Women’s health : પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું છે? લાખો મહિલાઓ ભોગ બની, શું તમે પણ આ સમસ્યાઓનો સામનો કરો છો?
વિશ્વભરમાં, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) લગભગ 10-20% માતાઓને અસર કરે છે. વિકાસશીલ દેશોમાં તે વધારે છે, કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આ ક્ષેત્રોમાં દર 20% જેટલો ઊંચો છે. તે ડિલિવરી પછી શરૂ થાય છે અને સ્ત્રીને ઉદાસી, થાક, ચિંતા અને નકારાત્મક વિચારોથી અસર કરે છે.

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ- એગ્ઝાઈટીના કેસ દુનિયાભરમાં ખુબ વધી રહ્યા છે. જો આ પરિસ્થિતિઓનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ડિપ્રેશનનું જોખમ વધી શકે છે.જેને ગંભીર સમસ્યા માનવામાં આવે છે.શું તમે જાણો છો કે, એક પ્રકારનું ડિપ્રેશન માત્ર મહિલાઓને થાય છે? જે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના નામથી ઓળખાય છે.

દુનિયાભરમાં લાખો મહિલાઓ આ સમસ્યાનો શિકાર છે. ભારતીય મહિલાઓમાં પણ આનો ખતરો જોવા મળી રહ્યો છે. જેને લઈ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તમામ લોકોને અલર્ટ રહેવાની પણ સલાહ આપે છે.પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પ્રેગ્નેન્સી દરમિયાન કે બાળકોના જન્મના એક વર્ષ બાદ શરુ થઈ શકે છે. આ એક માનસિક બીમારી છે. જે તમારા વિચારો અનુભવો અથવા કાર્ય કરવાની રીતને નકારાત્મક અસર કરે છે.

ક્યારેક આ પરિસ્થિતિ એટલી ખતરનાક બની શકે છે કે, માતા માટે પોતાના બાળકની સંભાળ રાખવી પણ મુશ્કેલ બની જાય છે.આ ભારતીય વસ્તી માટે ગંભીર ચિંતાનું કારણ રહ્યું છે. આ સૌથી મોટી ચિંતા છે કે, લોકો આ સમસ્યાને ઓળખી શકતાં નથી. સમયસર સારવાર ન કરવાથી ગંભીર કારણ બની શકે છે.

ભારતમાં, નાણાકીય મુશ્કેલીઓ, ઘરેલુ હિંસા, માનસિક બીમારીનો ઇતિહાસ, વૈવાહિક વિખવાદ અને પરિવાર તરફથી ટેકો ન મળવા જેવી પરિસ્થિતિઓને કારણે PPDના કેસ વધુ જોવા મળ્યા છે.આરોગ્ય નિષ્ણાતો કહે છે કે,આ પ્રકારના હતાશાનું કોઈ એક કારણ નથી. આનુવંશિકી, શારીરિક પરિવર્તન અને ભાવનાત્મક સ્થિતિ જવાબદાર હોય શકે છે. આ સિવાય બાળકોના જન્મ બાદ તમારા શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોોજેસ્ટેરોન હોર્મોનમાં પરિવર્તનના કારણે તમને આ સમસ્યા થઈ શકે છે.

પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કારણે અનેક પ્રકારની ભાવનાત્મક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જેના પર મહિલાએ પોતે અને પરિવારના સભ્યોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના કારણે ભારે ઉદાસી અથવા વારંવાર રડવાનું, ચીડિયાપણું અથવા ગુસ્સો, અને ક્યારેક તમે તમારી જાતને અયોગ્ય માતા પણ માનવા લાગે છે. ક્યારેક તમને આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે.

સૌથી પહેલા જરુરી છે કે, તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેસનના લક્ષણોની ઓળખ કરવા માટે ડોક્ટરની મુલાકાત લો.લક્ષણોને ઓછા કરવા માટે દવાઓ,મનોચિકિત્સા જેવા કૉગ્નિટિવ બિહેવિયરલ થેરેપીની મદદથી લક્ષણને ઓછા કરવામાં મદદ મળી શકે છે. પરિવાર અને મિત્રોના સપોર્ટથી લક્ષણોને જલ્દી ઓછા કરવામાં મદદગાર માનવામાં આવે છે.

જો લક્ષણો 2 અઠવાડિયાથી વધુ સમયસુધી રહે છે. આત્મહત્યા કે બાળકોને નુકસાન પહોંચાડવાના વિચારો આવવા લાગે તો ડોક્ટરની સલાહ લઈ સારવાર કરાવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































