Women’s health : પ્રેગ્નેન્સી દરમિયાન હાથ અને પગ કેમ સોજી જાય છે? જાણો તેના કારણો
પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં હોર્મોનલમાં ફેરફાર થાય છે. જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. પગમાં સોજો આવવો પણ આ પરેશાનીનો એક ભાગ છે. તો ચાલો પ્રેગ્નેન્સી દરમિયાન પગમાં સોજો કેમ આવે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. હોર્મોનલમાં ફેરફાર થવાના કારણે પગમાં સોજો આવવાની સમસ્યા જોવા મળે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન બાળકના વિકાસ માટે શરીરને ખુબ મહેનત કરવી પડે છે. શરીરમાં લોહી અને પ્રવાહીનું પ્રમાણ વધે છે, આના કારણે માત્ર પગમાં જ નહી પરંતુ હાથ, ચેહરો સહિત અન્ય ભાગમાં પણ સોજો આવી શકે છે.

કેટલીક વખત લાંબા સમય સુધી પગ લટકતા રાખી બેસવાથી પગમાં દુખાવો થાય છે. જમવામાં પોટેશિયમ ઓછું લેવા અને સોડિયમ વધારે લેવાથી, પાણી ઓછું પીવાથી પણ પગમાં સોજો આવી શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રેગ્નેન્ટ મહિલાઓના શરીરમાં સોજો આવવાનું મુખ્ય કારણ તેનું વજન વધવું છે. પ્રેગ્રેન્સીના ચોથા મહિનાથી લઈ નવમાં મહિના સુધી મહિલાઓનું વજન જલ્દી વધવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તે કસરત ન કરે, તો પગમાંથી પાછું આવતું લોહી શરીરમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં, પગમાં લોહી એકઠું થાય છે અને ત્વચાની પાછળ જાય છે. આ કારણે પ્રેગ્નેટ મહિલાને પગમાં સોજો આવે છે.

આ ઉપરાંત,પ્રેગ્નેન્ટ સ્ત્રીના શરીરમાં લોહીની ઉણપને કારણે પણ સોજો આવે છે. જો તમે જોયું તો, શરૂઆતમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સારું રહે છે, પરંતુ ત્રણથી ચાર મહિના પછી હિમોગ્લોબિન ઘટવા લાગે છે. જેના કારણે શરીરમાં સોજો આવે છે.

આ ઉપરાંત, પ્રોટીનનો અભાવ પણ એક કારણ છે. ડોક્ટરો કહે છે કે શાકાહારી લોકોના શરીરમાં ઘણીવાર પ્રોટીનની ઉણપ રહે છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમિયાન, જો માતા પૂરતું પ્રોટીન ન ખાઈ શકે, તો તેના શરીરમાં સોજો આવી શકે છે.

આમ તો પ્રેગ્નેન્સીમાં સોજાની સમસ્યા સામાન્ય છે. જેમાં પરેશાન થવાની કોઈ જરુર નથી પરંતુ તમારા હાથ અને પગમાં અચાનક સોજો આવે તો નજર અંદાજ કરતા નહી. ડોક્ટરની સલાહ લો. જો સોજો સામાન્ય હશે તો અમુક સમય પછી રાહત મળી જશે.

પ્રેગ્નેન્સીમાં પગમાં સોજો ઓછો કરવાના કારણની વાત કરીએ તો. સતત એક પોઝિશનમાં ન બેસવું, તેમજ વધારે સમય ઉભા પણ ન રહેવું. જો તમે બેસીને કામ કરી રહ્યા છો. તો થોડા થોડા સમયે ચાલવાનું રાખો. જો વધારે સમય ઉભા ઉભા કામ હોય તો થોડા સમય માટે આરામ લઈ લો. ત્યારબાદ કામ શરુ કરો.

જો વધારે મીંઠાનું સેવન કરો છો. તો ઓછું કરી દો, તેમજ શરીરને હાઈડ્રેટ રાખો દિવસમાં અંદાજે 7 થી 8 ગ્લાસ પાણી પીઓ.જ્યારે પણ સમય મળે, ત્યારે ફરવા માટે થોડો સમય કાઢો. આ સિવાય, તમે કેટલીક નોર્મલ કસરતો કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
