Women’s health : મહિલાઓના અંડાશયમાં મળેલું માઈક્રોપ્લાસ્ટિક્સ કેટલું ખતરનાક છે, જાણો
માઈક્રોપ્લાસ્ટિક એક મોટો ખતરો બની રહ્યો છે. હવે આ મહિલાઓના અંડાશયમાં પણ જોવા મળ્યું છે. હવે મહિલાઓએ પોતાની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પર ધ્યાન આપવાની ખુબ જરુર છે. જો આપણે સતર્ક ન થયા તો આવનાર પેઢીઓના સ્વાસ્થય પર આની અસર ખરાબ પડી શકે છે.

આજકાલ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણી જિંદગીનો ભાગ બની ગયો છે. જમવાના ડબ્બાથી લઈ બોટલ અને પેકેટ્સમાં અનેક પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ પ્લાસ્ટિક હવે આપણા શરીરની અંદર પણ પહોંચી ગયું છે.

હાલમાં વૈજ્ઞાનિકોએ મહિલાના અંડાશયમાં ફોલિકલ ફ્લૂઈડમાં માઈક્રોપ્લાસ્ટિકના કણ જોવા મળ્યા છે. ફોલિકલ્સ અંડાશયમાં ઈંડાના વિકાસ માટે જવાબદાર હોય છે. અંડાશયમાં રહેલા આ ફ્લૂઈડમાં ઈક્રોપ્લાસ્ચટિક મળે છે. જે મહિલાઓની ફર્ટિલિટી પર પ્રભાવ નાંખી શકે છે.

માઈક્રોપ્લાસ્ટિક નાના-નાના પ્લાસ્ટિકના કણ હોય છે. જે 5 મિલીમીટરથી પણ નાના હોય છે. આ કણ પ્લાસ્ટિકના તુટવાથી બને છે અને હવા,પાણી,ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બ્યુટી પ્રોડ્કટમાં પણ હોય છે.

જ્યારે આપણે રોજિંદા વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક બોટલ, પેક્ડ ફૂડ, પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ કરીએ છીએ,તો આના દ્વારા માઈક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે. આ કણ લોહી દ્વારા શરીરના અલગ અલગ ભાગ સુધી પહોંચી જાય છે. અને હવે વૈજ્ઞાનિકોને આ કણ મહિલાઓના અંડાશયમાં જોવા મળ્યા છે.

માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરની હોર્મોનલ સિસ્ટમમાં દખલ કરી શકે છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિતતા, થાઇરોઇડ સમસ્યાઓ અને વજનમાં વધઘટ થાય છે.

અંડાશયમાં માઈક્રોપ્લાસ્ટિકના કારણે ઈંડાની ગુણવતા ખરાબ થઈ શકે છે. જેનાથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. માઈક્રોપ્લાસ્ટિક શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે. જેનાથી વારંવાર બિમારીઓ થઈ શકે છે.જો પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક છે. તો તેની અસર ગર્ભાશયમાં રહેલા બાળક પર પણ પડી શકે છે.

આનાથી બચવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાના બદલે સ્ટીલ કે તાંબાની બોટલનો ઉપયોગ કરો. પેક્ડ ફુડ કે માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવતા પ્લાસ્ટિક કંટેનરથી દુર રહો. ઘરે બનાવેલો તાજો ખોરાક ખાઓ.

આનાથી બચવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાના બદલે સ્ટીલ કે તાંબાની બોટલનો ઉપયોગ કરો. પેક્ડ ફુડ કે માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવતા પ્લાસ્ટિક કંટેનરથી દુર રહો. ઘરે બનાવેલો તાજો ખોરાક ખાઓ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































