Tilak Benefits: કપાળમાં તિલક કરવાનું ધાર્મિક, જ્યોતિષીય અને આદ્યાત્મિક રીતે શું છે મહત્વ?
હિન્દુ ધર્મમાં તિલક માત્ર શૃંગાર નથી, પણ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. કપાળ પર તિલક મનને શાંત કરે છે અને ધ્યાનમાં મદદ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તે નકારાત્મક ગ્રહોના પ્રભાવને ઘટાડે છે. વિવિધ તિલક અને તેના ઉપયોગની રીતો અને ધાર્મિક વિધિઓ આ લેખમાં સમજાવવામાં આવી છે.

ધાર્મિક અનુષ્ઠાનમાં તિલક લગાવવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ તિલક ધારણ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને નકારાત્મક ગ્રહ દોષો દૂર થવામાં સહાય મળે છે. ( Credits: Getty Images )

તિલક ધારણ કરવું માત્ર ધાર્મિક વિધિનો ભાગ નથી, પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ તે વૈદિક ઉપચાર તરીકે માનવામાં આવે છે, જે માનસિક, આધ્યાત્મિક અને ગ્રહો પર પણ સકારાત્મક અસર કરે છે. ( Credits: Getty Images )

હિન્દુ ધર્મ અનુસાર તિલક ધારણ કરવું અતિશય શુભ માનવામાં આવે છે. આ માત્ર ધાર્મિક પૂજાનો ભાગ નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ તિલક લગાવવાથી જીવનમાં સકારાત્મકતા ઊર્જા આવે છે. ( Credits: Getty Images )

તિલક લગાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે , જેમ કે સ્નાન પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તિલક લગાવવું, તથા હંમેશા રિંગ આંગળી વડે કપાળના મધ્યસ્થાને તેનો સ્પર્શ કરવો. ( Credits: Getty Images )

તિલક ઉભા રહીને કે સૂતી વખતે તિલક ન લગાવવું જોઈએ, અને તિલક લગાવતી વખતે તમારું મોઢું પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ . ( Credits: Getty Images )

વ્યક્તિએ પોતાના ધર્મ અને ઇષ્ટદેવતા મુજબ યોગ્ય તિલક (ચંદન, કંકુ, વગેરે) પસંદ કરવું અને તે લગાવતી વખતે અનુરૂપ મંત્રોનો જાપ કરવો જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.



























































