AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ડાયાબિટીસના દર્દી છો? તો જાણી લો, કયા ફળો તમારા માટે ‘વરદાન’ છે અને કયા ‘ઝેર સમાન’

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો મૂંઝવણભર્યો પ્રશ્ન એ હોય છે કે, તેઓ કયા ફળો ખાઈ શકે અને કયા નહીં? ઘણા લોકો માને છે કે, બધા જ ફળો મીઠા હોવાથી તે સુગર લેવલ વધારે છે પરંતુ હકીકતમાં કેટલાક ફળો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ પણ સાબિત થાય છે.

| Updated on: Apr 28, 2026 | 6:57 PM
Share
ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ખાવા-પીવામાં સહેજ પણ બેદરકારી બ્લડ સુગર લેવલ વધારી શકે છે. ઘણા લોકો માને છે કે, ફળો મીઠા હોય છે અને ડાયાબિટીસમાં તેને બિલકુલ ન ખાવા જોઈએ પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી.

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ખાવા-પીવામાં સહેજ પણ બેદરકારી બ્લડ સુગર લેવલ વધારી શકે છે. ઘણા લોકો માને છે કે, ફળો મીઠા હોય છે અને ડાયાબિટીસમાં તેને બિલકુલ ન ખાવા જોઈએ પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી.

1 / 5
ફળો શરીરને વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ આપે છે, તેથી યોગ્ય માત્રા અને સાચી પસંદગી સાથે તેને આહારમાં એડ (Add) કરી શકાય છે. જરૂર માત્ર એટલી જ છે કે, કયા ફળો ફાયદાકારક છે અને કયા ફળોથી અંતર જાળવવું જોઈએ?

ફળો શરીરને વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ આપે છે, તેથી યોગ્ય માત્રા અને સાચી પસંદગી સાથે તેને આહારમાં એડ (Add) કરી શકાય છે. જરૂર માત્ર એટલી જ છે કે, કયા ફળો ફાયદાકારક છે અને કયા ફળોથી અંતર જાળવવું જોઈએ?

2 / 5
સફરજન, નાસપતી, જાંબુ, જામફળ, પપૈયું, સંતરા, મોસંબી, કીવી અને બેરી જેવા ફળો ફાઈબરથી ભરપૂર હોય છે. ખાસ વાત એ છે કે, તેમનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો માનવામાં આવે છે. આથી મર્યાદિત માત્રામાં આ ફળોનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે.

સફરજન, નાસપતી, જાંબુ, જામફળ, પપૈયું, સંતરા, મોસંબી, કીવી અને બેરી જેવા ફળો ફાઈબરથી ભરપૂર હોય છે. ખાસ વાત એ છે કે, તેમનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો માનવામાં આવે છે. આથી મર્યાદિત માત્રામાં આ ફળોનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે.

3 / 5
ડાયાબિટીસના દર્દીઓએ કેરી, કેળા, દ્રાક્ષ, અનાનસ, ચીકુ અને લીચી જેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ ફળોમાં નેચરલી શર્કરા અને ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો વધારે હોય છે, જે બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે. આ ફળોની સાથે સાથે ડબ્બામાં પેક કરેલા સીરપવાળા ફળો, વધુ પડતા મીઠા ફળોના જ્યુસ, સુકા મેવા જેમ કે કિશમિશ, ખજૂર અને પ્રોસેસ્ડ ફ્રૂટ સ્મૂધીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ કેરી, કેળા, દ્રાક્ષ, અનાનસ, ચીકુ અને લીચી જેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ ફળોમાં નેચરલી શર્કરા અને ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો વધારે હોય છે, જે બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે. આ ફળોની સાથે સાથે ડબ્બામાં પેક કરેલા સીરપવાળા ફળો, વધુ પડતા મીઠા ફળોના જ્યુસ, સુકા મેવા જેમ કે કિશમિશ, ખજૂર અને પ્રોસેસ્ડ ફ્રૂટ સ્મૂધીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

4 / 5
ફળ હંમેશા આખા જ ખાઓ, જ્યુસ બનાવીને ન પીવો. ધ્યાન રાખો કે, ફળ એક સાથે વધારે માત્રામાં ન લો. સવારના સમયે અથવા નાસ્તાના સમયે ફળ ખાવા વધુ સારા માનવામાં આવે છે. ફળ ખાધા પછી બ્લડ સુગર મોનિટર કરો. દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાની દવા, સુગર લેવલ અને ડૉક્ટરની સલાહ મુજબ ફળ પસંદ કરવા જોઈએ. યોગ્ય માત્રામાં સાચા ફળ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.

ફળ હંમેશા આખા જ ખાઓ, જ્યુસ બનાવીને ન પીવો. ધ્યાન રાખો કે, ફળ એક સાથે વધારે માત્રામાં ન લો. સવારના સમયે અથવા નાસ્તાના સમયે ફળ ખાવા વધુ સારા માનવામાં આવે છે. ફળ ખાધા પછી બ્લડ સુગર મોનિટર કરો. દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાની દવા, સુગર લેવલ અને ડૉક્ટરની સલાહ મુજબ ફળ પસંદ કરવા જોઈએ. યોગ્ય માત્રામાં સાચા ફળ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

દવાઓ છોડો અને આયુર્વેદ અપનાવો…! આ ઘરેલું ઉપાય અજમવાશો તો, માઈગ્રેનના અસહ્ય દુખાવાથી મળશે ‘કાયમી છુટકારો’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">