Plant in Pot : હવે ફુલ બજારમાંથી નહીં ખરીદવા પડે ! ઘરે જ ઉગાડો ગલગોટાનો છોડ , જુઓ તસવીરો
ગલગોટાનું ફૂલ તેની સુગંધ માટે ખૂબ જ લોકપ્રિય છે.આ ફૂલ ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.આ સાથે જ ગલગોટાના ફૂલથી ઘરને પણ શણગારી શકાય છે. તો આજે જાણીએ કે ઘરે ગલગોટાનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

ગલગોટાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. આ છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.

ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો. માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગલગોટાની ડાળી અથવા તો ગલગોટાનુ સુકાઈ ગયેલા ફુલની પાંખડીઓ રોપી દો. ત્યારબાદ ઉપરથી માટી નાખીને પાણી નાખો.

ગલગોટાનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે. તેમજ છોડમાં ઉચિત પ્રમાણમાં પાણી નાખો.

જો ગલગોટાના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે. તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ( All Pic - gettyimages )

વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી અથવા તો પાણીમાં છાશ ભેળવીન રેડવાથી ગલગોટાના છોડમાં ફૂલ ખીલવા લાગે છે. હવે થોડા જ સમયમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
