ઈરાન સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, હવે ડ્યુટી ફ્રી ગોલ્ડની આયાત પર લાદી નવી મર્યાદા, શું જ્વેલરી થશે મોંઘી?
ઈરાન સંકટને કારણે તેલના ભાવ આસમાને છે અને હવે ભારત સરકારે સોનાની આયાત પર સકંજો કસ્યો છે. ડ્યુટી-ફ્રી સોનું મંગાવીને નિકાસ ન કરનારા વેપારીઓની હવે ખેર નથી! સરકારે લાયસન્સ પર લિમિટ અને ફેક્ટરી તપાસ જેવા કડક કાયદા કેમ લાવવા પડ્યા?

ઈરાન સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતનું આયાત બિલ વધી રહ્યું છે, જેને સંતુલિત કરવા સોના પર નિયંત્રણો લદાયા છે.

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ હવે એક લાયસન્સ પર મહત્તમ 100 કિલો સોનું જ આયાત કરી શકાશે.

જૂના લાયસન્સ ધારકોએ જો 50% નિકાસ લક્ષ્યાંક પૂરો કર્યો હશે, તો જ નવું લાયસન્સ મળશે.

પહેલીવાર લાયસન્સ માંગનાર વેપારીઓની ફેક્ટરીનું હવે ફિઝિકલ ઇન્સ્પેક્શન (સ્થળ તપાસ) ફરજિયાત બન્યું છે.

હવે દર પખવાડિયે આયાત-નિકાસનો હિસાબ આપવો પડશે, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા પ્રમાણિત હોવો જોઈએ.

સરકારનો મુખ્ય હેતુ ભારતનો કિંમતી વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange) બચાવવાનો છે.

અગાઉ સરકારે સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને સીધી 15% કરી દીધી છે.

સરકાર ઈચ્છે છે કે સોનું માત્ર આયાત ન થાય, પણ તેની જ્વેલરી બનાવીને નિકાસ કરવામાં આવે જેથી દેશને ફાયદો થાય.

ગત નાણાકીય વર્ષમાં ભારતે 11.36 અબજ ડોલરની ગોલ્ડ જ્વેલરી નિકાસ કરી હતી, જે હવે જોખમમાં હોવાનું મનાય છે.

આ સ્કીમ નિકાસકારોને કાચો માલ ડ્યુટી વગર લાવવાની છૂટ આપે છે, પરંતુ હવે તેના નિયમો લોખંડી બની ગયા છે.
તમારા સોનાના દાગીના પર કેમ લખેલુ હોય છે '999'? જો તમારા સોના પર આ નંબર નથી લખ્યો, તો સમજી લેજો કે તમે છેતરાયા છો, વાંચવા માટે અહીં ક્લિક કરો
