ઈરાન

ઈરાન

ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે. તે પશ્ચિમમાં ઇરાક અને ઉત્તરમાં અઝરબૈજાનથી ઘેરાયેલું છે. આ દેશને વિશ્વની સુકામેવા પિસ્તાની રાજધાની કહેવામાં આવે છે.

અહીંની અર્થવ્યવસ્થા તેલ, કુદરતી ગેસ અને પિસ્તા પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે સેટેલાઇટ ટેલિવિઝન પર પ્રતિબંધ મૂકનાર આ દેશમાં પ્રથમ વખત અહીં અનાજ ઉગાડવામાં આવ્યું હતું. બીજગણિતના પિતા મુહમ્મદ ઈબ્ન મુસા-અલ-ખ્વારીઝમીનો જન્મ ઈરાનમાં થયો હતો.

ભૌગોલિક રીતે ઈરાનનો મોટાભાગનો ભાગ રણનો બનેલો છે. તેહરાન શહેર અહીંની રાજધાની છે, જે તેના વાસ્તુકળા અને હરિયાળીથી ભરેલા બગીચા માટે જાણીતું છે.

ઈરાનમાં સર્વોચ્ચ નેતાને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અહીં સર્વોચ્ચ નેતાનું પદ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે અહીં સેનાના કમાન્ડર ઇન ચીફ પણ છે. તેની પાસે સુરક્ષા દળોનું નિયંત્રણ છે. એ જ નેતા અહીં ન્યાયતંત્રના વડાઓની નિમણૂક કરે છે.

1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી, ઇતિહાસમાં બે સર્વોચ્ચ નેતાઓ હતા. પ્રથમ ઈરાની પ્રજાસત્તાકના સ્થાપક, આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની હતા, અને બીજા તેમના અનુગામી હતા, હાલના આયાતુલ્લા અલી ખમેની છે.

Read More

માસ્ટર સ્ટોક, ભારત-ઈરાને કરેલા એક નિર્ણયથી, ચીન-પાકિસ્તાન-અમેરિકા હેરાન પરેશાન

અત્યાર સુધી ઈરાન, અફઘાનિસ્તાન અને રશિયા જેવા દેશોમાં પહોંચવા માટે ભારતને પાકિસ્તાનની દરિયાઈ સીમામાંથી પસાર થવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રતિબંધોની ધમકી બાદ પણ ભારત આ કરારમાંથી પીછેહઠ કરી નથી. જે સાબિત કરે છે કે, આવનારા સમયમાં ભારતનો આ નિર્ણય માસ્ટર સ્ટોક સાબિત થશે.

Video : મહિલા ફેનને ગળે લગાવી અને ખેલાડીને થયો લાખોનો દંડ, એક મેચ માટે ક્લબે કર્યો સસ્પેન્ડ

ઈરાનના પ્રખ્યાત ફૂટબોલર હોસૈન હોસેનીએ મેચ બાદ તેની મહિલા ફેનને ગળે લગાવી હતી. આ ઘટના બાદ પોલીસકર્મીઓએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. હવે તેની ફૂટબોલ ક્લબે તેને એક મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે અને લગભગ 4 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

કાશ્મીર મુદ્દે ચાલાકી કરવા ગયુ પાકિસ્તાન, પરંતુ ઈરાને આખો દાવ ઊંધો કરી નાખ્યો, જાણો

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉખાળવા માટ, તેની ગાઝા સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં પણ ભારતીયોના અત્યાચારોને કારણે મુસ્લિમોનું લોહી વહી રહ્યું છે. શાહબાઝ શરીફે વિશ્વના મુસ્લિમોમાં એકતાની અપીલ કરી હતી. પરંતુ પાકિસ્તાનની ચાલાકી સમજી ચૂકેલા ઈરાને આખો દાવ જ ઉંધો કરી નાખ્યો.

ફરી છેડાશે જંગ ! ઈઝરાયલે ઈરાનના હુમલાનો આપ્યો વળતો જવાબ, હવે શું કરશે ઈરાન?

રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો ઈઝરાયેલ ફરી હુમલો કરશે તો અમે કોઈપણ વિલંબ કર્યા વગર ઈઝરાયેલ પર બમણા બળથી હુમલો કરીશું.

Breaking News : ઈઝરાયેલે ઇરાન સામે લીધો બદલો, ઈસ્ફહાનમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટમાં કર્યો મોટો હુમલો

1 એપ્રિલથી બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ પછી 14 એપ્રિલે ઈરાને ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી હતી અને હવે ઈઝરાયેલે તે હુમલાનો જવાબ આપ્યો છે.

ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. આમાંથી એક ભારતીય મહિલા સભ્ય આજે સ્વદેશ પરત ફરી છે. અન્યની મુક્તિ માટેના પ્રયાસો ચાલુ છે.

Iran Israel war : ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવની અસર પેટ્રોલ અને ડીઝલ પર થશે ? જાણો ભારતમાં કિંમત વધશે કે નહીં

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ દરમિયાન મધ્ય પૂર્વમાં તણાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે, જો આવું થાય તો તેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડી શકે છે.

ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ

ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.

Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે

Iran's Attack on Israel : ડ્રોન હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે. ઈરાને કહ્યું કે આ દમાસ્કસમાં તેમના દૂતાવાસ પર ઈઝરાયેલે કરેલા હુમલાનો જવાબ છે. હુમલા સાથે મામલો પૂરો થયો ગણી શકાય. આ સાથે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તે આ સંઘર્ષથી દૂર રહે. આ અમારો મામલો છે.

Breaking News : ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, ડ્રોન છોડ્યા, બેલેસ્ટિક મિસાઈલોથી પણ હુમલો કર્યો

વિશ્વમાં યુદ્ધનો વધુ એક નવો મોરચો ખુલ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને ઈઝરાયેલ પર 100 થી વધુ ડ્રોન છોડ્યા છે. આ સાથે ઈરાને 150 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. હુમલા બાદ ઈઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે. ઈરાને કહ્યું છે કે આ ઈઝરાયેલના હુમલાનો જવાબ છે.

ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી

ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે, આ બન્ને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ જ્યા સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલમાં ના જાય.

દુનિયામાં 195 દેશ પણ ભારત અને તેમાં પણ ગુજરાતમાં જ કેમ મોકલવામાં આવે છે ડ્રગ્સ, જાણો ગુજરાતમાં ડ્રગ્સ મોકલવા પાછળનું કારણ

ભારતના દરિયાકિનારાની લંબાઈ અંદાજે 7517 કિલોમીટર છે. આમાં બંગાળની ખાડીમાં હાજર અંદમાન અને નિકોબાર ટાપુઓની દરિયાકાંઠાની લંબાઈ અને અરબી સમુદ્રમાં હાજર લક્ષદ્વીપ ટાપુનો પણ સમાવેશ થાય છે. જો આ ટાપુના સમુહને દૂર કરીને ભારતના દરિયા કિનારાની લંબાઈ માપવામાં આવે તો લંબાઈ 6100 કિલોમીટર થાય છે. આ સમગ્ર લંબાઈ સાથે ઘણા દરિયાકિનારા અને ઘણા બંદરો પણ આવે છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાયાના અહેવાલો સતત કેમ આવે છે? તો ચાલો જાણીએ કે ગુજરાતના દરિયાકિનારામાં એવુ તો શું છે કે અહીં ડ્રગ્સ પકડાય છે.

ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક, ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત, અત્યાર સુધી 7 લોકોના મોત

ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.

ઈરાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને કરી સર્જિકલ સ્ટ્રાઈક, જૈશ અલ-અદલના ટોચનો કમાન્ડર માર્યો ગયો

ઈરાનની સેનાએ પાકિસ્તાની વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક સહયોગીઓને ઠાર માર્યા છે. બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધે તેવી શક્યતા છે. ઈરાને ગયા મહિને પણ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. જ્યારે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલની રચના વર્ષ 2012માં થઈ હતી.

જંગી દેવામાં ડુબ્યો ભારતનો આ પડોશી દેશ, ઈરાનને કેમ ચા પાઈ રહ્યો છે ? જાણો કારણ

આર્થિક સંકટનો સામનો કરી રહેલો ભારતનો આ પાડેશી દેશ ઈરાનને ચા મોકલીને તેનું દેવું ચૂકવી રહ્યો છે. 2016 સુધી, ઈરાનની ચાનો લગભગ અડધો વપરાશ આ દેશથી પૂરો થતો હતો. તાજેતરના વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે. બાર્ટર ટ્રેડ એગ્રીમેન્ટ ઈરાનને પ્રતિબંધોને બાયપાસ કરવા અને અન્ય દેશો સાથે વેપાર કરવાની મંજૂરી આપશે.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">