Gujarat : ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ ટૂંક સમયમાં જ થઈ જશે તૈયાર, જુઓ Photos
ગુજરાતીઓને હરવા ફરવાની જગ્યાઓમાં આ વર્ષે વધારો થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર આ વર્ષ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનતો દરિયાઈ પુલ દિવાળી સુધી ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.


ગુજરાતના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ છે. ભારતનો સૌથી મોટો બ્રિજ છે. આ બ્રિજ કચ્છના અખાત અને ઓખા બેટ દ્વારકા ટાપુને જોડતો પુલ છે.

2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના રોજના કરવામાં આવ્યુહતુ.

આ પુલની કુલ લંબાઈ 2320 મીટર છે. જેમાં કેબલ બ્રિજ 900 મીટર લાંબો છે. આ બ્રિજમાં બંને બાજુ 13 સ્પાનની લંબાઈ 50 મીટર છે.

ઓખા અને બેટ દ્વારકા બાજુના અભિગમોની લંબાઈ અનુક્રમે 209 મીટર અને 1101 મીટર છે. પુલને ટેકો આપતા બે A-આકારના સંયુક્ત તોરણો 129.985 મીટર ઊંચા છે

આ પુલની કુલ પહોળાઈ 27.2 મીટર (89 ફૂટ) છે, જેમાં દરેક દિશામાં બે લેન છે અને દરેક બાજુએ 2.5 મીટર (8 ફૂટ) પહોળી ફૂટપાથ છે. ફૂટપાથ શેડની ઉપરની સોલાર પેનલ 1 મેગાવોટની ક્ષમતા ધરાવે છે .

































































