વર્લ્ડ કપ 2023
ભારતમાં 2023ના ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે. 12 વર્ષ પછી ભારતમાં વિશ્વભરની ક્રિકેટ ટીમ ક્રિકેટના આ મહાકુંભ સમાન વિશ્વ કપ રમવા માટે એકઠી થઈ છે. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975માં થઈ હતી. એ સમયે એક ટીમ 60 ઓવર રમતી હતી. એટલે કે એક મેચમાં કુલ 120 ઓવર નાખવામાં આવતી હતી. હવે દરેક ટીમ 50 ઓવર રમે છે.
ઈગ્લેન્ડમાં 1983માં યોજાયેલા પ્રુડેન્શીયલ વિશ્વ કપની ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. કપિલ દેવની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ જીત પછી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો. 29 વર્ષ બાદ ભારત મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ફરીથી ક્રિકેટ વિશ્વ કપ જીત્યું હતું. 2023ના ઓક્ટોબરમાં ક્રિકેટ વિશ્વ કપની સૌ પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ગત વિશ્વ કપની વિજેતા ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદમાં જ યોજાશે.
2023ના ક્રિકેટ વિશ્વ કપની સૌથી મહત્વની વાત એ છે કે, બે વાર ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનેલ વેસ્ટ ઈન્ડિઝ, 2023ના વિશ્વ કપ માટે ક્વોલિફાય થઈ શક્યુ ના હોવાથી, તે ટુર્નામેન્ટ નથી રમી રહ્યું. વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ જગતમાં આણ પ્રવર્તી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ મેચનું આયોજન કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેન વિલિયમસન જેવા દિગ્ગજો માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. આ વર્લ્ડ કપની ખાસ વાત એ છે કે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ તેમાં નથી રમી રહી. એક સમયે તેની ઘાતક બોલિંગ માટે જાણીતું વેસ્ટ ઈન્ડિઝ આ વખતે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી.
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
Breaking News: “ભારત 2023 વર્લ્ડ કપ જીતી ગયું હોત, જો…” ભારતીય ક્રિકેટરે અમદાવાદ ફાઈનલને લઈને આપ્યું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયાની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થયા બાદ ઓસ્ટ્રેલિયાની સુપર-8માં જવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Feb 18, 2026
- 12:23 pm