પનોતી અમ્પાયરનું નામ સાંભળતા જ સહમી ગયા હતા ભારતીય ફેંસ, જ્યારે જ્યારે કર્યુ છે અમ્પાયરિંગ, હારી છે ટીમ ઈન્ડિયા
આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલમાં ભારતનું વર્લ્ડકપની ટ્રોફી જીતવાનું સપનુ રોળાયુ છે. જો કે આ હારનું ઠીકરુ ભારતીય ફેન્સ પનોતી અમ્પાયર રિચર્ડ કેટલબોરોના નામે ફોડે છે. તેના માટે એવી માન્યતા છે કે તેમણે જ્યારે જ્યારે ભારતની મેચ સામે અમ્પાયરિંગ કર્યુ છે ટીમ ઈન્ડિયા એ મેચ હારી છે.

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતનું વિશ્વ કપ જીતનાનું સપનુ રોળાયુ છે. ત્યારે આ હાર પાછળ ભારતીય ફેન્સ અમ્પાયર રિચર્ડ કેટલબોરોને પનોતી માને છે. ફેન્સનું માનવુ છે કે આ પનોતી અમ્પાયરને કારણે જ ટીમ ઈન્ડિયાનું જીતનું સપનું રોળાયુ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વિશ્વ કપની ફાઈનલ મેચમાં રિચર્ડ ઈલિંગવર્થ અને રિચાર્ડ કેટલબોરોના નામની અમ્પાયરિંગ માટે જાહેરાત થઈ. 2015માં વિશ્વ કપ ફાઈનલમાં પણ કેટલબોરોએ અમ્પાયરિંગ કર્યુ હતુ. ત્યારબાદ આ બીજો વિશ્વકપ છે જેમા રિચર્ડ કેટલબોરોએ અમ્પાયરિંગ કર્યુ. છેલ્લા એક દશકામાં રિચર્ડ કેટલબોરોએ જેટલી મેચમાં અમ્પાયરિંગ કર્યુ છે જેમા ભારતને હારને સામનો કરવો પડ્યો છે.

વર્ષ 2014માં ટી-20 વર્લ્ડ કપમાં ભારતને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો. તો વર્ષ 2015માં વનડે વિશ્વ કપ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો. આ બંને મેચમાં અમ્પાયર કેટલબોરો હતા.

વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં વેસ્ટઈન્ડીઝે ભારતને હરાવ્યુ હતુ. ત્યારે પણ પનોતી અમ્પાયરે જ અમ્પાયરિંગ કર્યુ હતુ.

વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી, એટલુ જ નહીં વર્ષ 2019માં વન ડે વિશ્વકપની સેમિફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી. આ મેચમાં પણ કેટલબોરો જ અમ્પાયર હતા.