AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દવાઓ છોડો અને આયુર્વેદ અપનાવો…! આ ઘરેલું ઉપાય અજમવાશો તો, માઈગ્રેનના અસહ્ય દુખાવાથી મળશે ‘કાયમી છુટકારો’

ઘણા લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાતા હોય છે. એવામાં જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમને ખબર હશે કે માઈગ્રેનનો દુખાવો સહન કરવો કેટલો મુશ્કેલ હોય છે. જો તમે પણ માઈગ્રેનના દુખાવામાંથી રાહત મેળવવા માંગતા હોવ, તો તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

| Updated on: Apr 27, 2026 | 8:33 PM
Share
જણાવી દઈએ કે, લીંબુના પાનમાં રહેલા પોષક તત્વો માઈગ્રેનના દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, લીંબુના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?

જણાવી દઈએ કે, લીંબુના પાનમાં રહેલા પોષક તત્વો માઈગ્રેનના દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, લીંબુના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?

1 / 5
લીંબુના પાનને ઉકાળીને તેને હર્બલ ટી (હર્બલ ચા) ની જેમ પી શકાય છે. જો તમારે હર્બલ ટી ન પીવી હોય, તો તમે લીંબુના પાનને પીસી લો અને પછી તેની પેસ્ટને તમારા કપાળ પર લગાવો. જો કે, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે લીંબુના પાનનું તેલ બનાવીને વાપરવાની સલાહ આપવામાં આવે છે.

લીંબુના પાનને ઉકાળીને તેને હર્બલ ટી (હર્બલ ચા) ની જેમ પી શકાય છે. જો તમારે હર્બલ ટી ન પીવી હોય, તો તમે લીંબુના પાનને પીસી લો અને પછી તેની પેસ્ટને તમારા કપાળ પર લગાવો. જો કે, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે લીંબુના પાનનું તેલ બનાવીને વાપરવાની સલાહ આપવામાં આવે છે.

2 / 5
લીંબુના પાનમાંથી તેલ બનાવવા માટે કઢાઈમાં 200 મિલી લિટર નાળિયેરનું તેલ અથવા સરસવનું તેલ અથવા તલનું તેલ લો. ત્યારબાદ મિક્સરમાં એક ગ્લાસ પાણી અને 25 લીંબુના પાન નાખીને બરાબર પીસી લો. હવે આ મિશ્રણને ગરમ કરેલા તેલમાં મિક્સ કરો. તમારે ધીમી આંચ પર આ તેલને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી પાણી પૂરેપૂરું બળી ન જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને તેલને ઠંડું થવા દો અને પછી તેને કોઈ પણ સાફ તેમજ સૂકી બોટલમાં ભરી લો.

લીંબુના પાનમાંથી તેલ બનાવવા માટે કઢાઈમાં 200 મિલી લિટર નાળિયેરનું તેલ અથવા સરસવનું તેલ અથવા તલનું તેલ લો. ત્યારબાદ મિક્સરમાં એક ગ્લાસ પાણી અને 25 લીંબુના પાન નાખીને બરાબર પીસી લો. હવે આ મિશ્રણને ગરમ કરેલા તેલમાં મિક્સ કરો. તમારે ધીમી આંચ પર આ તેલને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી પાણી પૂરેપૂરું બળી ન જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને તેલને ઠંડું થવા દો અને પછી તેને કોઈ પણ સાફ તેમજ સૂકી બોટલમાં ભરી લો.

3 / 5
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લીંબુના પાનમાં 'લિનાલૂલ' (linalool) અને 'લાઈમીન' (limonene) નામના બે કમ્પાઉન્ડ હોય છે, જે નર્વસ સિસ્ટમને શાંત કરીને માઈગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લીંબુના પાનમાં 'લિનાલૂલ' (linalool) અને 'લાઈમીન' (limonene) નામના બે કમ્પાઉન્ડ હોય છે, જે નર્વસ સિસ્ટમને શાંત કરીને માઈગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

4 / 5
વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા અથવા જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે, લીંબુના પાનથી બનાવેલા તેલથી બરાબર મસાજ કરવાનું છે. તેલ લગાવ્યા પછી તમને પોતાની મેળે જ સકારાત્મક અસર અનુભવાશે.

વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા અથવા જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે, લીંબુના પાનથી બનાવેલા તેલથી બરાબર મસાજ કરવાનું છે. તેલ લગાવ્યા પછી તમને પોતાની મેળે જ સકારાત્મક અસર અનુભવાશે.

5 / 5
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

કેસરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેમ છે ‘વરદાન’? સવારે ખાલી પેટ આ પીણું પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">