Child Eye Health Tips : સતત વધતા સ્ક્રીન ટાઈમમાં બાળકોની આંખોની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ?
નિષ્ણાતોના મતે, આજના સમય દરમિયાન આંખોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આ વધારો થવાનું કારણ એ છે કે આજના બાળકો અને પુખ્ત વયના લોકો પણ રજાઓ દરમિયાન મોબાઈલ ફોન, ટેબલેટ, ટીવી અને ગેમિંગ ઉપકરણો પર ઘણો સમય વિતાવી રહ્યા છે.

ઉનાળા સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધે છે. આંખોની સમસ્યાઓ તેમાંથી એક છે. કારણ કે તે રોજિંદા જીવનને અસર કરી શકે છે. ઉનાળાની રજાઓમાં બાળકોના સ્ક્રીનનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધે છે. આનાથી આંખોમાં બળતરા, માથાનો દુખાવો, આંખો લાલ થવી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાથી આંખો પર તાણ આવે છે. તેનાથી આંખો પર નકારત્મક અસર થઈ શકે છે જેમાં ખંજવાળ આવવી, આંખોમાંથી પાણી આવવું, ધૂંધળું દેખાવું આવી અનેક સમસ્યા થઈ શકે છે.

બહાર રમવાનું ઓછું થવાને કારણે અને સ્ક્રીન પર નજીકની વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી બાળકોમાં માયોપિયા વધી શકે છે. જો કોઈ બાળક ટીવીની નજીક બેઠું હોય દૂરની વસ્તુઓ જોતી વખતે આંખો મીંચી રહ્યું હોય તો આંખની તપાસ કરવી જરૂરી છે.

મોબાઇલ અને ટેબલેટમાંથી નીકળતું બ્લુ લાઇટ ઊંઘને અસર કરે છે. શરીરમાં પાણીની ઉણપને કારણે ઉનાળામાં આંખો સૂકી થઈ જાય છે. ધૂળ અને પ્રદૂષણ આંખની એલર્જીનું પ્રમાણ વધારી શકે છે

દરરોજ ઓછામાં ઓછા 1થી 2 કલાક બહાર રમવાથી માયોપિયાનું જોખમ ઓછું થાય છે અને આંખનું સ્વાસ્થ્ય સુધરે છે. બાળકોએ ડિહાઇડ્રેશન ટાળવા માટે પૂરતું પાણી પીવું જોઈએ. સૂર્યપ્રકાશ, ધૂળ અને યુવી કિરણોથી રક્ષણ માટે બહાર નીકળતી વખતે અલ્ટ્રાવાયોલેટ-સંરક્ષિત સનગ્લાસ અને કેપ પહેરવી જોઈએ.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Fruit Juice Health Tips : શું ફળોનો રસ પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે? જાણો શું કહે છે નિષ્ણાતો!
