AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath Breaking: ગીર-સોમનાથમાં કૂવામાં ખાબક્યો દીપડો, કલાકોની જહેમત બાદ સફળ રેસ્ક્યુ, જુઓ Video

Gir Somnath Breaking: ગીર-સોમનાથમાં કૂવામાં ખાબક્યો દીપડો, કલાકોની જહેમત બાદ સફળ રેસ્ક્યુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2026 | 1:15 PM
Share

ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં એક દીપડો અચાનક કૂવામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહેશ રણમલ વાજા નામના ખેડૂતના કૂવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં એક દીપડો અચાનક કૂવામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહેશ રણમલ વાજા નામના ખેડૂતના કૂવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગે તાત્કાલિક શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન

માહિતી મળતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ આયોજન સાથે કામગીરી શરૂ કરી હતી. કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી, છતાં ટીમે ધીરજ અને સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું.

કલાકોની જહેમત બાદ દીપડાને હેમખેમ બહાર કાઢાયો

વન વિભાગની ટીમે કલાકોની ભારે મહેનત બાદ દીપડાને કોઈ ઇજા વિના હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ દરમિયાન ગ્રામજનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સમગ્ર કામગીરી નિહાળી હતી.

અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો દીપડો

રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ દીપડાને વધુ તબીબી તપાસ અને નિરીક્ષણ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દીપડાની તબિયત પર નજર રાખવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

વન વિભાગે લોકોને સાવચેતી રાખવાની કરી અપીલ

ઘટના બાદ વન વિભાગે ગ્રામજનોને જંગલ વિસ્તારની નજીક સાવચેતી રાખવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. દીપડાનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ પણ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો- Breaking News : ચૈતર વસાવા કેમ ન પહોંચ્યા ભરૂચ કોર્ટ? જાણો શું છે અસલ કારણ!

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">