ માટે ખાસ છે. દેશમાં મફત મુસાફરી પૂરી પાડતી આ ટ્રેન આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. શરૂઆતમાં આ ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા જેને ડીઝલ એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
