AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વન વિભાગનું મેગા ઓપરેશન સંક્રમિત સિંહોની સારવાર શરૂ, 10 કિમી વિસ્તારના સિંહોને કરાયા આઇસોલેટ

વન વિભાગનું મેગા ઓપરેશન સંક્રમિત સિંહોની સારવાર શરૂ, 10 કિમી વિસ્તારના સિંહોને કરાયા આઇસોલેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2026 | 9:11 PM
Share

ગીરના જંગલમાં સિંહોના મોતના મામલે વન મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. સિંહોની સુરક્ષા માટે ખાસ હેલ્થ ચેકઅપ, ડી-ટીકિંગ અને વેક્સીનેશન અભિયાન શરૂ કરીને તબીબોની ટીમ તૈનાત કરી દેવાઈ છે.

ગીરના જંગલમાં સિંહોના મોતના મામલાને પગલે વન વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરથી મળતી માહિતી મુજબ, ગીરના સિંહોની સુરક્ષા અને તેમને રોગચાળાથી બચાવવા માટે વન વિભાગ દ્વારા એક ખાસ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વન મંત્રીએ આ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ લઈને તેને તપાસ માટે બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જે સિંહો સંક્રમિત જોવા મળ્યા છે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, વાયરસ કે અન્ય સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના દાયરામાં આવતા તમામ સિંહોને આઇસોલેશન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ પર નિષ્ણાત તબીબોની ટીમ સતત 24 કલાક નજર રાખી રહી છે. ગીરમાં સિંહો માટે ખાસ વેક્સીનેશન અને ટ્રીટમેન્ટ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. સિંહોના શરીરમાંથી ઇતરડી અને અન્ય જીવાતો દૂર કરવા માટે વન વિભાગ દ્વારા ‘ડી-ટીકિંગ’ (De-ticking)ની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે, જેથી એશિયાટિક સિંહોને સુરક્ષિત રાખી શકાય.

સુરતમાં મુસ્લિમ યુવતી સાથે હિન્દુ રીત-રિવાજથી લગ્ન કરનાર પતિ જ નીકળ્યો હત્યારો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">